SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સિવાય બાકીની પંદર વિદ્યા-દેવીઓની સ્તુતિ કરી, જ્યારે અઁમા દેવીની બે વાર અને શ્રુતદેવતાની તા ત્રણ વાર સ્તુતિ કરી તે શું ન્યૂનતા ન ગણાય ? વિશેષમાં અત્ર એ પણ ધ્યાનમાં લેવા જેવી હકીકત છે કે જે ચાર પ્રાતિહાર્યોનું વર્ણન આ સ્તોત્રમાં કરવામાં આવ્યું છે તે ક્રમપૂર્વક નથી, કેમકે ક્રમ પ્રમાણે તે ચામરનું વણૅન સિંહાસનના વર્ણન પછી આવવું જોઇએ. વળી જે ચાર પત્રોની અધિકતા દિગંબરા સૂચવે છે તેનાં સ્થાનના વિચાર કરતાં વ્યતિક્રમ માટે વિશેષ અવકાશ જણાય છે, કેમકે તેમાં નીચે મુજબ પ્રાતિહાર્યોનું વર્ણન છેઃ— (૧) અશાક વૃક્ષ, (૨) સિંહાસન, (૩) ચામર, (૪) છત્ર, (૫) દુન્દભિ, (૬) પુષ્પ, વૃષ્ટિ, (૭) ભામંડળ અને (૮) દિવ્ય ધ્વનિ. આથી સવાલ એ ઊભો થાય છે કે જે કવિરાજને આડે પ્રાતિહાર્યોનું વર્ણન કરવું હાય તે ક્રમશઃ તેમ ન કરતાં ગમે તેમ કરે? ભક્તામરસ્તાત્રનાં પદ્યોની સંખ્યા ૪૪ ની હાવી જોઇએ એ વાત એની 'પાદ-પૂર્તિપ જે કાન્યા અત્યારે ઉપલબ્ધ થાય છે તે જોતાં પણું તરી આવે છે. ૪૮ પદ્યોના સમસ્યારૂપ અને પ્રશસ્તિરૂપ એક એક મળીને ૪૯ પોપ પ્રાણપ્રિય કાવ્ય છે એમ જો દિગંબરો સૂચવવા તૈયાર થતા હાય તા તેમને એ ભૂલવું ન જોઇએ કે આમાંનાં ૩૨માથી ૩૫મા સુધીનાં પત્રો સિવાયનાં બાકીનાં પદ્યવાળું કાન્ય શ્વેતાંબરીય હાવાનું શ્વેતાંખરા સૂચવે છે. આથી વિવાદગ્રસ્ત કાવ્યના ઉપયોગ કરવા તે અસ્થાને છે એમ માની મેં ઉપર્યુક્ત હકીકત નિવેદન કરી છે. વળી ભક્તામર અને કલ્યાણમંદિર એ બે સ્તત્રોમાંથી કોઇ એકમાં બીજાના અનુકરણની છાયા છે એ વાત પણ ભક્તામરની સંખ્યાના નિર્ણયની દિશામાં પ્રકાશ પાડે છે. આ ઉપરથી હું તા એમ માનવા તૈયાર થાઉં છું કે ભક્તામરસ્તાત્ર ૪૪ પધનું છે અને એ સ્થિતિ શ્રીગુણાકરસૂરિના સમયમાં પણ હતી. એના સમયમાં જો ચાર અધિક પો હાવાની કિંવદન્તી હૈ।ત, તેા તેઓ તે ચાર પદ્યોના જરૂર નિર્દેશ કરત. આથી અધિક ચાર પો યારથી દાખલ થયા તે પ્રશ્નને કાઇ સાક્ષર હાથ ધરી પ્રકાશ પાડશે તે આનંદ થશે. આ પ્રમાણે પદ્યની અધિકતા સંબંધી વિચાર કરી જોચે અને એક રીતે તેની સંખ્યા આછી હોઇ શકે કે કેમ તે પણ જોઇ લીધું. છતાં ડૉ. ચકાખી મહાશયના મત નોંધી લઇએ. તેમની માન્યતા એક તો એ છે કે કલ્યાણમન્દિરસ્તાત્ર એ ભક્તામરના અનુકરણરૂપ છે. વળી ભક્તામરના ૪૩ મા શ્લાક પ્રક્ષિપ્ત છે, કેમકે ૩૪ માથી ૪૨ મા સુધીનાં પદ્યગત વર્ણનાના એ શુષ્ક ઉપસંદ્ગાર છે અને ખરેખરા કવિ તા આવું પદ્ય રચે જ નહિ. આ સંબંધમાં તેઓ સૂચવે છે કે કલ્યાણમંદિરમાં ૪૩ શ્લોકેા જ વસંતતિલકા છંદમાં છે, એ આ ૧ આની માહિતી માટે જુઓ સંસ્કૃત ભૂમિકા ( પૃ. ૧૪–૧૫), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy