SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ५६] भारतीय विद्या [રૂ શબાઈ લિપિ ભારતીય લિપિમાંથી અવતરણ પામી છે અને વધુમાં કહે છે કે ભારત નિવાસીઓ પોતાની લિપિ સોળ સો માઈલ દૂર પૂર્વમાં જાવામાં લઈ ગયા એજ પ્રકારે પશ્ચિમમાં લઈ ગયા છે. મીસર અને શબાને પરસ્પર સંબંધ ઈ.સ. પૂ. ૨૦૦૦થી તથા ભારત વર્ષનો અને શબાનો ઈ. સ. પૂ. ૧૦૦૦ થી નિશ્ચિતરૂપથી માનવાને કારણ મળે છે એમ પંડિત જયસ્વાલ જણાવે છે. વિનય, દિવ્યાવદાન” અને “જાતક કથાઓના ઉલ્લેખથી ફળે છે કે ભરૂચ બંદરની વ્યક્તિગત પ્રાચીનતા અને વ્યવસ્થા-વ્યાપારી વહેવાર – જનપદ યુગમાં ચાલુ હતો. ભરૂક૭ પટ્ટણ-તીર્થ- વ્યાપારનું કેન્દ્ર હતું. વારાણસી- કાશી, સાવOી વગેરેથી વ્યાપારી કાફલાનો રાજમાર્ગ સળંગ હોવાથી સોદાગરો ઉજ્જન થઈ ભરૂચ બંદરે આવતા હતા. પશ્ચિમના બંદરેથી બારૂ-બેબિલોન, રાતા સમુદ્ર અને નાઈલ (નીલ)દ્વારા ભૂમધ્ય સુધી સોદાગરી વહાણે સફર કરતા હતા. સુવર્ણ ભૂમિ અને ભરૂચ વચ્ચે પણ સાગર વહેવાર ચાલુ હતો. તામ્રપણિ–સિંહલ (લકા) એ યુગમાં પ્રગતિમાન અથવા સમૃદ્ધિવાન થયું હોય એમ જણાતું નથી. ઉજજન અને ભરૂચ રાજકીય અને વ્યાપારિક દૃષ્ટિએ સંધાયેલા હતા. પ્રથમ બૌદ્ધ ધર્મનો ઉપદેશ ઉર્જાને સ્વીકાર્યો; એ પછી અપરાન્ત, ભરૂચ અને સોપારામાં ધર્મ ચક્ર પ્રવર્તનની જ્યોત કેમ પ્રગટી તે જોઈએ. ગુજરાતમાં બૌદ્ધ ધર્મ: બૌદ્ધ ધર્મનું કેન્દ્ર મગધ હતું. સંઘનો વિશાળ ભિખુ સમુદાય પ્રાચ્ય દેશમાં હતો. “દીઘનિકાયના પરિનિખાણ સુત્ત (સૂત્ર) વગેરે ગ્રંથોમાં પ્રાચ્ય દેશની હકીક્ત મળે છે. આ સાહિત્ય સંપત્તિના આધાર ઉપરથી બૌદ્ધ ધર્મના અભ્યાસી ડૉ. ઓલ્ડનબર્ગે બુદ્ધ ધર્મનું ક્ષેત્ર પ્રાચ્ય દેશ હોવાનો અભિપ્રાય અંકિત કર્યો હતો. જ્યારે નિકાય ગ્રન્થોને બારીક અભ્યાસી નલિનાક્ષ દત્ત જણાવે છે કે બુદ્ધ ભગવાને પ્રાચ્યદેશની સીમાની મર્યાદા વટાવી પશ્ચિમમાં વેરંજા (Veranja), મધુરા (Madhura = મહોલી) અને ઉત્તર કુરૂના નગરો સુધી વિહાર કર્યો હતો એમ નિકાય ગ્રન્થોથી ફળે છે. આ હકીકતના સાધનમાં તેઓ લખે છે કે બૌદ્ધ સંઘમાં પ્રાધ્ય દેશને સાધુ સમુદાય ઉપરાંત પચંતિમ જનપદ (Pageantim Janapada or Border Countries)-સીમાંત જન પદના ભિક્ષ પ્રવિણ થયેલા હતા. બૌદ્ધોના મઝિમદેશની સીમાંત ઉપરના દેશો પતિમ જનપદ કહેવાતા એમ બૌદ્ધ સાહિત્યમાં નિર્દેશ છે. સંકસ, અવન્તિ, ગાંધાર જેવા દેશો પઐતિમ જનપદમાં કનિંગહામે ચોખું લખ્યું છે કે બાઈ લિપિ બ્રાહ્મીલિપિમાંથી જ નીકલી છે (પ્રાચીન ભારતના સિક્કા પૂ. ૪૦). જયસ્વાલ અને ઓઝા આ મત સ્વીકારે છે કે બ્રાહ્મી લિપિમાંથી સામી અક્ષરોની ઉત્પત્તિ હોવાનો સંભવ છે. ભા. ઈ. રૂ. પુ. ૧, ખંડ ૨, ટિ. ૧૪, પૃ. ૨૭૬૭. “ભારતીય વર્ણમાલાનો ઉદભવ. આ અભિપ્રાય હજુ મતભેદનો છે એમ જયચંદ્ર વિદ્યાલંકાર જણાવે છે. ૨૧ મહાજનક જાતકી, પર૯. ૨૨ ‘બરૂ જાતક', ૩૩૯. - ૨૩ “સુસેન્દ્રી જાતક મઝિમ નિકાય ૧, પૃ. ૫૫, - ૨૪ મધુરા = મશુરાની દક્ષિણ – પશ્ચિમે પાંચ માઈલ મહોલી છે તે. (Maholi ) C. E, B, By Law pp. 20–21. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy