SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ અંત્ત ૨ ] ગુલાતમાં વૌધર્મનો પ્રચાર [૧૨ – ૧૩ ઔદ્ધોના પુરાતન સાહિત્યમાં સૌરાષ્ટ્ર નામનો ઉલ્લેખ મલતો નથી. મધ્ય દેશથી અપરાન્ત-સૌરાષ્ટ્ર ઘણા દૂર હતાં. એ જમાનો બુદ્ધિવાદનો અને પરિવર્તનનો હતો. મધ્ય ભારત એનું કેન્દ્ર હતું. પૂર્વ પ્રદેશની સંસ્કૃતિ, સંસ્કારિતા અને સભ્યતા, ગુજરાત – કાઠિયાવાડમાં પહોચ્યા હોય એમ જણાતું નથી. સ્થિતિચુસ્ત બ્રાહ્મણોનો અધિકાર સમાજ ઉપર હોય એમ જણાય છે. માનવ જાતના વર્ગીકરણ થયા હતા પણ વિશાળ સમૂહ નાગ જાતિનો હતો. પશ્ચિમ સાગર તટના એક બેટમાં વૃષ્ણુિઓએ સભ્યતા પ્રગટાવી હતી, પણ પેરીપ્લસ ઓફ ધી યુરેથ્રીયન સી' પ્રમાણે સૌરાષ્ટ્રમાં કદ્દાવર શરીરવાલા કાલા રંગના માનવી–કેટલાક વિદ્વાનો પ્રમાણે આહીરની આભીરજાતિ નિવાસ કરતી હતી (ઈ. સ. ૮૦).૪ અપરાન્ત અથવા મધ્ય દેશના વહેવારથી સૌરાષ્ટ્ર સંધાયેલું હોય એમ જણાતું નથી. મૌર્યોના સમયમાં સૌરાષ્ટ્ર પ્રગતિમાન બન્યું એમ અશોકના શિલાલેખથી, ઉપરકોટના ગુફાવિહારોથી ફળે છે. જાતક કથામાં – ઇન્દ્રીય જાતક’માં સુર· જનપદનો ઉલ્લેખ છે, સારભગ જાતક'માં સોરઠને સીમાડે સતોદીક નદી વહેતી હતા એમ નિર્દેશ મળે છે. પૂર્વ નન્દ યુગમાં પંજામથી સૌરાષ્ટ્ર અને વિદર્ભ સુધી સ્વતંત્ર સંઘરાષ્ટ્રોનું વર્તુલ હતું એમ જયચંદ્ર વિદ્યાલંકાર જણાવે છે.૧૫ આ સંજોગો જોતાં અપરાન્તથી સૌરાષ્ટ્ર જૂદું હોય એમ સંભવે છે. યુદ્ધ ભગવાનના નિર્વાણ પહેલાં યુદ્ધના ઉપદેશનો પ્રચાર સૌરાષ્ટ્રમાં પહોંચ્યો ન હતો એમ નિકાય ગ્રન્થોથી ફળે છે. નિકાય ગ્રન્થમાં અવન્તિ જનપદનું નામ મળે છે. જાતકની પ્રાચીન સંગ્રહીત ગાથામાં ભારૂકચ્છ ॰ – ભરૂચની હકીકત મળે છે. પાલી વાડ્મયમાં જાતક કથા એક જા હું સાહિત્ય છે અને તેમાં બુદ્ધ ભગવાનના અર્થાત ખોધિસત્ત્વ સાથે સંબંધ ધરાવતી, બુદ્ધના જન્મ જન્માંતરની કથાઓ આપેલી છે. હિંદુઓમાં અવતારની માન્યતા છે તેમ ઔદ્ધોમાં ોધિસત્ત્વની માન્યતા છે. જાતક કથાઓની સંખ્યા ઘણી છે અને તેમાંની બધી કથા યુદ્ધના પૂર્વ જન્મ કે જીવન જોડે સંબંધ ધરાવતી નથી, પણ અતિ જૂના કાળમાં જજૂદી જૂદી જાતની લોક કથા કે લોક વાર્તા લોકોમાં પ્રચલિત હતી; તેમાંથી યુદ્ધના જીવન જોડે કોઇને કોઈ રીતે સંપર્ક સાધી કથાકારોએ અને સંગ્રહકારોએ સંકલિત ૧૩ વાહિકની દક્ષિણે સૌરાષ્ટ્રમાં અન્ધક-વૃષ્ણિઓનું ( સાત્વત – યાદવોનું ) દ્વિરાજન્ય હતું. (વાહીક = વર્તમાન પુજાબ – સિન્ધ ), સાત્વત રાષ્ટ્ર – સંધમાં એક સાથે એ રાજન્ય (મૂખિયા) ચુંટવાની પ્રથા હતી; અને પ્રત્યેક રાજન્ય એક એક વર્ગ (શાખા)નો પ્રતિનિધિ ગણાતો. મગધ સામ્રાજ્યની પશ્ચિમે પંજાબથી સૌરાષ્ટ્ર અને વિદર્ભે સુધી સ્વતંત્ર સ્વરાજ્યોનો એક ઘેરાવો હતો. પૂર્વનન્ત્ર યુગમેં વાહિક ( પંજાબ – સિન્ધ ) ઔર સુરાષ્ટ્ર કે સંધરાષ્ટ્રો' ‘ભારતીય ઇતિહાસકી રૂપરેખા', પુ. ૧, ખંડ ૩, - પ્ર. ૧૨, પૃ. ૪૧૪-૪૧૬. ૧૪ જીઓ લેખકનો લેખ ગુજરાતના પ્રાચીન કિનારાની ભૂગોળ' ખારમું સાહિત્ય સંમેલન, ઇતિહાસ વિભાગ, પૃ. ૫૬. ૧૫ ભા. ઇ. રૂ. પુ. ૧, પૃ. ૪૧૬, ૧૬ ‘અંગુત્તર નિકાચ’. ૧૭ ‘ભારૂાતક સુરગેન્દ્રીજાતક’, ૩૬૦. ‘સુખારક જાતક’, ૪૬૩, ‘તિક’, પુ. ૩, ૧૮૯,૧૯૦, ગાથા ૫૭. પુ. ૪, ૧૩૭,૧૩૮,૧૩૯; ગાથા ૧૦૬,૧૪૦,૧૦૮,૧૧૦,૧૧૪,૧૧૬,૧૪૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy