SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ५०] भारतीय विद्या [वर्ष ३ ઓધિવૃક્ષ નીચે ગૌતમને જે બોધ થયો એ કંઈ નવો દાર્શનિક સિદ્ધાન્ત ન હતો; એમના શબ્દોમાં કહીએ તો એ પરાણિક પડિતતા (પુરાતન પડિતોનો)નો ધર્મહતું. એ જમાનામાં ઇષ્ટ ધર્મ આડંબર અને ઢોંગના આવરણમાં દબાઈ ગયો હતો. બુદ્દે જોયું કે ધર્મ નથી બનાવટી કર્મકાંડમાં, કે નથી વિતંડાવાદમાં કે નથી શરીરસંપત્તિ કે વ્યર્થ સુખમાં. આ જમાનામાં બ્રાહ્મણ માત્ર કર્મકાંડમાંજ રચ્યા પચ્યા હતા. બીજા ઘણા નવા પંથો (તિલ્વિયા) નીકળી પડ્યા હતા, જે માત્ર વાદવિવાદમાં ઝમકતા હતા. બુદ્ધનું કહેવું હતું કે જે મનુષ્યનું જીવન સરલ, સાચું અને સીધું છે એ પૂરો ધાર્મિક છે. આ સરલ ધર્મમાર્ગ જેને બુદ્ધ આર્ય અષ્ટાંગી માર્ગ કહ્યો છે તે જનતા સમક્ષ મૂક્યો. એના આઠ અંગ છે. સમ્યફ (સાચી) દૃષ્ટિ, સમ્યફ સંકલ્પ, સમ્યફ વાણી, સમ્યક કર્મ, સમ્યફ આજીવિકા, સમ્યફ વ્યાયામ (ઉધોગ), સમ્યફ સ્મૃતિ (વિચાર) અને સમ્યફ સમાધિ (ધ્યાન). આ પ્રકારે જે આદમીનું જીવન ઠીક છે તે ચાહે ગરીબ હોય કે અભણ હોય પણ યજ્ઞયાગી કે શાસ્ત્રાર્થ કરવા વાલા કરતાં ધર્માત્મા છે. સુત્તનિપાત'માં બુદ્ધના આ ધર્મને સર્વ માર્ગોમાં નિપુણ અને સુખનો માર્ગ કહ્યો છે.* ધમ્મપદમાં સંયમ સહિત આવરણને ધર્મનો સાર કહ્યો છે.* ગૌતમની પ્રતિભામાં એવું બલ હતું કે એમના જીવનકાલમાં ધાર્મિક ક્રાન્તિ એવી પ્રગટી કે શતાબ્દીઓના ઢોંગ, આડંબર અને અંધ વિશ્વાસના તરંગોનો નાશ થયો. પ્રજા સીધી દ્રષ્ટિ અને સરલ બુદ્ધિથી જીવનના પ્રત્યેક પ્રશ્ન જેવા અને વિચારવા લાગી. બૌદ્ધ ધર્મનું ક્ષેત્ર મઝિમ દેશ અને મગધ હતું. તથાગત (બુદ્ધ)નો ધર્મ આજ પ્રદેશમાં ઉછર્યો, પોષાયો અને સતત ચાલીશ વર્ષે બુદ્ધ– નિયમ સંઘે (Buddha -- the Law and the Order) ત્રિરતોનું પ્રબેલ વ્યક્તિત્વ પ્રગટાવ્યું. અનેક ધર્મના, વાદના – બ્રાહ્મણ, જટીલ, આવક અને જન જેવાના–પ્રતિકૂલ આક્રમણે હેવા છતાં બુદ્ધે પોતાના પ્રબલ શાંતિવાદના સિદ્ધાન્તના સંસ્કાર પ્રસાર્યા. નિકાય ગ્રન્થોશી ફળે છે કે બૌદ્ધ ધર્મ મઝિમ દેશની સીમાની મર્યાદા વટાવી અવન્તિ, અપરાન્ત અને એ પ્રદેશના નાકાના બંદર સુપારક સુધી તથાગતના જીવન કાળમાં ધાર્મિક ભાવનાની આંચ પ્રગટેલી લાગે છે. બૌદ્ધ સાહિત્યમાં મગધ અને મધ્ય દેશના નગરોનો ઉલ્લેખ ઘણો મળે છે. મગધનો રાજા શિશુનાગ બિંબિસાર શ્રેણિક (સેણિક) અને તેનો પુત્ર અજાતશત્રુ કુણિક બુદ્ધના ૪ “સુત્તનિપાત”૩૮૧,૩૮૬. (૪*) ધમ્મપદ' ૨૪-૨૫, ‘જતક” ૪,૩૦૦. ભ. ઈ. રૂ. ૫૧, પૃ.૩૫૮. ૫ મગધ=વર્તમાન પટણાં અને બિહારના ગયાને પ્રદેશ એ પ્રાચીન મગધ. ૬ જનપદ યુગમાં મગધમાં બ્રાહકથી વંશનું રાજ્ય હતું, તે વંશનો નાશ કરી કાશીના શિશુનાક - શૈશુનાગ (. સ. પૂ. ૭૨૭-૬૮૭) નું શાસન મગધમાં શરૂ થયું. સંસ્કૃત શેવાશિનાગનું પ્રાકૃત રૂપાંતર શિશુનાક – શિશુનાગ છે; પ્રસિદ્ધ જ્યોતિષી ગ્રંથ “ગર્ગ સંહિતાના યુગ પુરાણ અધ્યાયમાં બિંબિસારના પ્રપૌત્ર અજ ઉદયને શૈશુનાગનો આલેખ્યો છે. એ જોતાં બિંબિસારનો પૂર્વજ શૈશુનાગ હતો. તેઓ ક્ષાત્ર-બધુ - વાય (પ્રજા) ક્ષત્રિય કહેવાતા. ભા. ઈ. રૂ. પુ. ૧, પૃ. ૪૯૯ અને ૫૦૧. સીતાનાથ પ્રધાન Chronology of Ancient India (“પ્રાચીન હિંદની રાજવંશાવલી”) મગધમાં બાથ વાનો છેલ્લો રાજ રિજય હતો જેનો નાશ તેના મંત્રી પુનિકે-પાતના પિતાએ – કર્યો હતો એમ જણાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy