SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ આસુખ સામાન્ય દિનચર્યા પરમાર્થિક કાર્યોની આટલી બધી પ્રવૃત્તિ છતાં તેઓની દૈનિક ધર્મ સંબંધી કરણી ચાલુ હતી, તેમાં ખામી આવવા દેતા નહિ એ સંબંધમાં થોડોક ઇસારો કરીએ. સવારમાં નમોક્કાર સ્મરણ પૂર્વક વ્હેલા ઉઠી, પ્રાતઃપ્રતિક્રમણ કરી લેતા. પછી દિશા જંગલ જઇ આવી દર્શન કરી, એકાસણાદિક વ્રત ન હોય તો દૂધ વાપરતા. મુનિમહારાજનો યોગ હોય તો અવશ્ય વ્યાખ્યાન સાંભળવા જતા. ત્યાંથી આવી પ્રભુપૂજામાં સારો સમય ગાળતા. પછી જમી લગભગ બાર એકે પરવારી સંસ્થામાં આવી તેનાં કામકાજ સંભાળતા. આવેલી ટપાલ વિગેરે વાંચી લઇ, તેના યોગ્ય જવાબો લખવાની સૂચના આપી સામાયિક કરવા બેસતા, અને તેમાં પોતાના હંમેશનાં પ્રકરણો, સ્તવનો વિગેરેનો નિત્ય પાઠ કરતા; છતાં સામાયિક માટેના ટાઈમ અને સંખ્યાની નિયતતા ન્હોતી. સાંજ પડવા આવે એટલે વ્રત ન હોય તો વાળુ, દર્શન, પ્રતિક્રમણ વગેરે આવશ્યક કરી પાછા ખાસ ટપાલનો જવાખ અથવા સંસ્થાને લગતાં ખીજા કામના કાગળો લખાવતા અને લગભગ દશ વાગ્યાને સુમારે સૂઈ જતા. તેઓ હમ્મેશ ખન્ને વખત પ્રતિક્રમણ કરતા હતા; મુસાફરીમાં પણ આ નિયમ ચૂકતા જ નહીં; ગમે ત્યારે મોડી રાત્રે ગાડી પહોંચે તો તે વખતે પણ પ્રતિક્રમણ કરવાનું ભૂલતા નહીં. કદાચ ગાડીને આવવાની વાર હોય તો પ્રતિક્રમણ કરવા બેસી જાય, ને કોઇ વખત ઉલ્લાસમાં ચડી જાય, તો ગાડી આવીને ચાલી પણ જાય, તેનુંયે કાંઇ નહીં. જે ગાડીથી ઉતરીને ન કરી શકાય તેમ હોય કે રાત્રે કે સવારે ઉતરવાનો વખત મળે તેમ ન હોય, તો પછી સામાયિક ઉચ્ચર્યા વિના ગાડીમાં જ ષડાવશ્યક કરી લેતા, પરંતુ પ્રતિક્રમણ કરવાનું ચૂકતા નહીં. ગુરુ મહારાજનો જોગ હોય તો જરૂર તેમની સમક્ષ જ ષડાવશ્યક કરતા અને તે ઉભા ઉભા ને વિધિસર. સઝાય, સ્તવન કે વંદિત્તાસૂત્ર તેઓ બહુ જ એકાગ્રતાથી બોલતા અને જે પદોથી વધારે ઉચ્છ્વાસ આવતો તે પદો વારંવાર તટ્વીન થઈને ખોલતા. જિનપૂજા પ્રભુપૂજામાં તો શેઠ વેણીચંદ જિનમંદિરમાં પ્રવેશ કરે એટલે મૂર્તિમતી ભક્તિદેવી જ ત્યાં સોંલ્લાસથી વિલસી રહે. ત્રણ નિર્દિ” નો તેમનો ઉચ્ચાર કેવળ વિધિ સાચવવા પૂરતો ન રહે, પરંતુ સર્વે સાવદ્ય વ્યાપારોનો તે વખતે નિષેધ જ થઈ જાય અને પૂજામાં તહીનતા જ આવી જાય. પોતાની મેળે પ્રક્ષાલન, અંગનુંચ્છન વિગેરે કરે; પછી ભાવપૂર્વક વિવિધ દ્રવ્યોથી અષ્ટપ્રકારે પૂજા કરે. પૂજાનાં ઉપકરણો અને દ્રવ્યો સુંદર પસંદ કરતા—ભક્તિમાં વધારો થાય તેવાં. રકાખી, વાટકી, ( ધૃપાધાનક) પધાણું, ફાનસ વિગેરે ઉપકરણો ચાંદીનાં રાખતા. કેસર, ખરાસ, સુખડ, ગ્રૂપ વિગેરે દ્રવ્યો પણ પોતાનાં જ વાપરતા. પ્રભુપૂજામાં પુષ્પો તો રોજ નિયસિત હોવાં જ જોઇએ અને તે સારાંમાં સારાં અને સુગંધિત. ગમે તે ખર્ચે પણ પુષ્પ વિના તો ચાલે જ નહી. પુષ્પોના ઉત્તમ હાર વિગેરે વધારે પ્રમાણમાં મળે તો તેમનું મન હર્ષથી નાચવા લાગે અને જો જોઇએ તેટલા ન મળ્યા હોય તો તુરત ગામમાં માળીને ઘેરે ઘેર કે દહેરે દહેરે માણસ મોકલીને જ્યાં માળી-માલણો હોય ત્યાંથી માંગે તેટલી કિંમત ખર્ચીને પણ્ પુષ્પો મેળવવાનો આગ્રહ રાખતા. આ રીતે વિવિધ પ્રકારે દ્રવ્યપૂજા કરી લઇ ભાવપૂજામાં જ્યારે તદ્દીન થતા હતા ત્યારે, ઉચ્ચ સ્વરે જે ઉલ્લ્લાસથી પ્રભુગુણસ્મારક સ્તવનો ખોલતા હતા, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy