SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ५४ ] भारतीय विद्या [વર્ષ ૨ કરી છે. આમાં ઘણી ઘણું કથાઓ પ્રાચીન છે. તેમાંની કેટલીક બુદ્ધના સમયની અને કેટલીક તો તેથીયે ઘણી પ્રાચીન છે. જાતકમાં ગાથા કે સૂત્ર રૂપે છે તે પ્રાચીન છે. ઈસુની પૂર્વના પહેલા સૈકામાં સિંહલના રાજા વગામીએ જાતક કથાનો સંગ્રહ લેખનમાં ઘટાવ્યો એમ સિંહલ ઇતિહાસથી ફળે છે. ભૌગોલિક: આ જાતક સંગ્રહમાં પ્રાચીન ભારૂ જાતક નામની કથા મળે છે. “પ્રી બુદ્ધિસ્ટ ઈન્ડિયા યાને પ્રારબદ્ધ કાલીન ભારત ગ્રન્થમાં શ્રી. રતિલાલ મહેતાએ જાતક કથાનકના યુગના અંદાજ બાંધ્યા છે. તેમાં ઈ. સ. પૂ. ૨૦૦૦ થી ૧૪૦૦ના અંદાજી યુગમાં “ભારૂ જાતકની કથાનો યુગ આલેખ્યો છે. ભૃગુ શબ્દનું પાલી રૂપાન્તર ભારૂ થાય છે. તેમાં ભારૂ રાજાની કથા છે. અને એ ભારૂકચ્છ કથામાં ભરૂચ નગરના અસ્તિત્વ અને લયની હકીક્ત આપેલી છે. ભારૂ જાતક કથાનો અંદાજ યુગ સ્વીકારી લઈએ તે એ યુગમાં ભરૂચ નગર અસ્તિત્વમાં હતું એમ માનવાને કારણ મળે છે. આવી જ બીજી એક પુરાતન “સુપારક જાતકકથા છે જેમાં આપણે પૂર્વજ આર્ય મહાજનોને ભૌગોલિક જ્ઞાનનું દિગ્દર્શન થાય છે. તદુપરાંત ભરૂચ નગરની પ્રાચીન નતાની હકીકત પણ પ્રાપ્ત થાય છે. દ કાળમાં, ઉત્તર વૈદિક કાળમાં અને ઉપનિષદ યુગમાં આર્યાવર્તને દુનિયાના બીજા દેશો જેઓ વ્યાપારી અને રાજકીય સંબંધ કેવો હતો એના કેટલાંક પ્રામાણિક દૃષ્ટાંતો અને બીજા દેશોના પ્રાચીન અવશેષોથી ફળે છે. ભૌગોલિક વહેવાર બાબત “સુપારક કથાની ઇતિ વલ્થ આ પ્રમાણે મળે છે – “ભરૂચ બંદરેથી સાત સો વેપારીઓ એક વહાણમાં અંધ સુપારક (અંધ બોધિસત્ત્વ)ને પોતાને નિયામક નિયુક્ત કરી મહાસમુદ્રોના પર્યટને નીકળ્યા. તેઓ (૧) ખમાલ સમુદ્રમાં આવી પહોચ્યા. આ સાગરમાં “સી” નાકવાલી મોટા આદમીના કદ જેવડી માછલીઓ ડૂબકીઓ મારતી હતી, જ્યાંના જળમાં હીરા હતા; (૨) પછી અગ્નિમાલ સમુદ્રમાં આવ્યા, જ્યાં આગની જ્વાલા અને મધ્યાહના સૂર્ય જેવા નીર ચમકતાં હતાં અને જળ સોને ભરેલાં હતાં; (૩) એ છોડી દધિમાલ સમુદ્રમાં આવ્યા, જ્યાં દૂધ અને દહીં જેવા જળ અને ગર્ભમાં ચાંદી હતી; (૪) પછી કુશમાલ સમુદ્ર આવ્યો જેના પાણીમાં નીલ આર્માની પુષ્કળ નીલમ પાક્તા હતા; (૫) પછી આવ્યો નળમાલ સાગર જ્યાંના પાણુ માણેક જેવા ચમકતા અને જેમાં માણેક ભરેલા હતા; (૬) અંતે તેઓ વલભા સમુદ્રમાં આવી પહોચ્યા જ્યાંનો સાગર અતિ તોફાની, ગંભીર અને તેને પાણી ઘોર સ્વર કરતા હતા; પાણીની છોળો સપાટીથી ગગને ઉછલતી હતી. સમુદ્રમાં પ્રવાસ કરવાનું એટલું જોખમી અને અસહ્ય હોવાથી સોદાગરો ગભરાઈ ગયા. બોધિસત્ત્વની સચ્ચ કિરિયાથી – સત્યક્રિયાથી તેઓ પાછા સહી સલામત ભરૂચ બંદરે આવી પહોચ્યા (જાતક કથા ૪૬૩). આ કથાનક સંબંધમાં સ્વ. પંડિત જયસ્વાલે સુપારક કથામાં વર્ણવેલા સાગરોની ઓળખ અને પ્રાચીન ભારતનો વિદેશ જોડેનો સંપર્ક કે વિશાળ હતું એ વિષે સુંદર ૧૮ “દિવ્યાવદાનમાં પ્રેક નગરનું પતન અને ભીરૂ-ભિગુ- ભરૂ-કચ્છ નગર વસાવ્યાની હકીકત છે. દી, વ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy