SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ३६] भारतीय विद्या [वर्ष ३ છીય જિનલાભસૂરિના શિષ્ય અમૃતધર્મના શિષ્ય હતા. શ્રી. દેસાઈ નોંધે છે કે તેમણે ચાતુર્માસિક હોલિકા આદિ દશ પર્વ કથા રચી હતી. પરંતુ ત્યાં આગળ તેઓ એ દશ પર્વ કથાઓમાં “સૌભાગ્ય પંચમીનો ઉલ્લેખ સ્પષ્ટ રીતે કરતા નથી. જો કે ક્ષમાકલ્યાણ ઉપાધ્યાયે સૌભાગ્ય પંચમી” રચી હતી એ નિર્વિવાદ છે. લીંબડી ભંડારમાં આની એક પ્રતિ છે. “જૈન ગ્રંથાવલિ'માં ક્ષમાકલ્યાણ ત “સૌભાગ્ય પંચમી” વિષે સ્પષ્ટ ઉલ્લેખ નથી. “અક્ષયતૃતીયા કથા,’ ‘અઠ્ઠાઈ વ્યાખ્યા “ચાતુમસિક પર્વ કથા.” “પૈષ દશમી કથા.” “મેરુ ત્રયોદશી થા.” “મૌન એકાદશી કથા (પ્રા), “રજઃ પર્વ કથા.” “હોલિકા કથા” અને “રોહિણ કથા” વગેરેનો ગ્રન્થ તરીકે “જૈનગ્રન્થાવલિ'માં ઉલ્લેખ છે પણ કર્તાનું નામ નથી લખેલ. અને એ બધાની પ્રતિઓ અમદાવાદના ડેલાના ભંડારમાં છે એમ ત્યાં લખેલું છે. આ બધા પર્વોને સરવાળો કરતાં નવ પર્વ થાય છે. અને શ્રી. દેસાઈ દશ પર્વકથાઓ લખી હોવાનો ઉલ્લેખ કરે છે. તે ઉપરાંત જૈન ગ્રંથાવલિમાં તેજ પૃષ્ઠ ઉપર “જ્ઞાન પંચમી” કથાનો ઉલ્લેખ છે. કર્તાનું નામ નથી અને પ્રતિ અમદાવાદના ડેલાના ભંડારમાં છે એમ જણાવ્યું છે. તો કદાચ આ જ્ઞાન પંચમી કથા” ક્ષમાકલ્યાણ રચિત હોવા સંભવ છે કારણ કે એ રીતે શ્રીદેસાઈનો ક્ષમાકલ્યાણે દશ પર્વથાઓ લખી હોવાનો ઉલ્લેખ તેમજ લીંબડી ભંડારમાંથી મળી આવતી ક્ષમાકલ્યાણ રચિત “જ્ઞાનપંચમી કથા” વાળો ઉલ્લેખ એ બન્ને બાબતે સાચી ઠરે. “જૈન ગ્રંથાવલિ' ત્રણ જ્ઞાન પંચમી કથાઓ નોંધે છે. તેમાંથી એક તે સ્પષ્ટરીતે કનકકુશલ રચિત લખેલ છે. બીજી એ કલ્પના કરી છે તેમ ક્ષમા કલ્યાણ રચિત હોય અને ત્રીજી સૌંદર્યગણિ રચિત પાટણના સંઘવીપાડાના ભંડારમાં છે એમ સૂચવી પાદનોંધમાં શંકા કરી છે કે સૌંદર્યગણિ નામના કોઈ આચાર્ય થયા જાણવામાં નથી. એક જ લેખક રચિત એક જ ગ્રંથની બે પ્રતિઓ હોવા પણ સંભવ છે. સૌદર્યગણિએ પોતાનું નામ પોતાની માલીકી સૂચવવા ત્યાં લખ્યું હોય અને ભૂલથી એને નામે એ કૃતિ માત્ર ત્યાં લખેલ નામ ઉપરથી ચડાવી દેવામાં આવી હોય એમ પણ બને. ક્ષમા કલ્યાણકૃત “સૌભાગ્ય પંચમી” (મુદ્રિત) તપાસવાથી માલુમ પડે છે કે એમણે પદ્યો તો કનકકુશલ રચિત “જ્ઞાન પંચમી માહાભ્ય” માંથી લીધા છે અને ગદ્યવિભાગ પોતે રચ્યો હોય એમ દેખાય છે, જો કે આ ગદ્યવિભાગ પણ કનકકુશલ રચિત “જ્ઞાન પંચમી માહાત્મ્યના ભાવને બરાબર અનુસરે છે. ત્યાર બાદ વિક્રમની વીસમી સદીમાં આજથી લગભગ ઓગણીસ વર્ષ પહેલાં એટલે વિ. સં. ૧૯૮૨ માં દિગંબર જૈન વિદ્વાન બ્રહ્મચારી રાયમલે સંસ્કૃતમાં “ભવિષ્યદત્તચરિત” લખ્યાનું વાંચ્યું છે. પત્ર સંખ્યા ૪૫ની ગણાવી છે અને લિપિ સંવત ૧૯૮૨ ૨૯ જુઓ ઉપર્યુક્ત જે. સા. સં. ઈ. પૃ. ૬૭૬. ૩૦ જુઓ ઉપર્યુક્ત લીં, ભાગ. સૂ. નું પરિશિષ્ટ નં. ૧. પૃ. ૪. ૩૧ જુઓ ઉપર્યુક્ત જે.ગ્ર પૃ. ૨૬૪. ૩૨ જુઓ ઉપર્યુક્ત ગ્રન્થનું ઉપર્યુક્ત પૃ. ૩૩ જુઓ ઉપર્યુક્ત ગ્રન્થનું ઉપર્યુક્ત પૃ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy