SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ शुं विक्रमादित्य महान् सम्राट् हतो ? ले०- श्रीयुत डुंगरसी धरमसी संपट. સંવતકાર સમ્રાટ વિક્રમાદિત્ય કોણ હતો ? ક્યારે થયો? એણે કેવા મોટા વિજય મેળવ્યા? તે સંબંધી ઇતિહાસવેત્તાઓની વચ્ચે મોટા મતભેદો છે; આ સંબંધી ઈતિહાસ હજી કાંઈ ચોકસ નિર્ણય લાવી શક્યો નથી. ઈતિહાસશો આ સંબંધી જુદા જુદા મતો ધરાવે છે. હમણાં શ્રી વિક્રમાદિત્યની ૨૦૦૦ની સંવત્સરી ઉજવવાની હીલચાલ ચાલે છે. આ સમયે જુદા જુદા પ્રચીન ઈતિહાસવેત્તાઓ અને પુરાતત્ત્વજ્ઞોના મતો સંક્ષિપ્તમાં અને દર્શાવ્યા છે. યુરોપિયન ઇતિહાસવેત્તાઓ ગુપ્તવંશના મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યને (ઇસુની ચોથી સદી) ખર વિક્રમાદિત્ય તરીકે ગણે છે. કાલિદાસ કવિને પણ એના જ સમયમાં મુકે છે. આપણા સનાતની વિદ્વાનો વિક્રમાદિત્યને ઉજજયિનીના મહાપરાક્રમી સમ્રાટ અને પરોપકારી પતિ તરીકેનું ચક્રવર્તાિપણું આપીને મહત્તા દર્શાવે છે. પરંતુ એ માન્યતાને ટેકો આપનાર સિક્કા, સ્મરણસ્થંભો, પ્રાચીન ગ્રન્થોના પુરાવા કે પ્રાચીન પરદેશી પ્રવાસીઓના ઉલ્લેખો દેખાડી શકતા નથી. વિક્રમાદિત્ય મહાન સમ્રાટ હતો એવો એકેય ઐતિહાસિક પુરાવો નથી. ગ્રીક લેખકો, ચીના પ્રવાસીઓ પણ વિક્રમાદિત્ય સંબંધી કોઈ પ્રકાશ પાડતા નથી. વિક્રમાદિત્યના સમયનો અને મહનાનો ચેકસ નિર્ણય આપનારા શિલાલેખો વિગેરે કાંઈ મળતા નથી. આપણા આધુનિક વિદ્વાનો પણ વિક્રમાદિત્ય સંબંધી જૂદા જૂદા અભિપ્રાયો ધરાવે છે. એ સમ્રા કોણ હતો ? ક્યારે થયો? અને શા તેના મહાન પરાક્રમે હતા તે સંબંધી ઈતિહાસણો જુદા જુદા મતો ધરાવે છે. એ હિંદુ આર્ય હતો કે પરદેશી વંશનો હતો તે માટે પણ જૂદા જૂદા અભિપ્રાયોના અનુમાનો આપણી સમક્ષ મુકાયા છે. વિક્રમાદિત્યના પરોપકાર સંબંધી “વૈતાળ પંચવિંશતી, “સિંહાસન બત્રીસી,’ કથાસરિત્સાગર,’ ‘જ પ્રબંધ અને જૈન રાસાઓમાં અનેક કથાઓ છે. પરંતુ ભવિષ્ય પુરાણ”ની અનૈતિહાસિક કથાઓની પેઠે એ સર્વને ઐતિહાસિક પાયો નથી. માત્ર લોકરંજનWા સિવાય કોઈ પણ રીતે એના ઉપર આધાર મુકાય તેમ નથી. “વાયુ, વિષ્ણુ પુરાણ” અને “શ્રીમદ્ ભાગવતમાં ઘણી શ્રદ્ધા આવે એવી ઐતિહાસીક વંશાવળીઓ છે. પરંતુ એ કોઈમાં પણ વિક્રમાદિત્ય સંબંધી ઉલ્લેખ મળતો નથી. એના માટે મૌન સેવવામાં આવ્યું છે. સમ્રા વિક્રમાદિત્ય સંબંધી જૂનામાં જૂનો ઉલ્લેખ જૈનોના કાલિકા કથાનકમાં મળે છે. ઉજ્જયિનીના ગર્દભીલવંશને રાજા ગંધર્વસેન એક જૈન સાધ્વીને પોતાના અંતઃપુરમાં ઉપાડી ગયો. એ બાઈના ભાઈ કાલકાચાર્ય ઈરાન જઈ ત્યાંના શકોના સરદારોને સમજાવીને હિંદ તેડી લાવ્યા. એમણે મળીને ગંધર્વસેનને હરાવ્યો. સાત વરસ સુધી આ શકોનું રાજ્ય અવંતિ ઉપર રહ્યું (બુદ્ધિપ્રકાશ પુ. ૭૬ પૃ. ૮૮, દિ. બા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy