SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ अंक १] नाणपंचमी कहा-तेनालेखको, प्रतिओ अने वस्तुनो परिचय [३५ પ્રતિ પાટણના સંઘવી પાડાના ભંડારમાં તથા લીંબડીના જ્ઞાનભંડારમાં બે પ્રતિ છે. રચના સંવત (વિક્રમીય) ૧૬૫૫ લખેલ છે. “જૈન ગ્રન્થાવલિ' તેનું શ્લોક પ્રમાણ ૧૫૦ ગણાવે છે. અને લીંબડી ભંડારનું સૂચીપત્ર ૧૫ર શ્લોક નોંધે છે કે જ્યારે એ કથાના મુદ્રિત ગ્રંથમાં ૧૪૦ શ્લોક છે. શ્રીયુત દેસાઈ પિતાના “જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઈતિહાસમાં લખે છે કે તપાગચ્છીય કનકકુશલે સં. ૧૬પપ માં “વરદત્ત ગુણમંજરી કથા “સૌભાગ્ય પંચમી કથા” અને “જ્ઞાન પંચમી કથા” પર બાલાવબોધ રચ્યો છે. આ વાંચતાં આપણને સેજ આભાસ થાય કે શ્રી દેસાઈ આ ત્રણેય પુસ્તકોને જુદા જુદા સમજે છે પણ ખરી રીતે એમ નથી. કનકકુશલે એક જ બાલાવબોધ રચ્યો છે અને તે “જ્ઞાન પંચમી મહાભ્ય’ ઉપર. અને તેમાં દૃષ્ટાંતરૂપે વરદત્ત, ગુણમંજરીને લીધા છે તેમ જ કનકકુશલ તે ગ્રંથમાં નિસ્રોક્ત શ્લોક" લખે છે "जायतेऽधिकसौभाग्यं पञ्चम्याराधनात् नृणाम् । इत्यस्या अभिधा जज्ञे लोके सौभाग्यपंचमी ॥" જે ઉપરથી એને “સૌભાગ્ય પંચમી” પણ કહી શકાય. અર્થાત કનકકુશલે ત્રણ બાલાવબોધ નથી રચ્યા પરંતુ એક જ બાલાવબોધ રચેલ છે. તપાગચ્છીય કનકકુશલ પછી રચંદ્ર શિષ્ય માણિક્યચંદ્ર શિષ્ય દાનચંદ્ર વિજયસિંહસૂરિ રાજ્ય સં. ૧૭૦૦ માં “જ્ઞાનપંચમી કથા” (“વરદત્ત-ગુણજરી કથા) રચી. આ કથા મુદ્રિત થઈ નથી. તેની પ્રતિઓ વગેરે ક્યાં છે તે કાંઈ જાણવામાં આવ્યું નથી. દાનચંદ્ર પછી “સપ્તસંધાન મહાકાવ્યના લેખક ઉપાધ્યાય મેવવિજયજીએ (અઢારમી સદી) પણ “પંચમી કથા” લખી હોવાનો ઉલ્લેખ મળી આવે છે. તે હજુ મુદ્રિત થઈ જણાતી નથી. તેની પ્રતિ પંન્યાસ શ્રીહવિજયજી પાસે છે એમ શ્રી દેસાઈ પોતાના “જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસમાં જણાવે છે. આ પછી ઓગણીસમી સદીમાં વિ. સં. ૧૮૨૯થી ૧૮૬૯ના ગાળામાં ખરતરગચ્છીય ક્ષમા કલ્યાણ ઉપાધ્યાયે “સૌભાગ્ય પંચમી' નામે પંચમી વ્રતના મહામ્ય ઉપર સંસ્કૃતમાં ગદ્ય પદ્ય યુક્ત કથા રચી. આ પુસ્તક વિજયધર્મસૂરિ જૈનગ્રન્થમાળા તરફથી પ્રકાશિત પર્વથા સંગ્રહ” નામના ગ્રન્થથી ભિન્ન પરંતુ તેજ નામધારી એક બીજા પર્વકથા સંગ્રહ” નામના પત્રાકારે મુદ્રિત પુસ્તકમાં પ્રથમ કથારૂપે સ્થાન પામેલી છે. તેના સંપાદક મણિસાગરજી છે અને જૈન છાપખાના – કોટા (રાજપુતાના) તરફથી પ્રસિદ્ધ થયેલી છે. આ ક્ષમાકલ્યાણ ઉપાધ્યાય ખરતરગ૨૨ જુઓ ઉપર્યુક્ત જૈ ગ્ર. પૃ. ૨૬૪. ૨૩ જુઓ ઉપર્યુક્ત લી. ભા. 2. સૂ, પૃ. ૬ર. ૨૪ જુઓ ઉપર્યુક્ત ૫. ક. સે. પૃષ્ઠો ૩-૧૬. ૨૫ જુઓ ઉપર્યુકત જે. સા. સં. ઈ. પૃ. ૫૯૧ તથા ૬૦૪. ૨૬ જુઓ ઉપર્યુક્ત ૫. ક. સં. પ્ર. ૧૫. સ્લોક ૧૩૬. ૨૭ જુઓ ઉપર્યુક્ત જૈ. સા. સં. ઈ. પૃ. ૬૦૨. ૨૮ જુઓ ઉપર્યુક્ત પુસ્તકનું પૃ. ૬૫૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy