SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ કર કલ્યાણમંદિરના કર્તાને પરિચય– જેમણે સન્મતિ-મકરણ તથા બત્રીસ બત્રીસો રચી છે અને વળી જેઓ છ નયના પ્રરૂપક છે તેમજ જેમણે જુસૂત્ર પર્યત સુધી દ્રવ્યાર્થિક નયની જે સીમા ગણાતી હતી તેને વ્યવહાર નય સૂત્ર સુધી જે માનીએ પ્રાભાવિક આચાર્ય શ્રીસદ્ધસેન દિવાકર કલ્યાણ મંદિરના કર્તા છે એવું જૈન પરંપરાનું મંતવ્ય છે. - આ સુરિશેખરનું જીવન તેમને પિતાને હાથે, તેમના સમસમયી કે નિકટવર્તી કોઈ વિબુધવરને હાથે આલેખાયેલું મારા જોવામાં આવ્યું નથી. એમના જીવનના અલ્પ કે અધિક, અધૂરા કે પૂર્ણ, સંદિગ્ધ કે અસંદિગ્ધ પરિચયનાં સાધન તરીકે પાંચ પ્રબંધે, એમની કૃતિઓ તેમજ એમના સંબંધી ઉપલબ્ધ ઉલ્લેખને નિર્દેશ કરી શકાય. પાંચ પ્રબંધમાં બે અમુદ્રિત છે. એમાં એક તે લગભગ દશમા સૈકા જેટલું પ્રાચીન અને ગદ્યરૂપકથાવલીગત પ્રબંધ છે. બીજે વિ. સં. ૧૨૯૧ પૂર્વે અને મેટે ભાગે એના આધારે જાયેલ મનાતે પદ્યબદ્ધ પ્રબંધ છે. એના કર્તાનું નામ અજ્ઞાત છે. બાકીના ત્રણ પ્રબંધેનામે (૧) પ્રભાવચરિત્ર, (૨) પ્રબન્ધચિન્તામણિ અને (૩) “ચતુર્વિશતિપ્રબન્ધ યાને પ્રબન્ધકેશ એથી અર્વાચીન અને મુદ્રિત છે અને તે ૭૧ વર્ષ જેટલા ટુંકા ગાળામાં લખાયેલા છે. આ અંતિમ પ્રબંધમાને શ્રીવૃદ્ધવાદિસિદ્ધસેનસૂરિપ્રબંધ પ્રભાવક ચરિત્રગત વૃદ્ધવાદિપ્રબંધને આભારી જણાય છે. એને મેં તૈયાર કરેલે અનુવાદ ટુંક વખતમાં છપાશે એટલે એ અહીં રજુ કરવામાં આવતો નથી. વળી વિવિધ પ્રબંધની વધઘટને પણ એની પ્રસ્તાવનામાં વિચાર કરવામાં આવનાર હોવાથી એ વાત પણ અત્ર પડતી મૂકવામાં આવે છે. અહીં તે શ્રીસિદ્ધસેન દિવાકર અને કલ્યાણ મંદિરના કર્તા કુમુદચંદ્ર એક જ વ્યક્તિ છે કે કેમ, તેમજ શ્રીસિદ્ધસેનદિવાકરને સમય મેટામાં મેટિ કયે નિઃશંકપણે માની શકાય એ હકીકત રજુ કરાય છે. પ્રભાવક ચરિત્રગત શ્રીવૃદ્ધવાદિપ્રબન્ધની કેટલીક હકીકત એ પ્રબન્ધના ૧૭૮ મા અને ૧૭૮ મા પદ્યમાં સૂચવ્યા મુજબ એક જીર્ણ શીર્ણ થયેલા મઠની પ્રશસિત ઉપરથી ચાયેલી છે. આથી એ પ્રબન્ધની વારતવિક્તા સામે વાંધો ઉઠાવનારે વિચાર કરે છે. એ પ્રબ માં ૪૪ પધવાળું કલ્યાણ મંદિરતેત્ર શ્રીસિદ્ધસેનદિવાકરની કૃતિ તરીકે નિર્દેશાયેલું છે. વળી એનું ૧૧ મું પદ્ય બોલાતાં ધરણેન્દ્ર પ્રકટ થે. તેના પ્રભાવથી શિવલિંગમાંથી ધૂમાડે નીકળવા લાગે અને જોતજોતામાં એમાંથી અગ્નિજવાળા પ્રકટી અને અંતે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રકટ થઈ, એમ પણ ત્યાં સૂચવાયું છે. વિશેષમાં શ્રીસિદ્ધસેને વાદમાં હારી જઈ જ્યારે શ્રીવૃદ્ધવાદી પાસે દીક્ષા લીધી ત્યારે તેમનું કુમુદચંદ્ર નામ પાડવામાં આવ્યું હતું એ વાતને પણ ત્યાં ઉલ્લેખ છે, પરંતુ આના સમર્થનાથે હજી સુધી કોઈ પ્રાચીન પૂરાવો જોવામાં આવતું નથી એટલે કલ્યાણ મંદિરના અંતિમ પદ્યમાં કુમુદચન્દ્ર શબ્દ જોઈ શ્રીપ્રભાચંદ્રસૂરિએ એ ઉપજાવી કાઢેલી વાત હશે એમ કેટલાક સાક્ષનું માનવું છે. - ૧ આ પ્રમાણેની સીમાને એમના પછીના દિગંબરીય સાહિત્યમાં તો સર્વાશે સ્વીકાર થયેલો જોવાય છે. એ એમની વિચારપટતા ઉપર પ્રકાશ પાડે છે. ૨ આ શ્રીભદ્રેશ્વરની કૃતિ છે. ૩-૫ રચના સમય અનુક્રમે વિ. સં. ૧૩૩૪, વિ. સં. ૧૩૬૧, અને વિ. સં. ૧૪૦૫ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy