SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ अंक १] धर्माभ्युदय महाकाव्य अने महामात्य वस्तुपाल-तेजपाल [७५ वस्तुपालविषयक ऐतिहासिक साहित्य આ મહાનુભાવનું ચરિત્ર અને તેના સુકૃત કાર્યો નિરૂપિત કરતા કેટલાય ગ્રન્થો આજે ઉપલબ્ધ થાય છે. તેમાં ઘણાખરા સંસ્કૃતમાં અને બાકીના બીજા ગૂર્જર ભાષામાં રચાયા છે. આ ચરિત્રગ્રન્થો પૈકી કેટલાક તેમની હયાતીમાંજ રચાયા છે જે તેમના આશ્રિત કવિવર દ્વારા તેમણે કરેલા સત્કાર્યોની પ્રશંસા કરવા લખાયા હતા એમ જણાય છે. પ્રખ્યાત કવિ સોમેશ્વરે પતિવમુવી ગ્રન્થ તેમના જીવન અને કવનનું સ્તવન કરવા રચ્યો છે. આ સિવાય પુરશોત્સવ અને કટ્ટા રાઘવના છેલ્લા સગોંમાં પોતાની પ્રશસ્તિ સાથે વસ્તુપાળના જીવનને લગતી ટૂંક હકીકત આપી છે. તેણે બંધાવેલા ગિરનાર અને આબ ઉપરનાં મંદિરોની પ્રશસ્તિ રચનાર આજ કવિ હતો. તેમાં પણ વસ્તુપાલના ચરિત્ર અને સત્કર્મો માટે ટૂંક નોંધ કરી છે. બીજા એક અરિસિંહ નામક કવિએ વસ્તુપાળના જીવન સાથે તેણે કરેલાં સુકૃત કાર્યોનું વિવેચન કરવા સતવંદન નામક ગ્રન્થ રચ્યો છે જેમાંથી ચાવડા અને ચૌલુક્યોનો પણ કેટલીક ઇતિહાસ મળી આવે છે. જયસિંહ સૂરિએ મીમદમન નાટક અને વસ્તુપાત્ર પ્રશસ્તિ કાવ્યો રચ્યાં છે. તેમાં વસ્તુપાલની યુદ્ધ કુશળતા અને હમીર સાથે થયેલ યુદ્ધ પ્રસંગને નાટકના રૂપમાં ચોજ્યા છે. આ બધામાં નવીન ભાત પાડતાં તેમના ગુરૂ ઉદયપ્રભસૂરિ વિરચિત ધર્મપુત્ય અને સુતર્તિયોર્જિની કાવ્યો છે. એમાંના ઇમ્યુટર કાવ્યનું વિસ્તૃત વિવેચન પ્રસ્તુત લેખમાં કરવાનું હોવાથી તેનો પરિચય - આગળ ઉપર વિસ્તારથી આપવામાં આવ્યો છે જ. વીર્તિસ્ત્રિની ગ્રન્થ એક સર્વેત્કૃષ્ટ કાવ્ય છે. તેની પ્રાસાદિક્તા, આલંકારિકતા અને પદ્યરચના ઉત્કૃષ્ટ પ્રકારના જોવામાં આવે છે. સુતસંવર્તનની માફક તેની શરૂઆત વનરાજથી કરવામાં આવી છે. તેમાં ચાવડા અને ચૌલુક્યોનો ક્રમબદ્ધ ઈતિહાસ આપ્યા પછી વસ્તુપાલવંશવર્ણન, વસ્તુપાળ ચરિત્ર અને તેનાં ધર્મકાર્યોની ટૂંક નોંધે આલંકારિક ભાષામાં રજુ કરી છે. આ બધા કાવ્યોની રચના વસ્તુપાળના સમકાલીન થએલી છે એટલે તેમની ઐતિહાસિકતાના વિષયમાં શંકાને અવકાશ નથી. કદાચ પ્રશંસાત્મક વર્ણનમાં અલંકાયુક્ત હકીકતો મૂકી હોય તે સ્વાભાવિક છે. બાલચંદ્ર સૂરિએ વસંતવિકાસ કાવ્ય રચ્યું છે જેમાં વસ્તુપાળનું જીવનવૃત્ત અને તેના સત્કાર્યોનું વિસ્તૃત વર્ણન સંસ્કારી ભાષામાં આપ્યું છે. વસ્તુપાળના જીવન બાદ તરત જ રચાએલા ગ્રન્થોમાં આ મુખ્ય છે. કારણ કે તે વસ્તુપાળના મરણબાદ થોડાક જ વર્ષોમાં રચાયો છે. આ સિવાય મેરૂતુંગકૃત વંધચિંતામણિ, જિનપ્રભ રચિત તીર્થહ૫, રાજશેખરકૃત ચતુર્વિશતિ વંધમાં પણ વસ્તુપાલના જીવનને સ્પર્શ કરતી કેટલીક હકીક્ત નોંધાઈ છે. છેલ્લામાં છેલ્લું વ્યવસ્થિત રીતે રચાયેલું જિનહર્ષકૃત વરતુપાઇ વરિત્ર છે જેમાં કેટલીક અનન્ય હકીકતો સચવાઈ છે. તે મોટે ભાગે ર્તિૌમુવી અને ચતુર્વરાતિ વંધના આધાર ઉપર રચવામાં આવ્યું છે. ગૂર્જર ભાષામાં હીરાનંદ સૂરિ, લક્ષ્મસાગર સૂરિ, પાર્ધચંદ્ર અને સમયસુંદર વગેરે. એ વસ્તુપા રાસાઓ રચ્યા છે જે લગભગ સંસ્કૃત કાવ્ય ગ્રંથોને અનુરૂપ છે. વર્તમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy