SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ७८] भारतीय विद्या [વર્ષ રૂ. ટૂંકમાં જ આપતાં ધર્મનાં ગૂઢ તત્ત્વો દાન, શીલ, તપ અને ભાવના (પ્રભાવના)માં સમાયેલા હોવાનું નિદર્શન કરતાં ભાવનાની પ્રધાનતા દર્શાવી. પરંતુ વસ્તુપાળના હૃદયનું સમાધાન થયું નહિ. મંત્રીશ્વરના હૃદયમાં છુપાયેલી આત્મકલ્યાણની ઉત્કટ ભાવના જોતાં ગુરૂ શ્રી વિજયસેનસૂરિએ ફરીથી તે જ હકીકતને પૂરતા વિવેચન સહ વસ્તુપાળને સમજાવતાં કહ્યું કે, પુણ્યકાર્યો કરનાર મનુષ્ય સ્વચ્છ બુદ્ધિ અને પરોપકાર દ્વારા પોતાનું જીવન ધન્ય બનાવે છે. કલ્યાણકારી ઉન્નત ભાવના દ્વારા જગકલ્યાણ કારી પ્રભાવના સાધી શકાય છે. વધુમાં ઋષિપ્રણીત ભાવનાનાં પ્રશસ્ય અંગો નિરૂપિતા કરતાં અછાદ્દિકા મહોત્સવ, રથયાત્રા અને તીર્થયાત્રાનો ઉલ્લેખ કરી સર્વ સુકૃત કાર્યોમાં સસંઘ તીર્થયાત્રા કરવાનું ભાર પૂર્વક જણાવ્યું. ત્યાર બાદ તીર્થયાત્રાવિધિ, તેના નિયમો, સંઘપતિએ પાળવાનાં વ્રત અને ધર્મકર્મોનું સશાસ્ત્ર વર્ણન કરતાં સંઘપતિ બની તીર્થયાત્રા કરવાનો આદેશ આપ્યો. એટલું જ નહિ પણ પૂર્વકાળમાં જે ધર્મદ્રષ્ટા મહાપુરૂષોએ યાત્રાઓ અને ધર્મકાર્યો કર્યા હતા તેના યથાસ્થિત વિવેચનો કર્યા અને તે જ પ્રમાણે ધર્મશાસ્ત્રકારોએ નિર્દિષ્ટ કરેલ તીર્થયાત્રા વિધિસહ સસંઘયાત્રા કરી સમાજમાં નવીન આદર્શ પેદા કરવા વસ્તુપાળને ખાસ ઉપદેશ આપ્યો. આથી ગ્રન્થ પ્રયોજનનું મુખ્ય કારણ જનસમાજમાં ધર્માચરણની શુદ્ધ ભાવના પેદા કરવા માટેનું જ હતું જેને આ જ ગ્રંથના કેટલાક શ્લોકોથી પુષ્ટિ મળે છે. આ જ ગ્રન્થકારે વસ્તુપાળનું વંશવર્ણન અને સુકૃત કાર્યોની ભવ્યનોંધ રજુ કરતું સુતર્તિકસ્રોટિન નામક કાવ્ય સર્વોત્કૃષ્ટ ભાષામાં રચ્યું છે, છતાં ફરીથી તે જ ચરિત્રને વિશિષ્ટ કારણ સિવાય કર્તા પુનઃ પ્રતિપાદિત કરે તેમ માની શકાય નહી. વળી ધર્મ ભુદયકાવ્ય, તેનું કથાસાહિત્ય, અને તેમાં સમાએલા ધાર્મિક ઝોક વગેરેનો વિચાર કરતાં આ ગ્રન્થ ધર્મપ્રચારના શુભ ઉદ્દેશના કારણે અને વસ્તુપાલની તીર્થયાત્રાનું અતિહાસિક વર્ણન કરવા માટે રચવામાં આવ્યો હતો એ સ્પષ્ટ છે. ગ્રંથની ફળશ્રુતિ પણ તેવો જ અભિપ્રાય વ્યક્ત કરે છે. કર્તા પોતે જ આ મહાકાવ્યને યશ અને ધર્મરૂપા શરીરવાળું તેમ જ વિશ્વાનંદ લક્ષ્મીનો પ્રકાશ કરનારું સૂચવે છે, તેથી ગ્રંથકારનો ઉદ્દેશ ઐતિહાસિક હકીકતને ધાર્મિક દ્રષ્ટિએ પ્રતિપાદિત કરવાનો પણ જણાય છે. તેના ઐતિહાસિક વિધાનો કેટલીક નકકર હકીકતો પૂરી પાડે છે. આશ્રિત કવિઓ કેટલીક વખત પોતાના આશ્રયદાતાની પ્રશંસા કરતાં અતિશયોક્તિ વાપરે છે. પરંતુ આ કાવ્યમાં તેવા પ્રયોગો મૂકવામાં આવ્યા હોવાનું લાગતું નથી. તેથી ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ ગ્રન્થ મહત્ત્વ ધરાવે છે. वस्तुपाल वंशवर्णन ગ્રન્થની શરૂઆતમાં કર્તા દેવગુરૂનું મંગલ સ્તવન કરી ગ્રન્થનું નામાભિધાન વ્યક્ત ५ एतत् सुवर्णरचितं, विश्वालंकरणमनणुगुणरलम् । संघाधीश्वर चरितं, एतदुरितं कुरुत हृदि सन्तः॥ ધન્યુય. . . ૪૭ ६ आकल्पस्थायि धर्माभ्युदयनवमहाकाव्यनाम्ना यदीयम् । विश्वस्याऽऽनन्दलक्ष्मीमिति दिशति यशो-धर्मरूपं शरीरम् ॥ ॥ पंचदशसर्गान्ते Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy