SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ अंक १] गुजरातमा नैषधीयचरित उपर लखायेली टीकाओ [२९ આસાવલમાં જિનચંદ્રસૂરિએ તેમને વાચસ્પદ તથા સં. ૧૯૭૪ માં મેડતામાં આચાર્યપદ પણ આપ્યું હતું. ખરતરગચ્છના આ એક પ્રભાવશાળી આચાર્ય ગણાય છે. તેમણે સં. ૧૬૭૫ માં અમદાવાદના વતની પોરવાડ જ્ઞાતિના સંઘવી સોમજીપુત્ર રૂપજીએ કરાવેલી ઋષભાદિ જિનોની ૫૦૧ પ્રતિમાઓની શત્રુંજય ઉપર પ્રતિષ્ઠા કરાવી હતી તથા ભાણવડ ગામમાં શાહ ચાંપશીએ કરાવેલા દેવગૃહમાં અમૃતઝરા પાર્શ્વનાથ પ્રમુખ ૮૦ બિઓની પણ પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રમાણે અમદાવાદ વગેરે નગરોમાં પણ પ્રતિષ્ઠા કરાવી હતી. તેમણે “નૈષધ” ઉપર વૃત્તિ તથા બીજા કેટલાક નવીન ગ્રન્થો રચ્યા હતા એવો ઉલ્લેખ પણ પટ્ટાવલિઓમાં મળે છે. જિનરાજની નૈષધ” ટકા સુખાવબોધા' નામથી ઓળખાય છે. તેની સં. ૧૭૪૮માં લખાયેલી હાથપ્રત ભાંડારકર ઈન્સ્ટીટ્યુટમાં છે. જિનરાજસૂરિની ટીકા પણ એક વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થ છે અને નૈષધ'ના ટીકાકારોમાં તેનું એક વિશિષ્ટ સ્થાન છે. જિનરાજે ભટ્ટજી દીક્ષિતકૃત “મનોરમા’નાં અવતરણો આપ્યાં છે તથા હેમચન્દ્રના વ્યાકરણ તથા “અભિધાનચિન્તામણિ”નો હવાલો પણ તે વારંવાર આપે છે. શ્રીધર નામે કોશકારને પણ એક સ્થળે તેણે ટાંક્યો છે. શ્રીહર્ષના વેદાન્તગ્રન્થ “ખંડનખંડખાદ્ય' ઉપર “ખંડનપ્રકાશ' નામે ટીકા લખનાર વર્ધમાન મિશ્રના મતનું પણ તેણે એક સ્થળે ખંડન કર્યું છે. અર્થની બાબતમાં જિનરાજ મોટે ભાગે વિદ્યાર્થીઓમાં સુપ્રસિદ્ધ નારાયણ ભટ્ટની ટીકાને અનુસરે છે એટલું જ નહીં પણ તેમાં ઉચિત સુધારા વધારા કરે છે. પરંતુ વાચના તો તેણે પ્રાયશઃ ગૂજરાતના જૂના ટીકાકારો વિદ્યાધર અને ચંદુ પંડિતની સ્વીકારી છે એ યોગ્ય છે, કેમકે “નૈષધીની સૌથી જૂની અને તેથી વિશ્વાસપાત્ર વાચના એ ટીકાઓમાં જળવાયેલ છે. મુનિચંદ્ર-મુનિચંદ્રકૃત નૈષધટીકા” અત્યારે ઉપલબ્ધ નથી, પણ કોઈ જૂના ગ્રન્થભંડારની સૂચિમાં તેનો ઉલ્લેખ છે. એ સૂચિમાં મૂળ “નૈષધ તથા તે ઉપરની પાંચ ટીકાઓની નીચે પ્રમાણે નોંધ છે, જેમાં મુનિચંદ્રકૃત ટીકાનો પણ ઉલ્લેખ આવે છે ८२-श्रीहर्षकृत नैषधका अं० ४५०० ८३-तट्टीका चांडवी २४००० ८४-तथा कमलाकरगुप्तेन श्रीहर्षपौत्रेण कृतं भाष्यं ६०००० ८५-तथा वैद्याधरी टीका २४००० ८६-श्रीमुनिचन्द्रसूरिकृतटीका १२००० ૮૭– માથુર પંજાધતા ૨૨૦૦૦ રર. શ્રીજિનવિજ્યજી સંપાદિત “ખરતરગચ્છ પાવલી સંગ્રહ, પૃ. ૩૫-૩૬ २3. एवंविधाः जिनमतोन्नतिकारकाःxxx समस्ततर्कव्याकरणछंदोलंकारकोशकाव्यादि विविध शास्त्रपारिणो नैषधीयकाव्यसंबंधी जिनराजीवृत्त्याद्यनेकनवीनग्रन्थविधायकाः श्रीबृहत्खर. તનrશ્વનાથ શ્રીવિનાનકૂયઃ સં. ૨૦૬ ગાઢ સુ ને તમાકા-એજ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy