SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ સાદિરશે (ANALOGY) રંe છે. – શ્રીયુત રિવ સાવાળા, મું. . - : * I ભાષાનું સંકુલ સ્વરૂપ વાણી અને વિચાર વચ્ચે રહેલા સંબંધની તપાસ કરતાં એક વસ્તુ તરત જ આપણું નજરમાં આવશે કે આપણું ચિતંત્ર અસંખ્ય અને અનેકવિધ વ્યાપારો અને વૃત્તિઓના ભંડાર જેવું છે, જ્યારે જેની દ્વારા આ ચિતંત્રના વ્યાપારો વ્યક્ત કરવાના છે, તે ભાષા પાસે પ્રમાણમાં ઘણાં પરિમિત સાધનો હોય છે. આ અસમાનતાને પહોંચી વળવા માટે– મનોવ્યાપારોની સંકુલતા ઉચિતપણે વ્યક્ત કરવા માટે-સ્વાભાવિક રીતે જ ભાષાને પોતાના ઝીણામાં ઝીણાં તત્ત્વોનો પણ અર્થસૂચકપણે ઉપયોગ કરવો પડે છે. પરિણામે મનોવ્યાપારોમાં જે સંકુલતા રહેલી છે તે ભાષાકીય ઘટનાઓમાં પણ અમુક પ્રમાણમાં પ્રતિબિંબિત થાય છે. આ હકીકત બતાવે છે કે પહેલી નજરે પણ કંઈક અટપટી દેખાતી ભાષાકીય ઘટનાઓ તેમના ખરા સ્વરૂપમાં તો ખુબ જ ગૂંચવણભરી હોવી જોઈએ અને આપણે કોઈ પણ ભાષાના અર્વાચીન સ્વરૂપને ભાષાસામગ્રીનાં જુદી જુદી ભૂમિકામાં થયેલા રૂપાંતરોની તુલના કરી ઐતિહાસિક દ્રષ્ટિએ છણીએ છીએ ત્યારે તે આપણને ભાષાના સ્વભાવમાં રહેલી આ સંકુલતાની પૂરી પીછાણ થાય છે. આથી આપણે સમજી શકીએ કે પ્રાચીન ભાષાઓના અભ્યાસીને આ દ્રષ્ટિએ કેટલા જાગ્રત રહેવાની જરૂર છે. મૂળ ભાષાના બોલાતા સ્વરૂપના માત્ર ગણતર લિખિત અવશેષો સાથે તેને કામ કરવાનું હોય છે, અને આ અવશેવોની દરિદ્રતા, કોઈ પણ વર્તમાન બોલાતી ભાષાની અનર્ગળ સમૃદ્ધિની સરખામણમાં તદ્દન ઉઘાડી છે. બીજી રીતે કહીએ તો, પ્રાચીન ભાષાના અભ્યાસીને ઝીણીમોટી અસંખ્ય ભાષાકીય ઘટનાઓથી ઊછળતા, જીવન્ત બેલચાલની ભાષાના મહાસાગરને બદલે લિપિના કાંઠાથી મર્યાદિત, મૃત વાસ્મયિક ભાષાનું બંધિયાર ખાબોચિયું તપાસવાનું શ્રેય છે. તેથી તેને આધારે તે જે નિર્ણય બાંધે છે, તેમાં ખાસ સાવચેતીની જરૂર રહે છે. ભાષાશાસ્ત્રમાં સદશ્યના સિદ્ધાન્તનો પ્રવેશ અને એક રીતે અર્વાચીન ભાષાશાસ્ત્રના ઈતિહાસમાં સાદ્રશ્યના તત્ત્વની ઓળખ અને સ્વીકાર આ હકીકતની સાખ પૂરે છે. ઈસવી ઓગણીશમી સદીનો આરંભ એ અર્વાચીન ભાષાશાસ્ત્રીય અભ્યાસને ઉષ:કાળ. ભાષાના સ્વભાવની હજી ઉપરછલ્લી જ પીછાન થઈ હતી. ભાષા પર અસર કરતાં બળોની હજી માત્ર થોડી થોડી ઝાંખી થઈ હતી. સંસ્કૃત, અવેસ્તા, ગ્રીક, લેટીન, સેલ્ટી, ટયુટોની, ફ્લાવોની વગેરેના તુલનાત્મક અને ઐતિહાસિક અભ્યાસને પરિણામે, ભાષાઓનું સ્વરૂપ બદલવામાં ધ્વનિ * ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનના ચૌદમા અધિવેશનના ભાષાશાસ્ત્ર વિભાગ માટે રજૂ કરાચેલો નિબંધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy