SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ अंक १] धर्माभ्युदय महाकाव्य अने महामात्य वस्तुपाल-तेजपाल [७९ કર્યા બાદ પોતાના પૂર્ણ ભક્ત અને જિનશાસનના પરમ અનુરાગી વસ્તુપાલની ઓળખાણ આપતાં તેમના પૂર્વજોને ટ્રેક પરિચય નોંધે છે. આ જ કર્તાએ પોતાના પુતર્તિસ્રોત્રિની કાવ્યમાં વસ્તુપાલ અને તેના પુરોગામી વંશધરોનું ભવ્ય વર્ણન કરતા અઢાર શ્લોકો રચ્યા છે; જ્યારે આ મહાકાવ્યમાં તે પાંચ જ લોકોમાં સમેટી દે છે. ગ્રંથકાર આ ગ્રન્થને મહાકાવ્ય તરીકે જાહેર કરે છે અને મહાકાવ્યના નિયમ મુજબ ચરિત્ર નાયકનું વિવેચન વિસ્તારથી કરવું જોઈયે છતાં સૂરિશ્રીયે તેને સંક્ષેપમાં મૂકવું ઉચિત માન્યું છે. તેનું કારણ એમ લાગે છે કે આ મહાકાવ્ય વસ્તુપાલની કીર્તિ અમર કરવાના કારણથી રચવાનો ગ્રન્થકારનો ઉદ્દેશ ન હતો, પણ જન સમાજને તે દ્વારા ઉપદેશ આપી તેના જેવાં સત્કર્મો કરવાની પ્રેરણા ઉત્પન્ન કરવાનો જ હતો. આથી સૂરિશ્રીએ ધાર્મિક વસ્તુનું પ્રધાન વિવેચન કરવાના આશયને લઈ વસ્તુપાલના પૂર્વજોનું કીર્તિગાન વિસ્તૃત રીતે આ ગ્રન્થમાં નહિ નિયોર્યું હોય એમ માનું છું. છતાં તેના આદિપુરૂષથી વસ્તુપાલ સુધીના મહાનુભાવોની યોગ્ય પિછાન થોડા શબ્દોમાં પણ સંપૂર્ણતઃ આપી છે. વસ્તુપાલ ચરિત્ર વર્ણન અને તેનાં સુકૃત કાર્યોની આલોચના કરવા લખાયેલા પુતસંવીર્તન, સુતર્લિોટિની, વર્તિવમુવી, અને વસંતવિત્રાસ વગેરે કાવ્યોમાં તેમનું વંશવર્ણન ભભકદાર ભાષામાં રજુ કરાયું છે જ્યારે અહીંઆ ગ્રંથકાર એક જ શ્લોકમાં તે બધી હકીકત જાહેર કરતાં કહે છે કે “પ્રાગ્યા ગોત્રમાં અણહિલપુર નામક નગરને વિષે ચંડપનો પુત્ર ચંડપ્રસાદ થયો. જેનાથી સોમ અને તેનાથી આસરાજ પુત્ર થયો, જે કાલકૂટને ભક્ષણ કરનાર શ્રી કંઠ (રૂદ્ર)ના કંઠ સ્થળ વિષે રહેલ વિષજ મળના નાશકર્તા નવીન અમૃત જેવા યશવાળો થયો.” કવિ ટૂંકમાં પોતાને કહેવાનું બધું સમજાવી દે છે. “તે આસરાજથી લક્ષ્મીના ધામરૂપ કુમારદેવીના કુક્ષિસરમાં વસ્તુપાલ નામક પુત્ર થયો. તેમના અગ્રજ (મોટાભાઈ) મલદેવ અને અનુજ (નાનાભાઈ) તેજપાલ નામક ભ્રાતૃઓ થયા. ત્યાર બાદ તેઓએ મંત્રીશ્વરની મુદ્રા કેવી રીતે પ્રાપ્ત કરી તેનો પૂર્વ પરિચય આપતાં કવિ લખે છે કે તે સમયમાં ચૌલુક્યકુલચંદ્ર લવણપ્રસાદના હુલને ઉજજવલ કરનાર વીરધવલ દેવ રાય ધુરાને ધારણ કરતા હતા. ગુજરાતના પ્રાચીન પાટનગર અણહિલપુરનો સંસ્થાપક વનરાજ હતો તે આખ્યાયિકાને અનુસરી આ ગ્રંથકારે પણ અણહિલપુરને આદિરાજ વનરાજની કીતિપ્રભા જેવું જણાવ્યું છે. વસ્તુપાલમાં ઉત્તમ પ્રકારના સાત વિ - કારો હતા તેની નોંધ લેતાં સૂરિશ્રી કહે છે કે “વિભૂતિ, વિક્રમ, વિદ્યા, વિદગ્ધતા, વિત્ત, વિતરણ (દાન), વિવેક વગેરે વિકારો, ગુણે વસ્તુપાળમાં હોવા ७ श्रीमत्प्राग्वाटगोत्रेऽणहिलपुरभुवश्चण्डपस्याङ्गजन्मा जज्ञे चण्डप्रसादः सदनमुरुधियामङ्गभूस्तस्य सोमः। आसाराजोऽस्य सूनुः किल नवममृतं कालकूटोपभुक्त श्रीकश्रीकण्ठकण्ठस्थलमलविपदुच्छेदकं यद्यशोऽभूत् ।। १८ ॥ ८ सोऽयं कुमारदेवीकुक्षिसरः सरसिजं श्रियः सदनम् । श्रीवस्तुपालसचिवोऽजनि तनयस्तस्य जनितनयः ।।१९।। यस्याग्रजो मल्लदेव, उतथ्य इव वाक्पते। उपेन्द्र इव चेन्द्रस्य, तेजपालोऽनुजः पुनः॥ २० ॥ सर्ग. १. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy