SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કરી હતી. તેમણે અધ્યાપક આથવલે સાથે આ સંબંધમાં વિહંગ-દૃષ્ટિએ ઊહાપેહ કરી કેટલાક વિચારોનું ટાંચણ કરાવી લીધું હતું. પરંતુ હું અહીંથી આષાઢ શુક્લ દ્વિતીયાને દિને નીકળીને અમદાવાદ ગમે ત્યાર પછી મને તેની ખબર પડી; કેમકે હું તે તત્ત્વોથોધિગમસૂત્રની ભૂમિકાને માટે સામગ્રી મેળવવાના ઇરાદાથી પરિડતજી પાસે ગયો હતો, જોકે તેમની સાથે મારે પત્રવ્યવહાર પૂરતો જ થોડોક પરિચય હતું. તેમ છતાં મારે સાનન્દ કહેવું પડશે કે તેમણે મને આ સામગ્રી સૂચવવા ઉપરાંત પોતે સ્તોત્ર-યુગલ પરત્વે જે ટાંચણ તૈયાર કરી રાખ્યું હતું તે અપૅણ કરી મારું સ્વાગત કર્યું. આ માટે હું તેમને ધન્યવાદપૂર્વક ઉપકાર માનું છું. અત્ર રજુ કરવામાં આવનારી સંતુલના જોઈને કોઈ સુજ્ઞ પાઠકને જરૂર એ વિચાર ઉદ્દભવશે કે એક કવિએ અન્ય કવિનું અનુકરણ કર્યું છે. વળી કોઈને તો એમ પણ શંકા થશે કે અનુકરણ કરનારો કવિ બહુમાં બહુ તો જેનું અનુકરણ કરે છે તેની બરાબરી કરી શકે છે, પરંતુ તેના કરતાં ઉચ્ચતર કાવ્યનો તે નિર્માતા થતો નથી. આથી આ સંબંધમાં નમ્ર ભાવે એ સૂચવવું અનાવશ્યક નહિ ગણાયકે પ્રથમ તે સૃષ્ટિશાસ્ત્રને એ સામાન્ય સિદ્ધાન્ત છે કે જગતમાં બીલકુલ નવું એવું કંઈ ઉત્પન્ન થતું નથી તેમજ જે અરિતત્વમાં છે તેને સર્વથા નાશ પણ કદાપિ થતો નથી. અભૂત પૂર્વ—તદન નવીન કલ્પના કોઈ પણ કવિને રફુરતી નથી. પૂર્વના કવિઓએ કરેલી કલ્પના ઉપર જ પ્રાયઃ તેના કાવ્યનું ઉપજીવન હોય છે. કહ્યું પણ છે કે "त एव पदविन्यासा-स्ता एवार्थविभूतयः। तथापि नव्यं भवति, काव्यं प्रथनकौशलात् ॥" આ સુવિદિત પ્રસિદ્ધ ઉક્તિની સત્યતા સામાન્ય કવિની કૃતિમાં જ નહિ પણ શ્રીયુત મહાદેવ પાંડુરંગ એક “ચિત્રમય જગત (વ. ૩. અં. ૧)ના ૧૨ મા પત્રમાં મેઘદૂત કાવ્યનું મૂળ” એ લેખમાં દર્શાવે છે તેમ કવિકુલકિરીટ કાલિદાસ, ભવભૂતિ, બાણ જેવાની કૃતિમાં સુદ્ધાં જણાઈ આવે છે. અનુકરણ કરનાર જેનું અનુકરણ કરે છે તેનાથી ચાટી ન જાય એ વાત કેવળ શુષ્ક અનુકરણ કરનારા પર ધટે છે. બાકી પ્રતિભાસંપન્ન કવિની વાત તે ન્યારી છે. જેમ એકાદ કારીગર બીજા કોઈ કારીગરે બનાવેલી મૂર્તિને જોઈને તર્ગત દોષને દૂર કરી વિશેષ રમણીય મૂર્તિ બનાવે છે અથવા એકાદ ચિત્રકાર અન્ય આલેખેલું ચિત્ર નિહાળી તેના દો સુધારી વિશેષતઃ નિર્દોષ ચિત્ર આલેખે છે તેમ મહાકવિ રમ્યતર કૃતિ ઉપસ્થિત કરી શકે છે. મહાકવિ પિતાના બુદ્ધિબળને લઈને અનુકરણય સંભારને સદુપયોગ કરે છે. અનુકરણીય કૃતિમાંની વિવિધ મનહર કલ્પનાઓ અને સુલલિત પદેને તે પૂરેપૂરો ન્યાય આપે છે. કેઈ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy