SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ 9] માલા વિવા [वर्ष ३ આપણે તેને મળતા સ્વભાષાના કોઈ શબ્દ સાથે તેને જોડવા પ્રેરાઈએ છીએ. મુંબઈના ઉપનગર “વાંદરાનું નામકરણ મૂળમાં કોઈ શ્રી બેન્દ્ર પરથી થયું હોય એ સંભવિત છે. પણ લેક માનસે તેનો જાણીતા અભિધાન (vocable) “વાંદરા” સાથે મેળ બેસાડી દીધો છે. સાન્તાક્રુઝને બદલે “શાન્તાપુરુષ” બોલાતું મારા સાંભળવામાં આવ્યું છે. આમાં પરદેશી અર્થવિહીન લાગતા ધ્વનિસમુદાયને સ્થાને સાર્થ (સાર્ચ એ રીતે કે “શાન્તા” શબ્દ ગુજરાતીમાં છે અને પુરુષ' પણ ગુજરાતીમાં છે) શબ્દોનો સહઉપન્યાસ કરવામાં આવ્યો છે. સદશ્યમૂલક ધ્વનિવિકારની લાક્ષણિકતા એ લક્ષમાં રહે કે આ ઉદાહરણે વનિતાદ્દશ્ય(phonetic analogy)નાં છે. જ્યારે આગળ ટકેલાં ઘણાંખરાં રૂપસાદ્રશ્ય (formal analogy)નાં હતાં. રૂપસાદશ્યને લીધે અમુક શબ્દ કોઈ વિશિષ્ટ રૂપ માટે પહેલાં અમુક પ્રત્યય લેતે હોય પણ પછીથી તેવા જ રૂપ માટે તેનાથી જુદા પ્રકારના પ્રત્યય લેતા બીજા શબ્દસમૂહની અસર નીચે પોતાના પ્રત્યયોને બદલે તે શબ્દસમૂહને માટે વપરાતા પ્રત્યયો લેવા માંડે છે. જ્યારે ધ્વનિસાદૃશ્યને લીધે એક શબ્દના ધ્વનિઓમાંથી અમુકને સ્થાને, બીજા શબ્દોના ધ્વનિઓની અસર તળે બીજા જ ધ્વનિ ઘુસી જાય છે. અને શબ્દના ધ્વનિદેહમાં પલટો થવાનાં કારણોમાં ધ્વનિમિયમો અને સાદ્રશ્ય બંને વચ્ચે જે સ્પષ્ટ ભેદ છે તે આજ છે. વનિબળોની અસર નીચે થતા ફેરફારોમાં અમુક ધ્વનિની ઉત્તરોત્તર શ્રેણુદ્વારા કાયાપલટ થાય છે– વનિનો ક્રમબદ્ધ વિકાસ થાય છે; જ્યારે સાદ્રશ્યમૂલક ધ્વનિપરિવર્તનમાં અમુક ધ્વનિનું સ્થાન બીજે જુદા પ્રકારનો વનિ સીધેસીધું જ લઈ લે છે, તેમાં નિયમિત વિકાસ નથી હોતો. તેમાં તે એકને સ્થાને બીજાનો આદેશ (substitution) જ થાય છે. દાખલો લઈએ તે પ્રાચીન ભારતીય આર્ય આંતરસ્તરીય અઘોષ સ્પશે મધ્ય ભારતીય-આર્યમાં લુમ થાય છે, તે અઘોષસ્પર્શ > ઘોષ સ્પર્શ > ઘર્ષ (fricative) > લોપ– એ ક્રમે જ; પણ “સાન્તાક્રુઝ > શાન્તાપુરુષ” એમાં જે “કુ” ને સ્થાને “પુ.” આવે છે, તેમાં કોઈ અવાન્તર વનિભૂમિકાઓએ ભાગ ભજવ્યો નથી; “હુને સ્થાને સીધેસીધો જ “પુર મુકાયો છે. આથી એ પણ સ્પષ્ટ થશે કે વનિબળોની અસર નીચે થતા ફેરફારો, તે વનિ ધરાવતા ભાષાના બધાય શબ્દોને લાગુ પડે છેએટલે કે આખુંય ધ્વનિતંત્ર તેમનું આલંબન હોય છે; જ્યારે સાદ્રશ્યમૂલક ફેરફારો વ્યક્તિગત–અમુક એક શબ્દ પૂરતા જ મર્યાદિત હેય છે. અર્થસંકર અર્થગૂંચવાડાનાં મૂળ પણ આમાં જ રહેલાં છે. સાદ્રશ્યને આધારે અમુક શબ્દમાં મૂળથી ઘટક તરીકે ન હોય તેવા ધ્વનિસમૂહને ઘટક તરીકે કલ્પવામાં આવે ત્યારે સ્વભાવિક રીતે જ નવા કપેલા ઘટકોનાં મૂળ અર્થ અને તે શબ્દના મૂળ અર્થ વચ્ચે મેળ બેસારવાના પ્રયલમાં એક અથવા તો બન્ને અર્થવિકાર પામે, તો કોઈ વાર નવા શબ્દો જ ઘડી કાડવામાં આવે. વિધવા માં વિયુક્તિવાચક વિ. આદિ ઘટક તરીકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy