SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ अंक १] धर्माभ्युदय महाकाव्य अने महामात्य वस्तुपाल - तेजपाल [ ७७ છે. આખો ગ્રંથ અર્થગાંભીર્ય અને પદલાલિત્યની ઝમક વાળો છે. દરેક સર્ગના અંતે વસ્તુપાળની પ્રશંસા કરતા એક બે શ્લોકો મુકવામાં આવ્યા છે જે વસ્તુપાળનું અપ્રતિમ ગૌરવ પ્રદર્શિત કરે છે. આ પદ્ધતિ પુત્તમંીર્તન, નરનારાયળાનન્દ્ર અને વસંતવિજ્ઞાસકારે પણ અખત્યાર કરી છે. આ મહાકાવ્યના કેટલાક શ્લોકો નરનારાયનન્દ, વેરાતરંગિની અને ચતુર્વિરતિ વૈધમાં ઉદ્ધૃત થયા છે. વસ્તુપાળ જેવા કવિવરે પોતાનાજ કાવ્યમાં ધર્માભ્યુદયના કેટલાક શ્લોકોને સ્થાન આપી તે ગ્રંથનું મહત્ત્વ અદ્વિતીય હોવાનું જાહેર કર્યું છે. આથી વસ્તુપાલના હૃદયમાં આ ગ્રન્થ માટે અનન્ય સદ્ભાવ હતો એમ પણ જણાય છે. સત્પુરૂષ પોતાની શ્લાઘા સ્વમુખે કરે તે અયોગ્ય લેખાય તે ન્યાયે વસ્તુપાલે ગુરૂની ઉક્તિઓ મૂકી હશે એમ સાધારણ અનુમાન થાય છે. ખીજા કોઈ કવિની તેવી ઉક્તિઓ નહિ ગ્રહણ કરતાં ગુરૂના જ શ્લોકો કેમ દાખલ કર્યાં તે પ્રશ્નના સમર્થનમાં એમ કહી શકાય કે આ ગ્રન્થોક્ત ગુરૂદેવની ઉક્તિઓએ વસ્તુપાળના માનસ ઉપર વધુ પ્રભાવ પડયો હતો જેનો સચોટ પુરાવો ધર્મામ્બુચવાવ્યમાંથી ઉદ્ધૃત કરેલ ગુરૂપ્રોક્ત ઉક્તિઓ આપે છે. આ ગ્રન્થનું મુખ્યનામ સંઘપતિચરિત્ર છે પણ તેમાં ધર્મનો અભ્યુદય સાધનારાં, ધર્મ ઉપર પ્રકાશ વેરનારાં વસ્તુપાળનાં ધાર્મિક સત્કર્મોનું વિવરણ રજુ કરાયું હોઈ તેનું અપર નામ “ધર્માસ્યુવચ મહાાવ્ય” છે એવો અભિપ્રાય ગ્રંથકાર ધરાવે છે. ग्रंथ प्रयोजन આ ગ્રંથનું સમુત્થાન કેવા કારણને લઈ થયું હતું તે માટેના સ્વતંત્ર ઉલ્લેખો કર્તાએ રજી કર્યાં નથી. વસ્તુપાળનો અનન્ય ધર્મપ્રેમ સુપ્રસિદ્ધ છે. જગતની વ્યામોહ ભાવનાનું ભાન તેને જીવનની શરૂઆતમાં જ થયું હતું. અસાર સંસારની પ્રલોભનજનક અને વંચક ભાવનાઓથી દૂર રહેવા તેનું હૃદય હંમેશાં પ્રયત્ન કરતુ. મનુષ્યજન્મનું સાચું શ્રેય જગકલ્યાણ અને ધર્માચરણમાં જ છે એવો ગુરૂદ્વારા મળેલો અમૂલ્ય ઉપદેશ તેની રગેરગમાં વહેતો હતો. સત્ત્વશુદ્ધ ભાવનાઓના પ્રતાપે તેઓ સદાકાળ જીવન સાફલ્યનો સર્વોત્કૃષ્ટ માર્ગ શ્રવણ, મનન, સત્યમાગમ અને અનુશીલન દ્વારા મેળવવા પ્રયલ કરતા હતા. એક વખત વસ્તુપાળે પોતાના કુલગુરૂ વિજયસેન સૂરિને જિજ્ઞાસાપૂર્વક મનુષ્યજન્મની સાર્થકતાનું સાધન પૂછ્યું હતું. ગુરૂએ તેનો જવાબ ૨ જીઓ નરનારાયણાનંદ મહાકાવ્યના સર્ગ. ૨-૮-૧૦ના અંત્ય શ્લોકો તથા ચતુવતિ પ્રબંધ અને ઉપદેશતરંગિણીમાં સંગ્રહાયેલા ધર્માભ્યુદય કાવ્યના લોકો. 3 सङ्घपतिचरितमेतत्, कृतिनः कर्णावतंसतां नयत । श्रीवस्तुपालधर्माभ्युदयमहो महितमाहात्म्यम् || Jain Education International ધર્માસ્યુયાન્ય. સ. , જો. ૨૭. ४ कदाचिदेषमश्रीशः, कृतप्राभातिकक्रियः । गत्वा पुरो गुरोस्तस्य, नत्वा विज्ञो व्यजिज्ञपत् ॥ तदत्र कारणं किञ्चिदभिरूपं निरूप्यताम् । कारणानां हि नानात्वं, कार्यभेदाय जायते ॥ ધર્મામ્બુવય. સî. . જો, ર૬-૨૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy