SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ કવા ૨] झुं विक्रमादित्य महान् सम्राट् हतो? [४५ ( ૩૫૩ વરસો શ્રીમહાવિરના નિર્વાણ પૂર્વના વ્યતીત થયા ત્યારે પાલક રાજા અવ તીની ગાદી ઉપર હતું. એ રાજા બુદ્ધ ભગવાનના સમયાનુયાયી પ્રોત રાજાનો પુત્ર હતો. પાલક રાજા મૌર્યો અને શૃંગ સમ્રા પુષ્યમિત્રના સમ યમાં હતે. ૬૦ વરસે પુષ્યમિત્રથી તે રંગ રાજા ભાનુમિત્ર સુધી પસાર થયા હતા (ભાનુ મિત્રના સિક્કાઓ મળ્યા છે). ૪૦ વરસો પછી સમ્રાટું નહવાન અથવા નહપાન થયો. ૧૩ વરસો ગર્દભિલ રાજા જે વિક્રમનો પિતા હતો તેનું રાજ્ય ચાલ્યું (શ્રી જાયસ્વાલ એ રાજાને ગોન્ડોફરસ સમ્રાટની સાથે એક જ હોવાનું માને છે). ૪ વરસો સંવતકારના સંવત શરૂ કરવાના વરસો. વિક્રમ એમની માન્યતા પ્રમાણે ૧૮મે વરસે રાજ્ય સિંહાસને બેઠો હતો. વિક્રમનો સંવત જૈન મત પ્રમાણે શ્રી મહાવીરના નિર્વાણ પછી ૪૮૮ મા વરસે શરૂ થયો હતો. (૪૭૦+૧૮) આ ૪૮૮ વરસોમાં પ૭-૫૮ ઉમેરતાં ૫૪૫-૫૪૬ ખ્રિસ્ત પહેલાના વરસો બરાબર આવે છે. શ્રી વિક્રમાદિત્યના સંવત સબંધી સાથે કોઈ સિક્કા મલ્યા નથી. એ સમયના ગ્રીક ઈતિહાસકારોએ કાંઈ ઉલ્લેખ કર્યો નથી. બૌદ્ધ સમયના સાહિત્યમાં પણ વિક્રમાદિત્ય સંબંધી મૌન સેવાયું છે. એના સમયમાં અથવા એ સમયની ૩૦૦-૪૦૦ વરસની મર્યાદામાં કોઈ શિલાલેખ કે તામ્રપત્ર પણ વિક્રમના સંબંધમાં પ્રાપ્ત થયું નથી. પુરાણની વંશાવલીમાં પણ વિક્રમ સંબંધી કાંઈ ઈશારો માત્ર નથી. માત્ર જૈનોનું કાલિકા કથાનક જ એના સંબંધી ઉલ્લેખ કરે છે. વિક્રમાદિત્યના પરોપકાર, મહત્તા, પરદુઃખભંજકતા સંબંધી બહોળું દંતકથા સાહિત્ય હિંદની કેટલીક ભાષાઓમાં છે. એ સર્વ માત્ર રસીલી વાર્તારૂપે કહેવાયું છે. એની ઐતિહાસિક કિંમત કાંઈ નથી. વિક્રમ સંવતનો સૌથી પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ મંદસોરના લેખો (ચોથી કે પાંચમી સદીના જ) કરે છે. જૈને અને માલવો આ સંવતને ઈ. સ. પ૭–૧૮ થી શરું થતું હતું એમ માન્યતા ધરાવતા આવ્યા છે. વિક્રમની પહેલાં ૩પ૯ વરસો ઉપર પ્રદ્યોતને કુમાર પાલક અવન્તિને રાજા હતે પછી પાટલીપુત્રના મહાન સમ્રાટો એ પ્રદેશના માલીક થયા. એમના પછી નહપાન, વિક્રમ વગેરે સાધારણ નાના રાજાઓ થયાનું જૈનો માને છે. શ્રી વિક્રમાદિત્ય મેટો ચક્રવર્તિ સમ્રા હોવાની એકેય સાબીતી કે લેખ હજી સુધી પુરાતત્ત્વોને મળી શક્યો નથી. મૌર્યવંશના મહાન સમ્રાટ પ્રિયદર્શી અશોક (ઈસુની ત્રીજી સદી)થી તે ઠેઠ ગુપ્તવંશના ચંદ્રગુપ્ત વિક્રમાદિય સુધીના સાતસો વરસોની લાંબી મુદતમાં કોઈ મહાન ચક્રવત્તિ ભૂપતિ હિંદમાં થયો નથી. અલબત્ત, શંગવંશનો અગ્નિમિત્ર, પઠણને સાતકણ પહેલો અને સાતકણ બીજો (સાતવાહન કે, શાલીવાહનના નામે ઓળખાય છે), કુશાન વંશને કનિષ્ક એ વિજયી મોટા રાજાઓ હતા. પરંતુ એમાંથી કોઈ પણ હિંદના ચક્રવર્તિપણાનું બિરૂદ મેળવી શકે તેવું ન હતું. વિક્રમાદિત્ય ચક્રવર્તિ કે મહાન પુરૂષ થઈ ગયા તેની એકેય ઐતિહાસિક સાબીતી અલભ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy