SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ (૯) શ્રેયસકરમંડળ ' અનેક પેટા ઉદેશને સમાવી દઈ બહોળો ઉદેશ અને વિશાળ કાર્યક્ષેત્ર ધ્યાનમાં રાખીને શાંતમૂર્તિ મુનિરાજ શ્રીહંસવિજયજી મહારાજના ઉપદેશથી સ્થપાયેલી સંસ્થા છે. અહીં જણુંવેલાં બધાં કામોમાંનાં ઘણું ખરાં ખાતાંઓ આ શ્રેયસ્કર મંડળના ઉદ્દેશને અનુસરીને તેના અંગ તરીકે ચાલે છે, અને ઘણું ખરાં મહેસાણા પાઠશાળાના વહિવટ સાથે સંબંધ ધરાવે છે. શ્રેયસ્કર મંડળ નામ રાખતી વખતે શેઠ વેણીચંદે વાંધો લીધો હતો. તે ઉપરથી તેમના હદયમાં રહેલી નમ્રતાનું માપ કાઢી શકાય છે. શ્રેયસ્કર એટલે શ્રેયઃ કરનાર એવો અર્થ થાય છે, પરંતુ “શ્રેયઃ કરવાનું આપણું ગજું શું? અને ગજા વિના એવું નામ રાખીએ, તે ગર્વ કર્યો ગણાય, માટે નામ તો “શ્રેયઃ ઈચ્છક એવા ભાવાર્થનું રખાય તો ઠીક. અને બની શકે તેટલું શ્રેયઃ કરી બતાવવું, પરંતુ તેવું નામ રાખી ગર્વને સ્થાન ન આપવું જોઈએ.” છતાં બીજા ગૃહસ્થોની ઈચ્છાથી નામ તો “શ્રેયકર મંડળ” જ કાયમ રહ્યું. આ શેઠની નમ્રતા અને નિરભિમાન વૃત્તિનો ખ્યાલ આપવાને આ દાખલો બસ થશે તથા આરંભે શૂરાપણું બતાવી માત્ર આડંબર કરવાની વૃત્તિ તેઓમાં નહોતી, એ પણ આથી પુરવાર થશે. (૧૦) આગમેદય સમિતિ પવિત્ર આગમ ગ્રંથોને છપાવવા માટે આગોદ્ધારક શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજે અસાધારણ ઉત્સાહ અને પ્રેરણાથી આગમવાના શરૂ કરી હતી, જેમાં જ્ઞાનરુચિવંત સાધુ, સાધ્વી તથા શ્રાવક, શ્રાવિકા સાંભળવા બેસતા હતા. આગને શુદ્ધ કરી સારા કાગળો ઉપર સારા પ્રેસમાં છપાવવાના તથા વાચનાના કાર્ય માટે એક સમિતિ સ્થાપવામાં આવી હતી જેનું નામ “આગામેાદય સમિતિ રાખવામાં આવ્યું. તેમાં ખર્ચ માટે નાણું મેળવવા તથા બીજી કેટલીક વ્યવસ્થા માટે શેઠ વેણીચંદ સમિતિમાં કાર્યવાહક તરીકે જોડાઈને રોકાયા હતા. તે વખતે પણ તેમણે ખરેખર તેમાં ઝંપલાવ્યું જ હતું. આ ખાતામાં પણ હજારો રૂપિયા મેળવી આપ્યા, જેથી ઘણુ ખરા આગમે છપાઈ ગયા. અત્યાર સુધીમાં બહાર પડેલા સાઠેક ગ્રન્થોમાંથી મોટા ભાગને પ્રકાશનમાં મૂકવાનું માન તેમને મળે છે એ આનન્દની વાત છે. (૧૧) મેમાનોની ભક્તિ કરવાનું ખાતું. (૧૨) દીક્ષા યે તેની પાછળના કુટુંબીઓને સહાય કરવાનું ખાતું. (૧૩) સંયમીઓને ઓઘા, પાટા, કામળ વગેરે ઉપકરણની સગવડ આપનાર ખાતું. (૧૪) શ્રીતીર્થંકરનાં પાંચે કલ્યાણકોના દિવસે તેમની ભક્તિ કરવાનું ખાતું. (૧૫) ગામે ગામથી સાધુ સાવીઓ પુસ્તકો મંગાવે તે પૂરું પાડનારું ખાતું. (૧૬) જીર્ણ થએલાં પ્રતિમાજીઓને લેપ કરાવવાનું ખાતું. (૧૭) સાધુ સાધ્વીઓને ઓસડની સગવડ આપનારું ખાતું. (૧૮) પુસ્તકો છપાવી અલ્પ મૂલ્ય કે વિના મૂલ્ય ભેટ આપનારું ખાતું. (૧૯) પાલીતાણામાં સાધુ સાધ્વીઓ વગેરેને ધાર્મિક સૂક્ષમ બોધ મળવા માટે અભ્યાસની સગવડ આપનારી પાઠશાળા. (૨૦) પાલીતાણામાં ગિરિરાજ ઉપર દરેક પ્રભુની લધૂપથી ભક્તિ કરનાર ખાતું. (૨૧) પાલીતાણામાં યાત્રાળુઓને ધર્મશાળે બેઠાં વૈદ્ય તથા ઔષધની સગવડ આપનાર ખાતું વગેરે ન્હાનાં મોટાં ઘણાં ખાતાંઓ તેમણે ખોલ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy