SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ 3% ? ] સુજ્ઞરાતમાં યૌદ્ધધર્મનો પ્રચાર [ ૪૬ નગર, રોક, અપરાન્તનું ભરૂચ-ભૃગુકચ્છ અને સુપ્પારક – સોપારાના નામ ઉપલબ્ધ થાય છે. બૌદ્ધ સાહિત્યમાં અવન્તિના રાજનગર ઉજ્જનને પશ્ચિમ દેશમાં ગણ્યો છે. એ જોતાં અવન્તિના પાટનગર ઉજ્જૈન અને રેવાતટના ભરૂચના પુરાતન ઐતિહાસિક દોહનમાંથી આધુનિક ગુજરાતની ભૂમિકાના ઇતિહાસની ઘટનાનું સર્જન થઈ શકે છે. ધાર્મિક ઉત્થાન મઝિમ દેશ – મધ્યદેશ અને મગધમાં હતું, જ્યારે ભારતના ઉદ્યોગ અને વ્યાપારનું કેન્દ્ર હતું બનારસ – કાશી. ઉત્તરાપથના ગાંધારના પાટનગર તાશલાથી મુશકી માર્ગે – જમીન રસ્તે બધા સોદાગરી વાહનો અને વણઝારાની પોઠો કાશીએ આવતા હતા. કાશીથી વત્સદેશની રાજધાની કૌશામ્બીએ આવી રાજમાર્ગ ઉજ્જૈનને મળતો હતો. ઉજ્જનથી ધોરી રસ્તો ભરૂચ બંદરે અને શૂપારક–સોપારા આવી મળતો હતો. ઉજ્જનથી દક્ષિણાપથના ગોદાવરી તટના પૈઠણ (પ્રતિષ્ઠાન ) સુધી વ્યાપારી વહેવાર હતો. જનપદમાં કાશીનું નામ મળે છે. સાગર અને નદી તરફનો વેપારી વહેવાર કાંઠાના સમૃદ્ધ નગરોએથી ચાલતો હતો. ગંગા, જમના, સિન્ધુ અને નર્મદા નદીઓ વાટે દરિયે થઇને સુવર્ણભૂમિ (વર્તમાન અમાં) અને ઠેઠ રાતા સમુદ્ર અને ભૂમધ્ય સાગર સુધી સોદાગરી વહાણો સ જતા હતા. ‘સમુદ્રવાણીજ્ય જાતક’, ‘અવેરૂ’ અને ‘સુપ્પારક જાતક’ કથાનકોથી ફળે છે કે એ યુગમાં પશ્ચિમની દુનિયા જોડે વ્યાપારી વહેવાર ધમધોકાર ચાલતો હતો. સૌવીરના રોક અંદરના અસ્ત પછી ભરૂચનું અંદર વધારે પ્રતિમાન અને વિખ્યાતિ પામ્યું એમ ડા. રાઇસ ડેવીડ્સ જણાવે છે. ઉત્તરાપથમાં આ સમયે સાર્વભૌમ સત્તા ન હતી, પણ ‘અંગુત્તર નિકાય’માં વર્ણવેલા મહાજનપદ મગધ, કોશલ, અન્તિ અને વત્સ સમૃદ્ધ અને શક્તિશાલી હતા. મિંમિસાર, પ્રસેનદી (પ્રસેનજિત), ૫જ્જોત (ચંડપ્રદ્યોત ) અને ઉદયી – ઉદયન આ ચાર રાજ્યોના સ્વામી હતા. તેઓ શાક્ય ગૌતમના સમકાલીન હતા; અને ગૌરવ અને કીર્તિથી રાજ્ય કરતા હતા. આ રાજેન્દ્રોની ઇતિહાસ ગાથા અને ધાર્મિક ભાવના બૌદ્ધ, જૈન ગ્રંથોમાં અને પુરાણોમાં મળે છે. તેઓ એક અથવા ખીજી રીતે વૈવાહિક સંબંધે જોડાયેલા હતા; અનેઉત્તરની સાર્વભૌમ સત્તાસારૂ પરસ્પર વિગ્રહ ખેલતા હતા. આ ચાર શક્તિસંપન્ન રાજ્યો યુગધર્મ પ્રમાણે શાસન કરતા હતા, એ સમયે યુવાન ગૌતમે મહાભિનિષ્ક્રમણ કર્યું – શાક્ય ગૌતમે ઘર ત્યાગ કર્યો. નિરંજરા તટે ઔદ્ધો જેને બોધિ કહે છે તે સિદ્ધાર્થે પ્રાપ્ત કર્યું. ગૌતમ બુદ્ધ થયા. 3 Buddhist India by T. W. Rhys Davids, p. 38. રૌક નગરના સ્થળ વિષે ઘણો મતભેદ છે. કેટલાક પ્રમાણે તે નગર હિંદની ઉત્તર પશ્ચિમે અથવા પશ્ચિમ તરફનો એક દેશ હોવાનું માને છે. કનિંગહામે ખંભાતના અખાતના મથાળે ઈંડર અથવા બંદરી પ્રાન્ત હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ડા. રાઈસ ડેવીડ્સ કાઠિયાવાડની ઉત્તરે કચ્છના અખાત તરફ મૂકે છે. જયચંદ્ર વિદ્યાલંકાર સૌવીરની રાજધાની રકને વર્તમાન રોરી કહે છે. Cunningham's Ancient Geo. p. 569. Buàdhist India by R. Davids, p. 330, ‘ભારતીય ઇતિહાસકી રૂપરેખા’, પુ, ૧; પૃ. ૩૨૮. ૩.૧.૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy