SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ કર] મારતીય વિદ્યા [वर्ष ३ તે ગર્વ ધરાવતો હતો, એથી ઇતિહામાં એને મહાસેન બિરૂદ મળેલ છે. ઐતિહાસિક લોકકથા પ્રમાણે વત્સ દેશના રાજનગર કૌશામ્બી (અલ્હાબાદ જીલ્લાનું કોસમગામ)ના રાજા ઉદયનના શ્વસુર તરીકે તે જાણીતો છે. એની પુત્રી વાસુલદત્તા-વાસવદત્તા ઉદયન વેરે પરણું હતી. મહાન પ્રદ્યોતથી પાડોશી રાજ્યો હીતા હતા. મગધને અજાતશત્રુ કુણિક (The crooked- armed) ચંડ પ્રદ્યોત (ચંડભયંકર)થી ગભરાતો હતો. મહાસેન ચંડ પ્રદ્યોતનો અધિકાર-રાજ્યસીમા-અવન્તિ, અપરાન્ત-પશ્ચિમ ભારત સુધી લંબાયેલો હતો એમ પૌરાણિક કથાથી તેઓ ઈતિહાસની મર્યાદા બાંધતા જણાય છે. પૂર્વ ભારત, મધ્ય દેશ અને અપરાન્તનું સંગમ સ્થાન ઉજજન હતું. શૂરા ચંડપ્રદ્યોતે સ્થાપેલી મહત્તા ગુજરાતમાં લગભગ એક સૈકા સુધી રહી હતી. અપરાન્ત એ પશ્ચિમ ભારત યાને પશ્ચિમ સાગર તટ પ્રદેશ એમ ગેઝેટિયર વગેરે ગ્રંથથી ફળે છે. ભારત વર્ષમાં જ્યાં પ્રજા સ્થિર થઈ વ્યક્તિત્વ જમાવ્યું એ સ્થળો ધીમે ધીમે જનપદ કહેવાયા. પુરાણમાં અપરાન્તા, ભગુકચ્છ જનતાના સ્થળ નિવાસનો ઉલ્લેખ છે. મહાજન પદમાં અથવા બુદ્ધદેવના જમાનામાં અપરાન્તની સીમાવર્તુલ અંકિત કરવાના જોઈએ એવા સાધન મળતા નથી. જયચંદ્ર વિદ્યાલંકાર પોતાના ગ્રંથમાં અપરાન્તની સીમામાં, મારવાડ, સિધ, ગુજરાત અને કોકણ સુધી અપરાન્ત પ્રદેશની મર્યાદા હોવાનું કહે છે. ઈસુની છઠ્ઠી સાતમી સદીમાં ચીની પ્રવાસી હયુએન સંગની યાત્રાના આધારે કનિંગહામની “ભારતની પ્રાચીન ભૂગોળમાં શ્રી મજુમદાર સિન્ધ, પશ્ચિમ રજપૂતાના, કચ્છ, ગુજરાત અને નર્મદા નદીના નિચાણ પ્રદેશને સમાવેશ અપરાતની સીમામાં થતો હતો એમ કહે છે. કેટલાક સાહિત્યમાં ઉજજનને પશ્ચિમ દેશમાં ગણ્યો છે. પ્રાચીન કાળમાં ભરત ખંડના પાંચ વિભાગો હોવાનો ઉલ્લેખ મળે છે. ભરત નાટ્યશાસ્ત્રમાં ચાર પ્રવૃત્તિઓનો નિર્દેશ છેઃ – ઓડ-માગધી પ્રાચ્ય, અવન્તિ પાશ્ચાત્ય, દાક્ષિણાત્ય, તથા પાંચાલી અર્થાત પાંચાલ, મધ્યમાં મધ્ય દેશ અને ઉત્તરાપથ. આ ગ્રંથમાં અવન્તિને પશ્ચિમ દેશમાં ગણ્યો છે. નિકાય'માં અને વિનયમાં મઝિમ દેશની સીમા ઉપરના દેશોની નામાવલીથી મલે છે. તેમાં અવન્તિ જનપદને પશ્ચિમ દેશમાં ગણ્યો છે, નિકાય ગ્રન્થોમાં અપરાન્ત-પશ્ચિમ હિંદનો ઉલ્લેખ નથી પણ અપરાન્તના કેટલાક નગરોનો અને અવન્તિ જનપદનો ઉલ્લેખ મળે છે. વિનયમાં અને દિવ્યાવદાનમાં અપરાન્ત નામનું દિગ્દર્શન થાય છે. આ સાહિત્યદોહનથી ફળે છે કે બુદ્ધ ભગવાનના સમયમાં પશ્ચિમ ભારતની સીમામાં અવન્તિ– ઉર્જન, સિધુસૌવીર, અપરાન્ત, રેવાતટનું ભારૂકચ્છ અને સોપારાનો સમાવેશ થતો હતે. ૧૦ Bombay Gazetteer, Part 1, p. 36, note 6. અપરાન્ત વાસ્તે જુઓ લેખકનો લેખ “વર્તમાન ગુજરાત ગુજરાત નામ કયારે ધારણ કર્યું?” અગિયારમું સાહિત્ય પરિષદ સંમેલન, લાઠી. ૧૧ અપરાન્તઃ ગરવી ગૌર સહ્યાદ્રિ પર્વ જેહા મારું તો કર દેવ દે મિ છે. प्रदेश, अर्थात् , मारवाड, सिन्ध, गुजरात और कोकण, अपरान्त या पच्छिमी आँचलमें गिन जावे । ‘ભારતીય ઇતિહાસ કી રૂપરેખા’, પુ. ૧, ખંડ ૧, પ્ર. ૧, પૃ. ૩૯ મા ઉપર મારત મિ. ૧૨ “ભારત નાટ્યશાસ્ત્ર, કાવ્યમાલા, કર (નિર્ણયસાગર), અંક. ૧૩, લોક ૨૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy