SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮] મારતીય વિદ્યા [વર્ષ ન્યાયમકરંદ,” તથા “સાંખ્યકારિકા” અને મીમાંસા સૂત્રોના ઉલ્લેખ છે. વૈદિક સાહિત્યમાં “બૃહદેવતા, યાસ્કનું નિરક્ત' તથા તે ઉપર દુર્ગાચાર્યની ટીકા, કાત્યાયનશ્રિતસૂત્ર, “શાખાનૌતસૂત્ર” “શાંખાયનગૃહ્યસૂત્ર, “અનુક્રમણિ,” તથા “છાંદોગ્ય ઉપનિષ’ના ઉલ્લેખો છે. સ્માર્ત સાહિત્યમાં યાજ્ઞવલક્ય ઉપરની વિજ્ઞાનેશ્વરની ટીકા તથા વિશ્વરૂપ, ગોવિન્દરાજ અને હરસ્વામી” નામે આચાર્યોનો ઉલ્લેખ કર્યો છે. પુરાણોમાં “વિષ્ણુપુરાણ” તથા “ભાગવત’ના ઉલ્લેખો છે. કોશગ્રન્થોમાં પ્રતાપમાડુ, ધન્વન્તરીય નિઘંટુ,” હેમચન્દ્ર, હલાયુધ અને ક્ષીરસ્વામીના ઉલ્લેખો છે. કાવ્યનાટક સાહિત્યમાં કાલિદાસ, માઘ, ભારવિ, મયૂરકૃત “સૂર્યશતક' મુરારિકૃત “અનઘેરાધવ’ તથા આનન્દવર્ધનકૃત “અર્જુનચરિત' (અત્યારે અનુપલબ્ધ)ના ઉલ્લેખો છે. અલંકારગ્રન્થોમાં મમ્મટ, ટ, ટ્યક, ભદ્રાજ, ‘દશરૂપક' “શૂરતિલક” તથા વામનકૃત “કાવ્યાલંકાર’ના ઉલ્લેખો છે. પિંગલગ્રન્થોમાં “વૃત્તરનાકર” તથા પિંગલસૂત્રો ઉપર હલાયુધની ટીકાના ઉલ્લેખો છે. કામશાસ્ત્રમાં વાસ્યાયન “કામસૂત્ર' તથા તે ઉપરની જયમંગલા ટીકા અને “રતિરહસ્યના ઉલ્લેખો છે. વ્યાકરણમાં ચંડ પંડિત પાણિનિ તેમજ કાત– બન્નેમાંથી અવતરણો આપે છે. કાત્યાયનવાર્તિક, કાશિકા” તથા “પદમંજરીનો તથા “ગણકાર” નામે કોઈ ગ્રન્થનો પણ તે ઉલ્લેખ કરે છે. ચંદુ પંડિતની “નૈષધની ટીકા એ ગુજરાતના સંસ્કૃત સાહિત્યનું અમૂલ્ય રત છે. દુર્ભાગ્યે એ ટકા હજી અખંડિત સ્વરૂપમાં પ્રાપ્ત થઈ નથી. પ્રો. કૃષ્ણકાન્ત હિન્દીકીએ નૈષધ'ના અંગ્રેજી અનુવાદનાં ટિપ્પણોમાં એમાંથી કેટલાંક અવતરણે આપ્યાં છે, પરન્તુ “નૈષધના મૂલગામી અભ્યાસની દ્રષ્ટિએ એ ટીકાનો મળ્યો છે તેટલો ભાગ પણ પ્રસિદ્ધ થવાની જરૂર છે. ચારિત્રવર્ધન-આ જૈન ટીકાકાર ખરતરગચ્છાચાર્ય જિનપ્રભસૂરિસંતાને કલ્યાણરાજના શિષ્ય હતા. તેમણે સં. ૧૫૧૧માં “નૈષધીની ટીકા લખેલી છે, તેની હાથપ્રત બીકાનેર સ્ટેટ લાયબ્રેરીમાં છે. ચારિત્રવર્ધન એક જાણતા જૈન ટીકાકાર છે. તેમણે “રઘુવંશ, “કુમારસંભવ, “મેઘદૂત,” “શિશુપાલવધ” તથા “રાઘવપાંડવીય ઉપર પણ ટીકાઓ લખી છે. ચારિત્રવર્ધનની “નૈષધટીકા છપાઈ ગઈ છે એમ શ્રી અગરચંદ નાહટા જણાવે છે, પરંતુ તે મારા જેવામાં આવેલ નથી તેથી એ સંબંધી વિશેષ અહીં લખી શક્યો નથી. જિનરાજસૂરિજિનરાજસૂરિ ખરતરગચ્છના આચાર્ય હતા. તેનો જન્મ સં. ૧૬૪૭ માં થયો હતો તથા તેમણે દીક્ષા સં. ૧૫૬માં લીધી હતી. સં. ૧૬૬૮ માં ૧૮. વિજ્ઞાનેશ્વરે મિતાક્ષરાટીકામાં પોતાના પુરોગામી તરીકે વિશ્વરૂપને ઉલ્લેખ કર્યો છે. ૧૯. મનુસ્મૃતિ'ના ટીકાકાર૨૦. આ હરસવામી તથા “શતપથબ્રાહ્મણના ટીકાકાર હરિસ્વામી અભિન્ન હોય એમ સંભવે છે. ૨૧. જુઓ “ભારતીય વિદ્યા ભાગ ૨, અંક ૩માં શ્રી અગરચંદ નાહટાને લેખ “જૈનેતર ગ્રંથો પર એન વિદ્વાન કી ટીકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy