SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૮] મારતીય વિદ્યા [શરૂ વેલી યાત્રા કરતાં બીજી યાત્રાનું હેવાનું સૂચવે છે. ત્યાંથી સંવ વામનસ્થલી (વંથળી) થઈ રૈવત (ગિરનાર) ગયો. બીજા કોઈ ગ્રન્થકારે પ્રભાસથી વામનસ્થળી સંઘ ગયાની હકીકત મુકી નથી જ્યારે ઉદયપ્રભે તેને વ્યવસ્થિત રીતે નોંધી છે. આથી ઉદયપ્રભનું વર્ણન કેટલું ચોકસાઈવાળું છે તે જોઈ શકાય છે. સંગ્રાધિપતિ વસ્તુપાળે રૈવતકારોહણ કરી પોતાના પાપકલ્મષને નાશ કરવા ગજેદ્વપદકુંડમાં સ્નાન કર્યું અને નેમિનાથ ભગવાનની વિવિધ પ્રકારી પૂજા કરી અષ્ટાફ્રિકા મહોત્સવ રચ્યો. આ પ્રમાણે આઠ દિવસ સુધી સંઘેશ વસ્તુપાળે ગિરનાર ઉપર રહી પ્રસન્ન મનવડે પુષ્કળ દાનધર્મો કર્યા અને અંબા, પ્રદ્યુમ્ર, સાબ વગેરે દૂકોની યાત્રા કરી ત્યાંના તીર્થદેવતાઓને પૂજન, અર્ચન કરી સત્કાર કર્યો. પછી પોતે સંઘ સહ નીચે ઉતર્યા. પ્રભાસથી ગિરનાર તરફ આવતાં રેવતકની તલેટીમાં તેજપાલે વસાવેલ તેજપાલપુરનું, કુમાર સરોવર, જે તેમણે જ બંધાવ્યું હતું ત્યાં વસ્તુપાળે આદિશ્વર ભગવાનનું પૂજન કર્યું એમ વસંતવિલાસ કાવ્યને કર્તા જણાવે છે.“ ઉદયપ્રભસૂરિએ મહાધાર્મિક વસ્તુપાળની તીર્થયાત્રા અને તેના દાનપ્રવાહની શ્લાઘા કરતાં તેનું રસિક વર્ણન અહીં સર્વોત્કૃષ્ટ ભાષામાં ગુંચ્યું છે. તેમાં યાત્રાને એક પવિત્ર નદી સાથે તુલના કરતાં જેમ નદી પોતાના પ્રવાહ માર્ગમાં આવતાં પ્રાણીમાત્રનું કલ્યાણ સાધે છે તેમ આ મહાપુરૂષે પોતાના દાનપ્રવાહને અખંડરીતે ચાલુ રાખી જનસમાજનું પરમ કલ્યાણ સાધ્યું હતું એવો આશય વ્યક્ત કર્યો છે. જે યાત્રિકવર્ગને અનેક પ્રકારે સુખસાધનો આપતા અને આનંદ પ્રમોદ આપતા વસ્તુપાળ સંઘ સહ ઘોળકા ગયા. ત્યાં તેમનું સન્માન કરવા તેજપાળ અને પરિજનોની સાથે વિરધવલદેવે સામા જઈજિનપ્રભુને નમસ્કાર કર્યા. વસ્તુપાળે ત્યાં જિનપ્રભુને રથમાંથી નીચે પધરાવી ભક્તિવડે પૂજન કર્યું અને સંઘને ભોજન, વસ્ત્રાદિકવડે સંતોષ આપ્યો. વીરધવલે વસ્તુપાળને કુશળ વર્તમાન પુછી વિવેક દર્શાવ્યો. ઉદયપ્રભસૂરિયે આ યાત્રાનું વર્ણન થોડાક શબ્દોમાં સંપૂર્ણતઃ આપ્યું છે. તેમની લેખનશૈલી વિદ્વાન મનુષ્યોને પણ મોહ પમાડે છે, કારણ તેમાં કર્ણકટુતા કે શબ્દાબરની છાયા કોઈ પણ ઠેકાણે જોવામાં આવતી નથી. જે હકીકત રજુ કરાઈ છે તેમાં પૂરતી ચોકસાઈ અને પ્રામાણિકતા ઉપર ખાસ લક્ષ્ય આપ્યું છે. તેથી જ બીજા બધા યાત્રાવર્ણન કરતાં ઉદયપ્રભનું યાત્રાવિવેચન વધુ પ્રામાણિક અને સન્માન્ય છે. આ ગ્રંથનું ધાર્મિક મહત્ત્વ અનેકગણું હશે પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિએ પણ તેનું મહત્વ ઓછું નથી એમ કહેવું પડે છે. આ તીર્થયાત્રામાં કેટલાં મનુષ્યો, રથ, ગાડાંઓ, રક્ષકો, સુખાસન અને ઈતર જન સમુદાય વગેરે હતા તેની કેટલીક નોંધ જુદા જુદા ગ્રન્થોમાં જોવામાં આવે છે. यात्रा प न मा मना२। कीर्तिकौमुदी, सुकृतसंकीर्तन, वसंतविलास धर्माभ्युदय ૨૮ વસંતવિસ્ટાર , સર્ગ ૧૧, શ્લોક, ૭૩ થી ૭૬ २६ पुरः पुरः पूरयता पयांसि धनेन सान्निध्यकृता कृतीन्दुः। स्वकीर्तिवन्नव्यनदी ददर्श ग्रीष्मेऽतिभीष्मेऽपि पदे पदेऽसौ ॥ २१ ॥ धर्माभ्युदय काव्य, सर्ग १५ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy