SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ મહેસાણા જૈન ધર્મના મુખ્ય સ્થળોવાળાં ગામોમાંનું એક સારું સ્થળ છે. એટલે આ રીતે અભ્યાસની સગવડ થતાં મુનિ મહારાજાઓનાં ચોમાસાં અવાર નવાર થવા લાગ્યા, અને તે હજુ સુધી ચાલુ જ છે. ત્યાર પછી કોઈ પણ ચોમાસું ખાલી ગયું હોય તેમ ઘણે ભાગે બન્યું નથી. ઉપાશ્રય વિગેરે ક્ષેત્રાનુકૂળતાનો તો પ્રશ્ન જ ન્હોતો. આજ સુધીમાં મુનિમહારાજાઓ તથા સાધ્વીજીઓએ મળીને લગભગ ૨૦૦ ને આશરે લાભ આપ્યો છે, અને વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર, કાવ્યો, દ્રવ્યાનુયોગના ગ્રંથો અને કર્મગ્રંથાદિક પ્રકરણને અભ્યાસ કરવાનો લાભ લીધો છે. પ્રસિદ્ધ વિદ્વાન અને વિવિધ પદવિભૂષિત કોઈ કોઈ સમર્થ મુનિ મહારાજાઓ પણ અત્ર સ્થિતિ કરી ગયા છે. એકાદ વર્ષ પછી વળી ઉદ્દેશને કાંઈક વિસ્તારવામાં આવ્યો. એટલે કે “જુદે જુદે સ્થળે જૈન પાઠશાળાઓ ખોલાઈ રહી છે, પરંતુ તેમાં યોગ્ય શિક્ષકો તો જોઇશેજ. માટે શ્રાવક ભાઈ ને પણ અભ્યાસ કરવાની સગવડ આપીએ તો ઠીક.” એ ઉદ્દેશથી સંવત્ ૧૯૫૫ ના માગશર માસથી ગૃહસ્થ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની સગવડ ઉભી કરી, ત્યારથી આજ સુધીમાં લગભગ ૫૦૦ વિદ્યાર્થીઓએ લાભ લીધો છે, અને તેઓમાંના ઘણાખરાએ પોતપોતાની યોગ્યતા, શક્તિ, સાધન અને સ્થિતિ પ્રમાણે પંચ પ્રતિક્રમણ ઉપરાંત જીવવિચાર વગેરે ચાર પ્રકરણ, છ કર્મગ્રંથ, ત્રણ ભાગ, મોટી સંગ્રહણું અને ક્ષેત્રસમાસ તથા સંસ્કૃતમાં ડૉ. ભાંડારકરની પ્રસિદ્ધ બન્ને સંસ્કૃત ચોપડીઓ, સાધારણ કાવ્યો, અને વિશેષ અભ્યાસ કરવાની ઈચ્છાવાળાઓએ સિદ્ધહેમલgવૃત્તિ તથા કાવ્યો, તેમજ પ્રાકૃત વિગેરેને અભ્યાસ કર્યો છે. દેશી નામું તથા અંગ્રેજી પણ ઉપગપુરતું શીખવું હોય, તો તેને માટે પણ સગવડ કરી આપવામાં આવે છે. આ પાઠશાળામાંથી નિકળેલા વિદ્યાર્થીઓમાંથી જેઓ વ્યાવહારિક લાઈનમાં નથી જોડાયા, તેમાંના ઘણા ખરા હેસાણા પાઠશાળામાં અને બહાર જૈનશાળાના માસ્તર તરીકે, થોડાક ઉપદેશકો, પરીક્ષકો અને સંસ્થાના મેનેજર તરીકે રોકાઈ શક્યા છે. શેઠ મણિભાઈ ગોકળભાઈ (J. P.) એ પોતાના કાકાની દિકરી નાથી બહેનના ટ્રસ્ટી તરીકે સંસ્થા માટે સગવડવાળું ભવ્ય મકાન બંધાવી આપ્યું, જેમાં આ પાઠશાળાના વિદ્યાથીઓ અભ્યાસ કરે છે, અને શેઠ વેણચંદે ઉપાડેલાં બીજાં ખાતાંઓના વહીવટની ઑફીસ પણ રાખવામાં આવી છે. આ પાઠશાળામાં વિદ્યાર્થીઓ પાસેથી કશે ખર્ચ લેવામાં આવતો નથી. પરંતુ ખાનપાન વિગેરે તથા અભ્યાસનાં સાધનો વિના મૂલ્ય પૂરાં પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓને યોગ્યતા પ્રમાણે માસિક ખર્ચ માટે કૉલરશીપ (શિષ્યવૃત્તિ) પણ આપવામાં આવે છે. - આ પાઠશાળામાં બહારના વિદ્યાર્થીઓની સંખ્યા અભ્યાસ કરવા આવે, મુનિમહારાજાઓ અભ્યાસ કરે, શા. કસ્તુરચંદ વીરચંદની વિદ્યાશાળામાં વિદ્યાથીઓ, મુનિમહારાજાઓ તથા સાધ્વીજીઓને અભ્યાસ ચાલે, આ રીતે મહેસાણાને શેઠ વેણચંદે વિદ્યાના વાતાવરણથી ભરી દીધું હતું. દરેકનું ધ્યાન મહેસાણું પાઠશાળા ખેંચી રહી હતી. આજે ય આ પાઠશાળા પોતાના ઉદ્દેશને અનુસારે યથાશક્તિ પ્રયત્ન કરી રહી છે. તેનું ફળ પણ સમાજને મળ્યું છે. તેનું ફંડ પણ સારું ગણી શકાય. શેઠ વેણુચંદ આ કામથી સૌથી વધારે પ્રસિદ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy