SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ કા૨] રાજ્યનું સાણ [ પ્રાસ અને અનુપ્રાસ આપણે ઉપર જોયું તેમ એક શબ્દ બીજા અનેક શબ્દ સાથે વિવિધ સંબંધથી સંકળાએલો હેય છે. આથી એક શબ્દનો પ્રયોગ થતો હોય ત્યારે તેના કેટલાક સાથીઓ તેની પાછળ જ સ્મૃતિપટ પર તરી આવે છે. પ્રાસ અને અનુપ્રાસ પાછળ આવું ધ્વનિસાદ્રશ્ય કામ કરી રહ્યું છે. આવું સાદ્રશ્ય સ્મૃતિને જાળવી રાખવું બહુ સરળ પડે છે. એટલે તેના પ્રયોગનાં અનેક ઉદાહરણ આપણને મળી આવે. શાક્તોના પંચ મકાર (માંસ, મત્સ્ય, મુદ્રા, મદિરા, મૈથુન) લાલ, આલ ને પાલ, સુરતના ત્રણ નન્ના, વગેરેમાં આ જોઈ શકાય. કહેવતો કંઠસ્થ રાખવાની હોવાને લીધે કહેવતોમાં તો ધ્વનિસાદૃશ્યનું તત્ત્વ ખૂબ ઉપયોગમાં લેવાયું છે. સામાન્ય લોકમાનસને પ્રાસ-અનુપ્રાસને સારો શોખ હોય છે, એ પણ આમાં વધારેના કારણ તરીકે ગણાવી શકાય. “શિરા માટે શ્રાવક થવું” એ કહેવતમાં શ્રાવકોમાં સામાન્ય વપરાશનાં અને તેથી તરત યાદ આવે તેવાં શિરા” ઉપરાંત બીજા બેચાર મિષ્ટાન્નો હોય છે, છતાં શિરો જ કહેવત માટે યોગ્ય ગણવાનું કારણ એટલું જ કે “શ્રાવકના આકાર સાથે અનુપ્રાસ સાધે તેવો “શિરોજ છે. “છોકરાંની ટાઢ બકરાં ચરી જાય” એમાં ઈતર પશુઓ કરતાં “અકરાંની પસંદગી થઈ તેની પાછળ બકરાઓમાં ટાઢ ચરી જવાને કોઈ ખાસ ગુણ છે એવું નથી, પણ બીજા કોઈ સામાન્ય રીતે જાણીતા પશુના નામ કરતાં “બકરાંના ધ્વનિ “છોકરાં એ ધ્વનિસમૂહ સાથે બરાબર પ્રાસ મેળવવાનું કાર્ય સાધી શકે છે, એજ કારણ છે. ભેંસ આગળ ભાગવતમાં બીજા પ્રાણીઓ અને પુરાણો કરતાં “ભેંસ” અને ભાગવત” કહેવતકારની દૃષ્ટિએ એટલા માટે ચઢિયાતા છે કે તેઓ “ભ-ભ'નો પ્રાસ આપી શકે છે. આવા અનેક દાખલા ટાંકી શકાય. એ દરેકમાં શબ્દપસંદગી પાછળનાં નિર્ણાયક ધોરણમાં ધ્વનિસાદશ્ય એ પ્રાથમિક અગત્યનું ધોરણ છે. પ્રાસ-અનુપ્રાસ ઉપરાંત ભલેષ જેવા શબ્દાલંકારો પણ સાદ્રશ્યને લીધે જ સંભવિત બને છે. પ્રસ્તુત વિષયને વ્યક્ત કરવાને યોજાયેલો શબ્દ જે ધ્વનિ, રૂપ કે અર્થના સાદ્રશ્ય કે સાહચર્યથી બીજા કોઈ શબ્દ કે અર્થ સાથે સંકળાએલો ન હોય તો પ્રસ્તુત ઉપરાંત અપ્રસ્તુતનું સૂચન થવાનો સંભવ જ ન રહે અને પરિણામે ચમત્કૃતિ પણ ન ઉપજે. “શકુન્તલાવી”માં “શકુન્તલાના કેટલાક ધ્વનિ સાથે “શકુન્ત” એ અવનિસમૂહનું સાદ્રશ્ય હોવાથી જ શકુન્તલાવી” ને “શકુન્તલા આવી આપણને કુરે. “ફરીયાદ” સાથે “ફરી” અને “યાદ” આપણા શબ્દબિબોના ભંડારમાં વર્ગ બંધુઓ તરીકે સંઘરાએલા હોય તે જ બે અર્થની શક્યતા. લૌકિક વ્યુત્પત્તિ અને અહીં આપણે લૌકિક વ્યુત્પત્તિ(folk-etymology)ના પ્રદેશ પાસે આવી પહોંચીએ છીએ. જેમ શ્લેષના એક પ્રકાર સભંગ ક્ષેષ (“શકુન્તલાવી)માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy