SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨] આવતીર્થ વિદ્યા [વર્ષ રૂ યથાશક્તિ તપ અને અનાથોને દાન એ ચાર મહાસ્થાનોની પુણ્યાનુબંધી પુણ્યલક્ષ્મીને સંઘપતિએ આરાધવા જોઈએ. જે ભવ્ય મનુષ્ય ઉપર્યુક્ત પ્રકારે વ્રત નિયમસહિત સસંઘ તીર્થ યાત્રા કરે છે તે સૌભાગ્ય અને ભાગ્યવાનને સંઘપતિત્વરૂપ લક્ષ્મી પોતે જ વરે છે. તીર્થયાત્રાનું આવું અદ્ભુત વર્ણન પુર્ણયશોભિવૃદ્ધિ માટે કોને આક“તું નથી ? આવા જ વર્ણનો જ્ઞાતાધર્મશા, વ્યવહાર સૂત્ર અને બીજા અનેક જૈન ધર્મશાસ્ત્રોમાં લખાયા છે. તેમાંથી મનુષ્ય સ્વકર્તવ્યના પાઠ શીખી શકે છે. એટલું જ નહીં પણ જનકલ્યાણકારી ઉદાત્ત ભાવનાના સચોટ પુરાવાઓ પૂરા પાડે છે. વસ્તુપાળે આવું જ સંઘપતિવ્રત ધારણ કર્યું હતું જેની સવિસ્તર આલોચના હવે પછી કરવામાં આવનાર છે. प्राक्कालीन संघपतिओ अने यात्रिको સસંઘ યાત્રા કરવી, તેને ઉચિત ધર્મો આચરવા, પોતાની સહમી ઉપરનો મિથ્યામેહ ત્યાગ કરી તેને આવા સત્કાર્યોમાં નિયોજવી એ એક દુષ્કર કાર્ય છે. તેમાં તપ, દાન, દયા, ઔદાર્ય, શ્રદ્ધા અને દીનતા વગેરે ઉત્તમ ગુણોને ખાસ કરીને પચાવવા પડે છે. આપણે પંચમહાભૌતિક શરીરમાં રહેલા પરિપુઓ (કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર) ઉપર્યુક્ત ગણાવેલા સાત્ત્વિક ગુણોના દુશ્મનો છે. આજના ભૌતિક વાદમાં તે પરિપુઓને પરાસ્ત કરવા એ સાધારણ કાર્ય નથી. જો કે સાત્વિક ગુણોનો પ્રાદુર્ભાવ થતાં આ મહારિપુઓ. આપો આપ ચાલ્યા જાય છે પણ તેવા દૈવી ગુણોને હૃદયમાં સ્થિર કરવા તે અસાધારણ કાર્ય છે. સદાચરણ, સત્સમાગમ, પૂર્વ કર્મ અને પ્રભુની સંપૂર્ણ સહાય હોય તોજ મનુષ્ય તે કાર્યમાં સફળતા મેળવે છે. વિજયસેનસૂરિએ તે સત્યને સુંદરરીતે સમજાવતાં વસ્તુપાળને અમૂલ્ય ઉપદેશ આપ્યો હતો. જેમાં સંઘપતિ અને તેના ધમની પ્રતરણા કરતાં પ્રાણ કાળમાં આવા સકર્મો કરનારા જે જે દૈવી પુરૂષ થયા છે તેમનાં યથોચિત વૃત્તાંતે રસિક ભાષામાં સૂરિશ્રીએ રજુ કર્યા છે. તે બધી હકીક્ત સવિસ્તરરીતે આપતાં તે આખું એક સ્વતંત્ર પુસ્તક થવા સંભવે તેથી તેઓને ટૂંક પરિચય આપીને જ અહીં સંતોષ માનવો પડે છે. - શત્રુંજય તીર્થની ઐતિહાસિક્તા ઠેઠ પુરાણકાળ સુધી લઈ જવામાં આવે છે. તેનાં જુદા જુદા એકવીસ નામે છે. ત્યાં અનેક દૈવી પુરુ, ચક્રવતિઓ, સિદ્ધો, મુનિઓ અને નૃપતિઓએ આવી તીર્થયાત્રાનું મહપુણ્ય સંપાદન કર્યું હતું. અહીં યુગાદીશે તેપ કર્યું હતું. ઋષભ, મીશ્વર વગરે અહંતોએ અહીં નિવાસ કર્યો હતો. ભરતેશ્વરે આ પુણ્યગિરિ ઉપર તીથોધિરોહણ કરી જિનાધીશનું ચૈત્ય બંધાવ્યું હતું. તે જ રીતે ઇશ્વાકુ વંશીય સગર રાજાએ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે આ મહાતીર્થની યાત્રા કરી તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ત્યાર બાદ તે જ વંશમાં થયેલ રઘુકુળતિલક રામચંદ્ર રાવણનો સંહાર કરી આ સર્વશ્રેષ્ઠ તીર્થની યાત્રાએ આવતાં જિન પ્રભુનું ચૈત્ય બંધાવ્યું અને તેનો સમુદ્ધાર કર્યો. કુરુકુલનો વિનાશ કરનાર પાંડવોએ પણ વિમલાચલની યાત્રાનો પરમ લાભ પ્રાપ્ત કર્યો હતો. આ સિવાય આ ભવ્યતીર્થના સુપ્રસિદ્ધ યાત્રિકોમાં નમિ-વિનમિ વગેરે મહર્ષિઓ, દ્રાવિડ, વાલખિલ્યાદિ ગ્રુપ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy