SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ६२] भारतीय विद्या [ સર્વર વિજય પ્રાપ્ત કર્યો હતો. કાશ્મીર અને તેનાં પાડોશી રાજ્યો નન્દને આધીન હતાં. આ ઐતિહાસિક ઘટના પ્રમાણે કાલાશોક-નન્દિવર્ધનના સામ્રાજ્યની સીમામાં અપ રાન્ત- ગુજરાતનો સમાવેશ થતો હતે. કાલાક-નન્દિવર્ધન પછી તેનો પ્રતાપી પુત્ર મહાનદિ મગધની ગાદીએ આવ્યો. (ઈ. સ. પૂ. ૪૦૯-૩૭ અંદાજી) એનો વારસદાર પુત્ર નિર્બળ હતો. એ પછી અભિભાવક મહાપા મગધ સામ્રાજ્યનો સત્તાધીશ થયો. પુરાણે એને ક્ષત્રિયોને ઘાતક અથવા બીજો પરશુરામ કહે છે. એ પછી નવનન્દ (નવા નન્દો) થયા. આ નવા નન્દોના છેલ્લા નન્દની સત્તાનું પતન કરી માયે (મોરિય) ચંદ્રગુપ્ત મગધ સામ્રાજ્યનો સ્વામિ થયો. મૌર્ય સત્તાના ઉદયે ગુજરાત પણ મૌર્ય સામ્રાજ્યની છત્રછાયામાં ગણાયું. મગધની સંસ્કૃતિ અવન્તિ જનપદે સ્વીકારી, અવનિ ઉજજનની સંસ્કૃતિસંસ્કારિતા અપરાન્ત-ગુજરાતમાં પ્રસરી. એ પ્રમાણે ઈશુની પૂર્વેના પાંચમા છઠ્ઠા સૈકાના પ્રાચીન ગુજરાતના ઇતિહાસની ભૂમિકાનું સર્જન ઉજન-અવન્તિ જનપદ પુરૂ પાડે છે. * Pargitor "Dynasties of the Kali ago' pp. 25, 69. Smith: Early His. of India. p. 41. Raychaudhari p. 40. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy