SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ धर्माभ्युदय महाकाव्य अने महामात्य वस्तुपाल-तेजपाल * હે • श्रीयुत कनैयालाल भा० दवे - अन्नदानैः पयःपानैर्धर्मस्थानैश्च भूतलम् । यशसा वस्तुपालेन रुद्धमाकाशमण्डलम् ॥ १॥ उपदेशतरङ्गिणी ઇતિહાસ શબ્દનો વાચ્યાર્થ પ્રાચીન ઇતિવૃત્ત એવો થાય છે. પરંતુ વ્યાપક દૃષ્ટિએ તપાસતાં તે શબ્દના ભિન્ન ભિન્ન પર્યાયો માલુમ પડે છે. તેમાં એકલાં ચરિત્રો જ ગુંથવામાં આવે છે એવી રૂઢ ભાવન! આજે જનસમાજમાં પ્રચલિત છે પણ તેના કરતાં ઇતિહાસ બીજી કેટલીયે વિશિષ્ટ મામતો જેવી કે ધર્મ, ન્યાય, દાન, ઔદાર્ય, રાજધર્મ, સચ્ચરિત્ર, શીલ, તપ, વિવેક, દાક્ષિણ્ય વગેરે લોકોત્તર ધર્મોનું શિક્ષણ આપે છે. જે ઇતિહાસ જનસમાજને કર્તવ્યના પાઠ ન શીખવે તેને સાચો ઇતિહાસ કહી શકાય નહિ. તેવા નિઃસત્ત્વ ઇતિવૃત્તોની ગણના ઇતિહાસ ગ્રન્થોમાં કરવાથી ઉલટું ઇતિહાસનું ગૌરવ ઘટે છે. ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ પહેલ પાડેલા કાચ જેવો છે, તેના દરેક પાસાનું નિરીક્ષણ કરતાં તેમાં જુદા જુદા રંગો ભાસે છે. સાદા શબ્દોમાં કહીએ તો તે એક જ્ઞાનકોષ છે. ઇતિહાસનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો તેમાં જોવામાં આવે છે. રાજા અને પ્રજાના ગૌરવાન્વિત સંસ્મરણોથી તે સલર છે. તેમાંથી એક નરશાર્દૂલના ચરિત્રની યશગાથાનું વર્ણન કરવાનો અહીં પ્રયન કરવામાં આવ્યો છે. તે ચરિત્ર નાયક કોણ ? જેણે સમસ્ત ગુજરાતને દેવાલય મંડિત કરી હતી. પોતાનું સમસ્ત જીવન જે મહાનુભાવે લોકકલ્યાણ માટે જ નિયોજ્યું હતું. એ દાનેશ્વરીમાં કર્ણ અને અલિના અવતારરૂપ હતો. જ્ઞાતિએ વૈશ્ય હોવા છતાં યુદ્ધ કલામાં તે સમરકેસરી ગણાતો. રાજખટપટમાં ચાણક્ય સમાન મુત્સદ્દી હોવા છતાં વિદ્વત્તામાં તેણે મહાકવિની ઉપાધિ મેળવી હતી. તે હતો પ્રાગ્નાટકુલભૂષણ ધર્મધુરંધર સચિવેન્દ્ર વસ્તુપાલ – જેણે એકલા જૈન ધર્મના જ નહિ પણ રોવ, વૈષ્ણવ, શાકત અને મુસ્લીમ ધર્મોનાં પણ છૂટા હાથે ધર્મકાર્યો કર્યાં હતાં. તેનું ચરિત્ર એક જ્ઞાનસંહિતા જેવું છે જેનું અનુશીલન અને શ્રવણ શ્રોતા, વક્તા ઉભયનું કલ્યાણ સાધે છે એટલું જ નહિ પણ માનવજન્મના સાફલ્યનું સાધન કરવાની પ્રેરણા કરી સાચો રાહ સૂચવે છે. તેના સારાય જીવનમાં ધર્મ, દાન, શીલ, તપ, વિવેક, સચ્ચરિત્ર, વિનય વગેરે ઉત્તમ ગુણોની સુવાસ પ્રસરી રહી છે. આવા લોકોત્તર ગુણોને લઈ તેઓ જૈન અને જૈનેતર સમાજમાં વધુ સન્માનનીય અન્યા હતા. તેમણે રાજા અને પ્રજાની અનન્ય પ્રીતિ મેળવી પોતાનું જીવન ધન્ય કર્યું છે એટલું જ નહિ પણ તેમનાં પ્રાતઃસ્મરણીય નામોએ આજે જનસમાજમાં અમરતા પ્રાપ્ત કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy