SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ અથ થાય છે તે તેવી કોઈ ટીક કોઈ મહાશય પાસે હેય અથવા તેમના જાણવામાં હોય તે તે સંબંધી હકીકત તેઓ લખી જણાવશે તે તે પ્રસિદ્ધ કરવા અમે પ્રયલ સેવીશું - આ રચના સંશોધનાર્થે અમને જૂદા જૂદા જ્ઞાન-ભંડારમાંથી હત-પ્રતિઓ મળી છે. જેમકે ભક્તામરસ્તોત્રની શ્રીગુણાકરસુરિત ટીકા માટે સતતવિહારી શાન્તમૂર્તિ મુનિમહારાજ હંસવિજયજી તરફથી એક પ્રતિ મળી હતી, જ્યારે એક બીજી પ્રતિ અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના જ્ઞાનભંડારના કાર્યવાહક તરફથી મળી હતી. મહોપાધ્યાય શ્રીમેઘવિજયગણિકૃત બીજી ટીકાની બે હસ્ત-મતિઓ ઈતિહાસતત્ત્વમહેદધિ જૈનાચાર્ય શ્રીવિજયેન્દ્રસુરિજીએ સંશોધક મહાશય ઉપર મોકલવા કૃપા કરી હતી. શ્રી કનકકુશલગણિત ટીકાની એક પ્રતિ શ્રીમોહનલાલજી જ્ઞાનભંડાર (સુરત)ને કાર્યવાહક શ્રીયુત ચુનીલાલ ગુલાબચંદ દાલીઆ દ્વારા અને બીજી મુનિરાજ હંસવિજયજી તરફથી મળી હતી. કલ્યાણ મંદિર સ્તોત્રની શ્રી કનકકુશલગણિકત ટીકાની એકંદર ચાર પ્રતિઓ ઉપલબ્ધ થઈ હતી. તેમાં એક સવિજયજી તરફથી અને બીજી એક પ્રતિ શ્રીમહનલાલજી જ્ઞાનભંડાર (સુરત)ના કાર્યવાહક તરફથી અમને મળી હતી, જ્યારે દક્ષિણવિહારી મુનિરલ અમરવિજયજીના જ્ઞાન ભંડારની બે પ્રતિઓ તેમના શિષ્ય મુનિરાજ ચતુરવિજયજીએ સંશોધક મહાશયના ઉપર મોકલાવી હતી. આ સ્તંત્રની મુનિવર્ય શ્રીમાણિક્યચન્દ્રકૃત ટીકાની બે હરત-પ્રતિઓ અમને મળી હતી. તે પૈકી એક અમદાવાદના ડહેલાના ભંડારની જયારે બીજી શ્રીમદ્ વિજયવલ્લભસૂરિના શિષ્યરત મુનિરાજ વિચક્ષણવિજયજીની હતી. આ પ્રમાણે જે જે મહાશય તરફથી અમારા ગ્રન્થના સંશોધનાર્થે પ્રતિઓ મેકલવામાં આવી, તેમને અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છિયે. વિશેષમાં સ્વર્ગસ્થ શ્રીઉમેદવિજયના શિષ્ય-રત પં. શ્રીક્ષાન્તિવિજયે આ ગ્રન્થમાં છપાયેલ શ્રીભક્તામરસ્તેત્રની ટીકાયુગલનાં બીજી વારનાં યુફે તપાસી આપ્યાં તે બદલ તેમને તેમજ અવશિષ્ટ ભાગનાં કુફ તપાસવામાં સહાયતા કરનારા દક્ષિણવિહારી મુનિવર્ય શ્રીઅમરવિજયના શિષ્ય-રલ શ્રીચતુરવિજયને અત્રે ઉપકાર માનવાની અમે ફરજ સમજીએ છિયે. આ પ્રસંગે પરમ ઉપકારી અને આ સંરથાના પ્રાણદાતા આગદ્ધારક વ્યાખ્યાપ્રજ્ઞ જૈનાચાર્ય શ્રી આનન્દસાગરસૂરિજીને ઉપકાર માને અમે ભૂલી શકતા નથી, કેમકે તેમની અનુમતિ પૂર્વક આવા ગ્રન્થનું સંશોધન કાર્ય થયેલું હોવાથી તેમના તો અમે ગણી છિયેજ. વળી પાશ્ચાત્ય વિરલ જૈન ધર્મના પ્રખર અભ્યાસી પ્રોફેસર હમેણુ ચકાબી (Professor learnn Jacobi Dr. Phil. & Lit. Geheimer Regierungsrat) મહોદયને તા. ૧૧-૧૧-૧૬ ના પત્ર દ્વારા અમે અગ્રવચન કે પ્રસ્તાવના લખી મોકલવા વિનતિ કરી હતી તે તેમણે ૩૦–૧૧-૧૬ ના પત્ર દ્વારા સ્વીકારી અમને આભારી કર્યા, તેની નોંધ લેતાં અમને આનંદ થાય છે. : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy