SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ अंक १] धर्माभ्युदय महाकाव्य अने महामात्य वस्तुपाल-तेजपाल [८३ જયરામાદિ રાજવિઓ, નારદાદિ મુનિવરો, પ્રદ્યુમ્ર, સાંબ પ્રમુખ કુમારો, આદિત્યયશા તથા સગરાદિ રાજવિઓ, અને ભારતના પુત્ર શૈલક, શુક વગેરે મુખ્ય હતા. આ તીર્થનો અનેક વખત ઉદ્ધાર થયો છે. વિવિધ તીર્થકલ્પ અને સુકૃત કીર્તાિકલ્લોલિનીમાં તે બધા તીર્થોદ્ધારકોની નોંધ લેતાં સંપ્રતિ, વિક્રમાદિત્ય, સાતવાહન, પાદલિસ, આમદત્ત, ભરત, સગર, દશરથી, જાવલિ, શીલાદિત્ય, અને વાલ્સટનાં નામો જણાવ્યાં છે. મધુમતી (મહુવા)માં જન્મ લેનાર મહાનુભાવ શ્રેણી જાવડે અહીં ઘણું જ દ્રવ્ય ધર્મકાર્યોમાં વાપરી જ્યોતીરૂપ જિનબિંબની પ્રતિષ્ઠા કરી હતી. તે વિક્રમાદિત્ય પછી ૧૦૮ વર્ષ બાદ થયો હતો એમ જિનપ્રભસૂરિએ ઉલ્લેખ કરી ત્યાં જિનબિંબની પ્રતિષ્ઠા કર્યાની નોંધ લીધી છે. વલભિપતિ શીલાદિત્યે આ ગિરિરાજ ઉપર જિનાલય બંધાવ્યું હતું. ગુર્જરેશ્વર સિદ્ધરાજ ને મંત્રિવર્ય આશ્કે આ પવિત્ર નગાધિરાજ તીર્થની યાત્રા કરી પોતાની અનન્ય ભક્તિ પ્રદર્શિત કરવા નેમિનાથનું મંદિર બંધાવ્યું એટલું જ નહિ પણ ત્યાં આવનારા યાત્રિકોની તૃષા શાંત કરવા એક ભવ્ય વાપિકા (વાવ)નું સ્થાપત્ય કરાવ્યું હતું. - ગુર્જરેશ્વર સિદ્ધરાજે આ તીર્થના પૂજન, અર્ચન માટે બાર ગામે આવ્યા હતા. સિદ્ધરાજ પછી ગાદી ઉપર આવનાર સોલકીકુલભૂપાલ કુમારપાળે તથા તેના મંત્રી ઉદયને આ તીર્થની યાત્રા કરી અહીં અનેક ધર્મકાર્યો કર્યા હતા. ઉદયન પુત્ર વાગભટે આ મહાન વિમલાચલ ઉપર નાભિ પ્રભુનું નૂતન મંદિર વિશાલ શિલા અને કપિશીર્ષકોથી શોભતા કોટ સહ બંધાવ્યું હતું. અને તે પવિત્ર મહાતીર્થની નજદીકમાં કુમારપુર વસાવ્યું જેની મધ્યમાં નીલમણિયુક્ત પાર્શ્વજિનબિંબની સ્થાપના કરાયેલ ત્રિભુવન વિહાર બંધાવ્યો તેમ જ તે નગરની પાસે પ્રભુના પૂજન, અર્ચન માટે પુષ્પ વાટિકા કરાવી હતી. આ પ્રમાણે આ પુણ્યપાવિત તીર્થની યાત્રાનો અમૂલ્ય લાભ દેવો, મહર્ષિ, ચક્રવર્તિઓ, પતિઓ, મંત્રિઓ, અને લક્ષ્મીધરો વગેરે અનેક મહાપુરૂષોએ પ્રાપ્ત કર્યો હતો એમ ગ્રન્થકારે વિસ્તારથી નોંધ્યું છે.૧૩ આની સંક્ષિપ્ત નોંધ આજ ગ્રન્થકારે પોતાના સુકૃતકીર્તિકલોલિની માં લીધી હેવાનું આગળ જણાવી ગયા છીયે. એ વસ્તુપાલના પિતા આશરાજે આ તીર્થાધિરાજની યાત્રા કરી હતી એમ વસંત૧૧ (૨) સwતિર્વિમાહિત્ય, વાતવાદનવામા पादलिप्ताऽऽमदत्ताश्च तस्योद्धारकृतः स्मृताः॥३५॥ शत्रुजय तीर्थकल्प (२) अस्मिन्नाभिभुवः प्रभोस्तनुभवश्चक्री स चक्रे पुरा चैत्यं श्रीभरत: परे तु सगरक्ष्मापालमुख्या व्यधुः। देवो दाशरथिः प्रथासुतपतिः प्राग्वाटभूर्जावडिः शैलादित्यनृपः स वाग्भटमहामत्री च तस्योधृतिम् ॥ १६६ ॥ सुकृतकीर्तिकल्लोलिनी अष्टोत्तरवर्षशतेऽतीते श्रीविक्रमादिह ।। बहुव्यव्ययाद् बिम्बं जावडिः स न्यवीविशत् ॥७१॥ વિવિધતીર્ધાર-સાજંયતીર્થના. ૧૩ જુઓ આજ ગ્રન્થનો સ. ૭, લોક, ૬૭ થી ૮૩, વિશેષ માટે જુઓ પુરાતન પ્રબંધ સંગ્રહમાં પાન. ૫૮ ઉપર લોક ૧૫૮ થી ૧૬૧, ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy