SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત ૨] રસાદરાનું સ્વરૂપ [૭૨ રહેલો છે એવો ભ્રમ પ્રચલિત થતાં એ શબ્દ એકાત્મક હોવા છતાં વિધવા એ રીતે એનો વિભાગ કરવામાં આવ્યો અને મૂળ શબ્દના અર્થને અવલંબીને ધવ શબ્દ “પતિ એ અર્થમાં નવો ઘડી કાઢવામાં આવ્યો. આની અસર નીચે “મધુને વંશજ' તે માધવ” (= કૃષ્ણ), આ ને બદલે માયાઃ ધવ: “લક્ષ્મીનો પતિ” (= “વિષ્ણુ” એટલે પછી “કૃષ્ણ”) તે “માધવ” એવો વિગ્રહ કરવામાં આવ્યો. અસુર સરઅને ૦૩૦ને બદલે નબળે છે અને સુરનો બનેલો લાગે એટલે ગુર જેવો નવો શબ્દ જ ઘડાય. વર્ટ “વડલો, વારિ, “વાડ” “વાડી', વગેરેના મૂળમાં રહેલું V– “ઘેરવું ”નું કોઈ રૂપ વૃત્ત ભૂલાઈ જતાં / “ઘેરવું” એવો નવો ધાતુ જ કપાય. વળી બોલાતી ભાષામાં સળંગ વાક્યો જ બોલાતાં હોવાથી, ખોટા શબ્દવિભાગને લીધે અર્થગૂંચવાડો ઘણી વાર ઊભો થતો હોય છે; દેશી રાજ્યના એક રાજવી “જર્મન કાઉન્ટ'ને બદલે “જર્મન કે ઊંટ” સમજ્યાથી થએલી ધમાલ અહીં ઉદાહરી શકાય. સાદૃશ્યને કાર્યપ્રદેશ આ પ્રમાણે શબ્દોનો ધ્વનિદેહ અને તેમનું અર્થવર્તુળ, ભાષાનું વ્યાકરણું બંધારણ કે રૂપાતંત્ર, પ્રાસ, અનુપ્રાસ ને શ્લેષ જેવા શબ્દાલંકારો, કહેવતો, લૌકિક વ્યુત્પત્તિ, લોકકથા ને દેવકથા–આટલા વિશાળ ક્ષેત્ર પર સાદ્રશ્યનું તત્ત્વ પોતાની કારીગરી ચલવતું હોય છે, અને એ હકીક્ત ભાષાશાસ્ત્રમાં તેનું સ્થાન પ્રથમ કોટીની અગત્યનાં તત્ત્વોમાં છે એ સ્પષ્ટપણે દેખાડી આપે છે. રૂ૧,૧૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy