SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૪] મારતા વિદ્યા [वर्ष ३ કેશવલાલ ભાઈને લેખ). એ ગંધર્વસેનના રાજકુમાર વિક્રમાદિત્યે પૈઠણના અરિષ્ટકર્ણ-સાતકણ આંધ્રપતિની મદદ મેળવી શકોને હરાવ્યા. વિક્રમાદિત્યે શકારિનું બિરૂદ ધારીને સંવતનો આરંભ કર્યો હોય એમ જે માને છે. જેનો વિક્રમાદિત્યને જૈન માને છે. જેનો એના સંવતને પણ સ્વીકારે છે. પાછળથી આંધ્રોએ માળવા લઈ લીધું હતું પરંતુ આ સર્વને સ્વતંત્ર ઈતિહાસનો કોઈ ટેકો નથી. જેનોની માન્યતા મુજબ ઉજ્જૈનનું રાજ્ય મોટું સામ્રાજ્ય નહોતું. એ ટક્યું લાગતું પણ નથી. પ્રસિદ્ધ વિદ્વાન સર જોન માર્શલની શોધખોળ મુજબ તક્ષશિલા ખાતે એક ખરોષ્ઠી ભાષામાં લેખ મળે છે. તે પ્રમાણે અઝીજ પહેલાના સંવતનો એ લેખ હોવાના ચિહ્નો તેમાં છે. એમાં અઝીજ સંવતનું ૧૩૬ મું વરસ હોવાનો ઉલ્લેખ છે. એના પહેલાના સમ્રા મૌઝનો સમય ખ્રિસ્ત પહેલાં ૭૫ ને બરાબર બંધ બેસતો મળે છે. અઝીજના પછીનો ત્રીજો રાજા ગોન્ડોફરસ ઈ. સ. ૧૯માં રાજ્ય કરતો હતો. ગ્રીક સિક્કાઓના સહકારથી બનાવેલી વંશાવળી એમાં બરાબર મળી જાય છે. આથી અઝીજ પહેલે બરાબર વિક્રમ સંવતની શરૂઆતના સમયમાં આવી જાય છે. ખ્રિસ્ત પહેલાનું ૫૮ મું વરસ વિક્રમ સંવતનું ગણાય છે. ઉપલા લેખમાં કોઈ રાજાનું નામ નથી. આથી આ અનુમાન બરાબર નથી એમ ઘણાં વિદ્વાનો માને છે. આ લેખમાં “મહાન સમ્રા, રાજાધિરાજ ઈશ્વરપુત્ર કુશાન” એટલાં શબ્દો ખરોષ્ઠી લિપિમાં છે. આ મહાન સમ્રા કડફીસસ હોવાનું સર જોન માર્શલ ધારે છે, આ અનુમાનને હિંદના ઈતિહાસણોનો ટેકો નથી. પ્રોફેસર કે. એમ. શૈમ્બવનેકર M. A. પોતાના જર્નલ ઑફ ધી યુનિવસીટી ઑફ એ (વે. ૧ પાર્ટ, કMay 1938)ના લેખમાં વિક્રમાદિત્યને ઈ. સ. પહેલા ૫૭-૫૮ વરસોમાં થયાનું માને છે. એઓ “કથાસરિત્સાગરને આશ્રય લે છે. પિશાચ ભાષામાં રચાયેલી “શ્રી બૃહત્કથાનું કથાસરિત્સાગર” રૂપાંતર છે. “કથાસરિત્સાગર'માં વિક્રમાદિત્ય અને તેના પિતા મહેન્દ્રાદિત્ય બ મોટા શિવ ભક્તો હતા. શંકરના મલયાવત ગણના અવતાર તરીકે વિક્રમાદિત્યને ત્યાં ગણવામાં આવ્યો છે. જેનો વિક્રમા. દિત્યને જૈન તરીકે ઓળખાવે છે. એના પિતાનું નામ ગંધર્વસેન બતાવે છે. પ્રોફેસર મ્બાવનેકર મેઘદૂત” અને “વિક્રમોર્વશીય” નાટકમાં ઈન્દ્ર માટે વાપરેલી મહેન્દ્ર ઉપાધિ ઉપર બહુ ભાર રાખતા જણાય છે. એના મંતવ્ય પ્રમાણે યુરોપિયન વિદ્વાનોની માન્યતા છે વિક્રમાદિત્યને ચોથા સૈકાના ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય તરીકે જણાવે છે તે પાયા વગરની છે. શ્રી કાશીપ્રસાદ જયસ્વાલ વિક્રમ બરાબર થયાનું માને છે. એમની ગણતરી પ્રમાણે ઈ. સ. ૫૭-૫૮માં વિક્રમ માળવામાં થયા હતા. પરંતુ એઓ ચક્રવ િનહતા. એઓ જૈન ગણતરી પ્રમાણે બરાબર સમય મેળવી આપે છે. જૈનોના સરસ્વતી ગચ્છની પટ્ટાવલીઓમાં શ્રી મહાવીર સ્વામીનો આ જગતમાંથી ઈ. સ. પૂર્વે ૫૪૯ વરસમાં ઉત્સર્ગ માને છે. એ પટ્ટાવલીઓ પ્રમાણે વિક્રમાદિત્ય પહેલાં ૪૭૦ વરસે એમનું નિર્વાણ મનાયું છે. એ ગણતરી પ્રમાણે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy