SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૮] મારતી વિદ્યા [હિર સુધી ધર્મભાવનાની જ્યોતિ પ્રગટાવવા કટીબદ્ધ થવું પડયું હતું. ઉજજનન સંસર્ગે ગુજરાતમાં બૌદ્ધ ધર્મ વ્યાપક બન્યો. વિનયમાં નિર્દેશેલા મન્જિમદેશની સીમાથી પશ્ચિમ ભારત દેશ દૂર હતો, પણ રાજકીય, વ્યાપારી અને ધાર્મિક સંરકૃતિએ સંધાયેલો હતો એમ ઈતિહાસ અને ભૂગોળ તવારીખનો સમન્વય કરતાં જણાય છે. ડૉ. ઓલ્ડનબર્ગે કેટલાક ધાર્મિક ગ્રન્થોને આધારે બૌદ્ધ ધર્મ પ્રાદેશની સીમામાં જ પ્રવર્તમાન થયો હોવાની મર્યાદા બાંધી હતી પણ નલીનક્ષ દત્તના અભિપ્રાયને માન્ય રાખતાં બૌદ્ધ ધર્મ પ્રાય દેશની સીમા વટાવી પઐતિમ જનપદોમાં ઉજન, અપરાન્ત, –ભરૂચથી સોપારાસુધી બુદ્ધના ઉપદેશનો સંચાર થયો હતો એમ નિકાય ગ્રન્થોથી ફળે છે. આમાંના ઘણા નગરોમાં ચૈત્ય અને વિહારોની સ્થાપના અને ભિખુ સમુદાય સ્થાયી થયો હોવાનો ઉલ્લેખ મળે છે; ઈ. સ. પૂ. ૫૪૪. અપરાન્તમાં યાને ગુજરાતમાં બૌદ્ધ ધર્મના ઉપદેશનો પ્રચાર કરનાર અપરાન્તનો સોન્ન કુટિકન્ન હતો. પ્રેરણા મહાકચ્ચાયનની હતી. અપરાન્તનો સાધુ સમુદાય ધૂત વાદીન– આરત્રક ભિખુવાદનો અનુયાયી હતો. ધૂતવાદનો પ્રણેતા મહાકસપ હતો. ધાર્મિક ગ્રંથોની સાંકળ ગૂંથતા ફળે છે કે ગુજરાતે બૌદ્ધ ધર્મનો ઉપદેશ સ્વીકાર્યો હતો પણ તે સંદેશ સૌરાષ્ટ પહોંચ્યો હોય એમ જણાતું નથી. સાત્વત વૃષ્ણિઓનું એ જનપદ સ્વતંત્ર હતું. મૌર્યયુગમાં લાટ, સૌરાષ્ટ્ર અને આનર્ત એમ ત્રણ વિભાગે ઓળખાતું પ્રાચીન ગુજરાત, બુદ્ધના સમયમાં સૌરાષ્ટ્ર અને ગુજરાત (લાટ અને આનર્ત)માં વિભક્ત હોય એમ જણાય છે. લાટ, સૌરાષ્ટ્ર અને આનર્ત એ મૌર્ય યુગમાં પુરાતન ગુજરાતના નામનો ઉદ્ભવ થયો હોય એમ સંભવે છે. મૌના શાસનયુગમાં અથવા સમ્રા અશોકના સમયમાં વર્તમાન ગુજરાતમાં બૌદ્ધ ધર્મ વ્યાપક બન્યો હતો એમ અશોકના જૂનાગઢના શિલાલેખથી અને બાવાયારાની જૂની બૌદ્ધ ગુફાંથી ફળે છે. કાઠિયાવાડ સિવાય ગુજરાત તળમાં બૌદ્ધ ધર્મના અવશેષ - એ ધર્મ કેવા સ્વરૂપમાં પ્રચારમાં હતો તેવા અવશેષ મળ્યા નથી. પ્રીયદર્શી અશોકના સમયમાં ભરૂચ ભુગુકચ્છના સંઘારામનો અધિષ્ઠાતા સુદર્શન હતો. ભગવાન બુદ્ધના જીવન કાળમાં પ્રગતિમાન થયેલો ધર્મ, ઈશુના આઠમા-નવમા સૈકા સુધી ગુજરાતના રાટોના અમલ દરમ્યાન એક યા બીજા સ્વરૂપે પ્રચારમાં હતો એમ કકક સુવર્ણવર્ષ અને ધવરાજ બીજાના શક સંવત ૭૪૬ અને ૮૦૬ ના તામ્રપત્રોથી ફળે છે. ચીની પ્રવાસી હયુએન સંગના પ્રવાસ ગ્રન્થ સી-ચૂકી થી ફળે છે કે સોરઠ, લાટ અને સિંધમાં થેરવાદ સંપ્રદાયના અનુયાયી હતા. ઇતિહાસની પૂર્તિ અવન્તિ–ઉજજનનો ચડપ્રદ્યોત મૃત્યુ પામ્યો; ઈ.સ.પૂ. ૫૪૪. (શ્રી. પ્રધાન પ્રાચીન હિદની વંશાવલી- Chronology of Ancient India માં પ્રદ્યોતના રાજવર્ષ ઈ. સ. પૂ. ૫૧૪-૪૯૦ વાયુ અને મત્સ્ય પ્રમાણે આપે છે.) એ ૨૮ ઈન્દ્રિય અને સરભંગ જાતક. સારસંગ જાતમાં સૌરાષ્ટ્રનો ઉલ્લેખ છે. આ કથા ઘણું કરીને મૌર્ય ચાની હોય એમ મનાય છે. જુઓ લેખકનો-ગુજરાતના રાષ્ટ્રકટો” નામનો લેખ, ગુજરાતી પત્ર સં.૧૯૨ નો દીવાલી અંક પૃ. ૧૩૪, તેમજ પ્રસ્થાન-૫. ૧૯ અંક ૫ સે. ૧૯૯૧ પૃ. ૪૦૫, માં લેખકનો ‘ગુજરાતના ધ્રુવરાજ બીનનું દાનપત્ર' એ નામનો લેખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy