SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ भंक १] गुजरातमां नैषधीयचरित उपर लखायेली टीकाओ [२७ ગદેવના અવસાન પછી મહામાત્ય માધવદેવે કોઈ ઉદયરાજને રાજ્યગાદીએ લાવ વાનો પ્રયત્ન કરતાં બૈરાજ્યને કારણે ગુજરાતમાં ભારે અંધાધુંધી ચાલી હતી. કર્ણ વાઘેલાના સમયમાં ગુજરાત ઉપર મુસલમાનોએ ચઢાઈ કરી તેનો ઉલ્લેખ પણ ટકામાં છે. પહેલા સગને અંતે ટીકામાં જણાવેલું છે કે “સ્વેચ્છાએ કરેલા ઉપદ્રવને કારણે ટીકાનું પ્રતીક બળી ગયું હતું, તેથી તેની ઉચિત પૂર્તિ ચંદુ પંડિતના વિદ્વાન બંધુ ટાણે કરી હતી. (ટ્ટે છોસ્ટિવર્જિતકતી રાશિમાં પૂરથતિ આ સન્યા ) સં. ૧૩૫૩ માં ચંડ પંડિતે ટીકા પૂરી કરી અને એજ વર્ષમાં સારંગદેવનું અવસાન થયું હતું. તે સમય પછીના જે ઉલ્લેખો દાખલ થયા છે તે ચંડ પંડિતના ભાઈને હાથે દાખલ થયા હશે એમ માનવું સમુચિત છે. ચંડ પંડિતે વેદ ઉપર એક ટીકા લખી હોવાનું જણાય છે. ૯મા સર્ગની ટીકામાં આ ઋગ્વદ-ટીકામાંથી એક વિસ્તૃત અવતરણ તેણે આપ્યું છે. સાયણાચાર્ય કરતાં ચંડુ પંડિત અર્ધી સદી જેટલો જૂનો છે, એટલે આ ટીકા ઘણું મહત્વની ગણાય. પરંતુ અત્યારે તે ઉપલબ્ધ નથી. ચંડુ પંડિત વૈદિક કર્મકાંડને નિષ્ણાત હતો અને સંસ્કૃત કાવ્યોનો તે એકમાત્ર ટીકાકાર એવો છે જે વારંવાર શ્રૌતસૂત્રોના હવાલા આપે છે. તેણે સોમસત્રો તથા દ્વાદશાહ અને અગ્નિચયન યજ્ઞો કર્યા હતા. વાજપેય યજ્ઞ તથા બૃહસ્પતિસવ કરીને તેણે અનુક્રમે “સમ્રાટ” અને “સ્થપતિ'ની પદવી ધારણ કરી હતી. આ ઉલ્લેખો બતાવે છે કે ચંડ પંડિત ભારે સમૃદ્ધિશાળી હોવો જોઇએ. બીજું એ પણ જાણવા મળે છે કે વિક્રમના ચૌદમા સૈકામાં ગુજરાતમાં વૈદિક યજ્ઞો થતા હતા. ચંડુ પંડિતે પોતાના પુરોગામી વિદ્યાધરની ટીકાનો નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે टीकां यद्यपि सोपपत्तिरचनां विद्याधरो निर्ममे श्रीहर्षस्य तथापि न त्यजति सा गम्भीरतां भारती । दिकृलंकषतां गतैर्जलधरैरुगृह्यमाणं मुहुः पारावारमपारमम्बु किमिह स्याजानुदघ्नं क्वचित् ॥ નૈષધ” ઉપર તો શું પણ બીજા કોઈ પણ સંસ્કૃત કાવ્ય ઉપર ચંડુ પંડિતના જેટલી વિદ્વત્તાપૂર્ણ ટીકા બીજી એક પણ લખાઈ નથી. “નૈષધ' જેવા પાંડિત્યપૂર્ણ કાચના વિવેચકે પોતાની ટીકામાં આપણું પરંપરાગત વિદ્યાના પ્રત્યેક ક્ષેત્રના ગ્રન્થોમાંથી સવિસ્તર અવતરણ આપ્યાં છે અથવા પ્રસ્તુત ઉલ્લેખો કર્યા છે; એટલું જ નહીં પણ તે તે સ્થળે તેણે જે મૂલગામી વિવેચન કર્યું છે તે બતાવે છે કે ચંદુ પંડિત ન્યાય, વ્યાકરણ અને સાહિત્યનો પ્રકાંડ પંડિત હતો. ચંડુ પંડિતની ટકામાં દાર્શનિક ગ્રન્થોમાં પ્રશસ્તપાદભાષ્ય શ્રીધરની “ન્યાયકદલી, કુમારિકનું “શ્લોકવાતિક ભાસર્વસનો “ન્યાયસાર,’ આનંદબોધકૃત ૧૬. xxx કથા દ્વાન મામાશ્રીમાધવદેવેન શ્રી ક્યારે રાજ્ઞનિ વાર્તુમાર સતિ મહ. राजश्रीकर्णदेवस्य भूमौ गूर्जरधरित्र्यां सर्वत्र सर्वैर्जनानां वित्तेऽपहियमाणे द्वैराज्यात् लोके विरक्तिરનિ (૮-૫૯ ઉપરની ટીકામાંથી) ૧૭. બાવીસમા સની ટીકાને અંતે – यो वाजपेययजनेन बभूव सम्राट कृत्वा बृहस्पतिसवं स्थपतित्वमाप । यो द्वादशाहय(बोनेऽमिचिदप्यभूत सः श्रीचण्डुपण्डित इमां विततान टीकाम् ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy