SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ ] भारतीय विद्या [વર્ષ રૂ યુગમાં કેટલાક વિદ્વાનોએ તેમના ચરિત્રને ઐતિહાસિક દૃષ્ટિએ અવલોક્યું છે. સ્વ. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલે સુકૃતસંકીર્તન, વસંત વિલાસ, હમ્મીરમદમર્દન અને નરનારાયણાનંદની પ્રસ્તાવનામાં તત્સંબંધી વિદ્વત્તાપૂર્ણ સંશોધનો કર્યો છે. આ સિવાયસ્વ. વલ્લભજી આચાર્ય કીર્તિકૌમુદીને ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવનામાં, શ્રી. ઝવેરી જીવણચંદ સાકરચંદે જનપત્રના અંકમાં અને શ્રી નરહરિભાઈ પરિખે મધપૂડામાં વસ્તુપાળના જીવન સંબંધી લેખો લખ્યા છે. નાગરી પ્રચારિણી પત્રિકા ભા. ૪ના અંક પહેલામાં શ્રી. શિવરામ શર્માએ “સોમેશ્વરદેવ ઔર કીર્તિકૌમુદી” નામક વિવેચન પૂર્ણ નિબંધ લખ્યો છે. આ બધાનો સમન્વય સાધી શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસમાં વસ્તુપાલ ચરિત્ર અને તેના સાહિત્યની સુંદર સમાલોચના કરી છે. આ બધા ગ્રંથોની હકીકત લગભગ એક બીજાને મળતી આવે છે. કેટલાકમાં તેનાં સુકૃત કાર્યો અને વર્ણનોની વધઘટ જોવામાં આવે છે. ઉપર્યુક્ત ગ્રંથો પૈકી ઘણાખરા બલ્ક ઘર્માસ્યુ કાવ્ય સિવાયના બધા ગ્રન્થો પ્રકાશિત થયા છે. હવે આ ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિબિંદુ રજુ કરતે ધર્માસ્યુટ વંશ પરમપૂજ્ય મુનિવર શ્રી પ્રવર્તક કાંતિવિજયજીના સુશિષ્ય - પ્રશિષ્ય મુનિ શ્રી ચતુરવિજયજી અને મુનિ શ્રી પુણ્યવિજયજી જેવા વિદ્વાન સાધુ પુરૂષો દ્વારા સંપાદિત થઈ સિંધીન9માત્રાના એક મૂલ્યવાન મણિ તરીકે પ્રકાશમાં મૂકાય છે જે અભિનંદનાહં છે. એમાંથી વસ્તુપાળના જીવન ઉપરાંત કેટલીક અનન્ય હકીકત પણ જાણવા જેવી મળી શકે છે. વસ્તુપાળનાં અનેક સત્કાર્યોમાં શત્રુંજય અને રૈવતકની સંઘયાત્રા એ મહત્ત્વનું ધર્મકાર્ય હતું. આ યાત્રાની કેટલીક વિશિષ્ટ હકીકત ધર્માનુરા પૂરી પાડે છે. धर्माभ्युदय याने संघपतिचरित्र महाकाव्य આ મહાકાવ્ય તેના અભિધાન અનુસાર સંઘાધિપતિઓનાં કર્તવ્યને લગતાં ચરિત્રો રજુ કરે છે જેથી સમાજના માનસ ઉપર ધર્માલ્યુદયની છાપ પડે છે. તેની બીજી વિશિષ્ટતા તેમાંથી વસ્તુપાલ ચરિત્રની સહેજ ઝાંખી થવા ઉપરાંત સંઘપતિ વસ્તુપાળે સંઘસહિત કરેલ શત્રુંજય તીર્થની મહાયાત્રાનું વ્યવસ્થિત વર્ણન છે. આ આખોય ગ્રન્થ શુદ્ધ સંસ્કૃત ભાષામાં રચાયો છે. તેના કુળ પંદર સર્ગ અને પર૦૦ શ્લોક છે. તેની રચના મહાકાવ્યની પદ્ધતિએ કરવામાં આવી છે. તેને પહેલો અને પંદરમો સર્ગ ઇતિહાસલક્ષી છે. તેમાં વસ્તુપાળવશવર્ણન, વસ્તુપાળના કુલગુરૂઓને પરિચય, વસ્તુપાલે કરેલ સંઘ યાત્રાનું વર્ણન અને વસ્તુપાળના ગુરૂ વિજયસેન સૂરિના નાગેન્દ્ર ગચ્છમાં થયેલ પૂર્વાચાર્યોની રસિક હકીકત નોંધાઈ છે. બાકીના સગોમાં પુણ્યપવિત્ર મહાપુરૂષોનાં પૌરાણિક વર્ણનો છે. આ ગ્રંથને પહેલો અને પંદરમો સર્ગ વિવિધ વૃત્તોમાં રચાયો છે. તદુપરાંત દરેક સર્ગના અંતમાં મૂકાયેલા વસ્તુપાળના પ્રશંસાત્મક લોકો પણ જુદા જુદા છંદોમાં છે, જ્યારે પૌરાણિક હકીકતો રજુ કરતા બાકીના સ મટે ભાગે અનુછુપમાં લખાયા છે. આ બધા છંદોમાં શાર્દૂલવિક્રીડિત, સ્ત્રગ્ધરા, દ્રવજા, વસંતતિલકા અને મંદાક્રાંતા મુખ્ય છે. કાવ્યની ભાષા પ્રાસાદિક અને સાલંકાર १ प्रत्येकमत्र ग्रन्थानं विगणय्य विनिश्चितम् । द्वात्रिंशदक्षरलोकद्विपञ्चाशच्छतीमितम् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy