SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ સંવ૨] गुजरातमा बौद्धधर्मनो प्रचार [५५ અને સપ્રમાણ નિબંધ આલેખન કર્યો છે. પંડિતજીના મત પ્રમાણે ખૂરમાલ સમુદ્ર એ વર્તમાન ફારસની ખાડી યાને ઈરાનનો અખાત છે. એના તટ ઉપર બાબુલીબેબિલોનિયન પ્રજાને નિવાસ હતો. એ લોક પોતાના દેવ-સંસ્કૃતિના વિધાતા મસ્ય માણસને માનતા અને પૂજતા હતા. ખર એક બાબુલી દેવતા કહેવાતો, જેનું નામ અભિલેખોમાં રાજા ખખ્ખરાબી મળે છે (ઈ. સ. પૂ. ર૨૦૦ અંદાજ). દધિમાલ એ રાતો સમુદ્ર જેના નીરમાં મોટી ચીકાશ વાલી ચીજ તરતી હોવાને કારણે અને તેના રંગીત પ્રકાશ ઉપરથી આ નામ ઉદ્ભવ્યું લાગે છે. અગિમાલ એ રાતા સમુદ્ર અને એડન વચ્ચે સોમાલી તટ આગળને સમુદ્ર. જાતક કથામાં કુશમાલીનો નિર્દેશ છે તે નીલકશતિન નામ યોગ્ય હોય એમ લાગે છે. આ ઉપરથી નીલ નદી (વર્તમાન નાઈલ નદી)ની નિકાસને દેશ અને કુશ દ્વીપને તટ સમુદ્ર માનવાનું કારણ મળે છે. પુરાણોમાં કુશ દ્વીપમાંથી નીલનદીની ઉત્પત્તિ માનેલી છે, એ આધારે વર્તમાન બિયાને કુશ દ્વીપ માનવો જોઈએ. પુરાણોના વર્ણન અનુસાર કપ્તાન સ્પીકે નીલ (નાઈલ) નદીને નિકાસ યાને મુખની શોધ ખોળ કર્યાની હકીકત જાણીતી છે. આ પ્રદેશમાં કુશ લોક રાજ્ય કરતા હતા. આ વિગતો જોતાં નૂબિયાનું પુરાતન નામ ફશદ્વીપ હોવાનું સંભવે છે. કુશ પ્રજાને રાજ્ય કાળ ઈ.સ. પૂર્વે ૨૨૦૦ – ૧૮૦૦ માં હતે એમ તેઓના અભિલેખોથી સિદ્ધ થયું છે. એ ઉપરથી કુશમાલી તે કુશદ્વીપ કહી શકાય. નળમાલ એ નહેરોની પરંપરાનો પ્રદેશ અથવા સાગર તટ. પ્રાચીન કાળમાં સ્વેજની નહેરની માફક એક નહેર રાતા સમુદ્ર અને નાઈલ નદીને જોડતી હતી. આ નહેર ઈસુની પૂર્વે ૧૩૯૦ સુધી અસ્તિત્વમાં હતી. ઈસવી સન પૂર્વેની પહેલી સદીથી ઈ. સ. પૂર્વે ૬૦૯ સુધીની તવારીખ તપાસતાં આ નહેર અદ્રશ્ય થઈ હોવાની ખબર પડે છે. વલભા મુખ એ જ્વાલામુખી સમુદ્ર. જયસ્વાલના અભિપ્રાય પ્રમાણે એને અર્થ ભૂમધ્યસાગર ને પૂર્વ વિભાગ કહી શકાય. લિપિ નિષ્ણાત પંડિતની શોધ ખોળના પરિણામે પ્રાચીન ભારતવર્ષ અને બીજા દેશોની લિપિનો ઉદ્દભવ કેમ થવા પામ્યો એ બાબતના તેના અભિપ્રાયના દેહનમાંથી ૫. જાયસ્વાલ ભારતીય અને શબાઈ (શેબા=વર્તમાન એમનનું પ્રાચીન નામ જ્યાંની લિપિ દક્ષિણ સેમેટિક સામીનો એક ભેદ ગણાય છે) લિપિઓની સામ્યતા ઉપરથી બન્ને દેશ વચ્ચે પ્રાચીન કાળમાં સંપર્ક હોવાનું માને છે. ઘણા વિદ્વાને આ લિપિ ઉલટા સ્વરૂપમાં લિપિ બદ્ધ થઈ હોવાનું માને છે. કનિંગહામના કથન પ્રમાણે 98 Journal of Bihar and Orissa. Reserch Society, 1920, pp. 139 ff. ભા. ઇ. રૂ. પુ. ૧, ખંડ ૧, ટિ. ૧૮, યુ. ૪૮૪-૮૫ “પ્રાબુદ્ધ ભારતના પશ્ચિમી જગત નો સંપર્ક'. ૨૦ “કોઈન્સ અોફ એશિયન્ટ ઇન્ડિયા’(પ્રાચીન ભારતના સિક), પૃ. ૩૯, ૧. ઇ. સ. પૂ. ૧૪૦૦ સુધી સેમેટિક લિપિનું અસ્તિત્વ ન હતું પણ ઈ. સ. પૂ. ૯૦૦માં આ લિપિ આસ્તત્વમાં હતી એમ ખબર પડે છે, એ જોતાં ઈ. સ. પૂ. ૧૨૦૦ – ૧૧૦૦માં આ લિપિની શરૂઆત થઈ. કાના (ઉત્તર સેમેટિકનો એક ભેદ)ની લિપિથી શેખાઈ લિપિ અધિક પૂરાતન છે. શબાના પાડોશી હશે- એબિસિનિયાઇથિઓપિયાની ગીય લિપિ શેખાઈને મળતી છે. આ લિપિના ઐતિહાસિક અને પ્રામાણિક નિષ્ણાત લેસિયસે ચોક્કસ અભિપ્રાય આપ્યો છે કે આ લિપિઓ ભારતીય પદ્ધતિની છે. ટેલરે (આલ્ફાબેટ, પૂ. ૨, ૫. ૩૧૫) જેઓ સેમેટિકમાંથી બ્રાહ્મી લિપિ ઉભવી છે તે માનનારના અભિપ્રાયના જવાબમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy