SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ જીવન વધતું ચાલ્યું. જૈન શાસનની સેવા કરવાની ભાવના જાગ્રત થઇ અને વધવા માંડી. તેમની સ્વયંસેવા અદ્વિતીય હતી. હિંદુસ્તાનમાં આ પુરૂષની જોડી મળવી મુશ્કેલ છે, અથવા જોડી નથી એમ કહીએ તો ચાલે, પરમાથી પુરૂષો પ્રાયઃ સ્થળે સ્થળે હશે, પણ તેઓ એક કે એ કામ કરી શકતા હશે. પણ આ પુરૂષને જુદે જુદે સમયે જે જે ભાવનાઓ ઉત્પન્ન થતી ગઇ તે તે ભાવનાઓ પ્રમાણે તેઓ કામોનો આરંભ કરતા ગયા, જેનો નામનિર્દેશાદિ નીચે મુજબ છે. તે વાંચવાથી તે પુરૂષની આત્મશક્તિ તથા ભાવનાઓનો યથાર્થ ખ્યાલ આવશે. (૧) મ્હેસાણામાં પુરૂષો માટે ઉપાશ્રય બંધાવવામાં પ્રથમ પરિશ્રમ લીધો. (૨) ગામેગામ પરિશ્રમ વેઠી પોટલાં ઉપાડી પ્રવાસ કરી જિનપ્રતિમાઓને લીંચવાળા હડીસંગભાઇની સહાય વડે ચક્ષુ ટીકા હોડવાનું કામ કર્યું. (૩) આયંબિલ વર્ધમાન તપનું પ્રથમ ખાતું પાલીતાણામાં ખોલ્યું. બાદ તેનાં અનુકરણ મુંબઇ, અમદાવાદ, ભાવનગર વગેરે ગામોમાં કરાવ્યાં થયાં. પં. ભક્તિવિજયજી (સમીવાળા) મહારાજ પણ આ ખાખતમાં ખાસ પ્રયત્ન કરે છે. (૪) છપ્પનિયા દુષ્કાળ વખતે મ્હેસાણામાં દુષ્કાળિયાઓની ખાનપાન, વસ્ર વગેરેથી જાતે સેવા કરી, પાટણમાં પણ તેવી હીલચાલ ચાલુ કરાવી. તે ખાયતમાં મે॰ સુખાસાહેબ ખાસેરાવભાઇ તરફથી પ્રશંસાપત્ર મળ્યું. (૫) પાલીતાણામાં શ્રીસિદ્ધાચલ ગિરિરાજ ઉપર તથા ગિરનારજી, આજી, રાણકપુર વગેરે તીર્થસ્થળે બેથી ત્રણ લાખ રૂપિયા ખરચાવી જીર્ણોદ્ધાર કરાવ્યા. માળવા મેવાડના જીર્ણોદ્ધાર માટે પણ તેમનો પરિશ્રમ હતો. આ કામમાં રાધનપુરવાળા સદ્ગત શેઠ મેાતીલાલ મૂળજી તથા વેરાવળવાળા શેઠ ગેવિંદજીભાઇ ખુશાલચંદનો પણ પ્રયત્ન હતો. વળી શ્રીઆનંદસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબનો પણ ખાસ ઉપદેશ હતો. વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પણ આ કામમાં ઘણો પ્રયત્ન કરે છે. છેલ્લું કામ તારંગાજીના જીર્ણોદ્ધારનું ઉપાડ્યું ત્યાં દેહ અટક્યો. ( ૬ ) શ્રીયશાવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા–મ્હેસાણા શેઠ વેણીચંદના સર્વે કાર્યમાં મુખ્ય અને પ્રસિદ્ધ આ ખાતું છે. સંવત્ ૧૯૫૩ની સાલમાં મુનિમહારાજાઓને વિદ્વાન્ બનાવવાનો વિચાર સ્ફુરાયમાન થયો અને તે દિવસે દિવસે એવો દૃઢ થતો ગયો કે “ધર્મ અને શાસનનો આધાર વિદ્વાન અને ચારિત્રપાત્ર મુનિમહારાજાઓ ઉપર છે, માટે ધર્મના અને શાસનના એ અંગને સંગીન બનાવવું જોઇએ.” એ વિચારને ન્યાયશાસ્ત્રના સંગીન અભ્યાસી સદ્ગત શ્રીદાનવિજય મહારાજની પ્રેરણાથી પુષ્ટિ મળી એટલે પછી આ વિચારે મૂર્ત સ્વરૂપ લેવા માંડયું. એક વાત મનમાં બેઠી અને મગજમાં ઘુમવા લાગી, પછી તો કાર્યની સિદ્ધિ થવાનો પ્રશ્નજ શો રહે? બસ નાણાંની સગવડ કરતાની સાથેજ એકાદ પંડિત રોકી લઇ સંવત્ ૧૯૫૪ ના કારતક શુદ્ધિ ૩ ને દિવસે કામ શરૂ કરી દીધું. તે વખતેય સ્થાનિક ભાઇઓનો ઉત્સાહ સારો હતો. શા. હરગેવિંદદાસ મગનલાલના ખાસ પ્રયત્નથી મ્હેસાણામાં આ સંસ્થાની સ્થાપનાની ખુશાલીમાં ઝડપથી સામગ્રીઓ તૈયાર કરાવી નમુક્કારસહી કરી સાર્ધામક વાત્સલ્યનો ઉત્સવ પણ કરવામાં આવ્યો હતો. ૧ રાણકપુરજીના જીર્ણોદ્ધારનું કાર્ય શેઠ દેવચંદ લાલભાઈ જવેરીએ કાઢેલી જીર્ણોદ્ધાર માટેની રકમમાંથી લગભગ રૂા. ૨૦૦૦૦ ની રકમથી અને ીજી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની રકમથી કરાવવામાં આવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy