SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ६८] भारतीय विद्या [વર્ષ ૨ કઈ પણ સહાય ન મળી હોત અને તો તેને ભૂલી જવાથી વાપરી શક્યો ન હોત. (૩) અથવા તે વાપરનારે “દીધું” કદી સાંભળ્યો જ ન હોય. માત્ર “દે છે, “દેશે, દેવું” વગેરે સાંભળ્યા હોય. પણ આ ઉપરાંત તેણે “લેવું-લીધું પીવું – પીછું': કહેવું – કીધું” આ જાણીતા રૂપોની આવી વર્ગણી કરી રાખી હોવાથી, તેને આધારે તક્ષણ “દેવું” ના સંબંધે “દીધુ” ઘડી કાઢયું હોય. આમ આવી દરેક બાબતમાં સ્કૃતિ અને સજેનલક્ષી તરંગ (fancy) નો–સમૃતિદ્વારા પુનઃસર્જન અને સાહચર્યદ્વારા અભિનવ ઘડતરનો–કેટકેટલો ફાળો છે તેનો નિર્ણય કરવો ઘણીવાર મુશ્કેલ હોય છે. આમાંથી એક સત્ય એ ફલિત થાય છે કે અમુક બોલાયેલા રૂપની વાસ્તવિક સ્વરૂપ પઓળખ માટે “ભાષામાં તે પ્રચલિત છે?” અથવા “વ્યાકરણીઓએ તારવેલા ભાષાના નિયમોની સાથે એની સંગતિ છે ખરી ?” એવો પ્રશ્ન નહીં પણ “આ હમણાં વપરાયું તે રૂપ વાપરનારની સ્મૃતિમાં પહેલેથી જ હતું કે તેણે પહેલી જ વાર ઘડી કાઢયું છે, અને જો પહેલી જ વાર ઘડી કાઢયું હોય તો કયા સાથે ?” એવો પ્રશ્ન પુછા જોઈએ. કારણ, વાસ્તવિક ભાષા માત્ર બોલનાર વ્યક્તિમાં જ જીવંતરૂપે રહે છે, અને શાસ્ત્રીય અન્વેષણમાં પણ ભાષાને બોલનાર વ્યક્તિથી છૂટી પાડી શકાય નહિ. વ્યાકરણ અને કોષમાં વ્યક્ત થતી ભાષાને એટલે કે શક્ય હોય તેવા બધા શબ્દો અને રૂપોના સમૂહને – નગદ વાસ્તવિકતા ધરાવતી માની લેવી એ માત્ર એક ભાવાત્મક અમૂર્તતા (abstraction) છે એ વિસરી જવું –એ મોટી ભૂલ છે. રૂપતંત્રના પરિવર્તક બળ તરીકે સદશ્ય પણ આપણે વિષયાન્તર છોડી સાશ્યના કાર્યક્ષેત્ર પર જ આવીએ. ભાષા સમય જતાં જે ભૂમિકાઓ બદલે છે, તેમાં ધ્વનિવ્યાપારોની સાથે સાથે સાદ્રશ્યનું તત્ત્વ પણ પોતાને પ્રભાવ પાડી રહ્યું હોય છે. રૂ૫તંત્ર(morphology)ની કાયાપલટ મુખ્યત્વે સાદ્રશ્યને આભારી હોય છે. વૈદિક સમયની બોલીઓના સંકુલ વ્યાકરણ બંધારણની સરખામણીમાં પ્રાકૃતિનું બંધારણ ઘણું સાદું છે; પ્રાકૃતોની સાથે સરેખાવતાં અર્વાચીન ઉત્તર ભારતીય ભાષાઓ વ્યાકરણદ્ભષ્ટિએ વધારે સરળ ગણું શકાય તેવી છે. ભાષામાં વિપુલપણે વપરાતાં અંગોનાં રૂપોના સાદ્રશ્ય તેથી જુદા પ્રકારનાં અંગોનાં રૂ૫ ઘડાય છે, ને તેથી અપવાદો, વિવિધતા અને વિશિષ્ટતા દૂર થઈ એકરૂપતા પ્રવર્તે છે. સંસ્કૃતના મૂળમાં રહેલા બોલચાલના ભાષાસ્વરૂપમાં નામિક સકારાન્ત અંગોના બાહુલ્યને લીધે ઈતરસ્વરાન્ત અને વ્યંજનાન્ત અંગોનાં વધુ વપરાશમાં આવતાં રૂપો પણ નકારાન્ત અંગોના રૂપ પ્રમાણે થવા લાગ્યા. વિકરણ ૫ અને સ લેતા આખ્યાતની મોટી સંખ્યાને લીધે, ગણદ લુપ્ત થવા લાગ્યા. કાળ અને અર્થ ઉપર પણ સાદ્રશ્યનો પ્રભાવ પડ્યો અને રૂપાતંત્રમાં પૃથક્રિયાનું (analytical) તત્ત્વ વધ્યે જતાં ઉત્તરોત્તર સરળતા આવતી ગઈ પ્રાચીન ભારતીયઆર્યમાંથી મધ્ય ભારતીય આર્યનું અને તેમાંથી અર્વાચીન ભારતીય આર્યનું રૂપતંત્ર આ રીતે વિકસ્યું. દરેક ભાષાના ઇતિહાસમાં સાદ્રશ્યનો આવો પ્રભાવ નજરે ૩ પેપર્સન: Language, પા. ૯૪-૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy