SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ १७ આમ આ અધ્યયન વર્તમાનમાં સાધુ-સાધ્વીજી ભગવંતો માટે ઘણી ઘણી જાગૃતિ આપનારું છે. ૩૬. જીવાજીવ-વિભક્તિ અધ્યયન : ગાથા-૨૬૬ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના માધ્યમથી અજીવતત્ત્વની પ્રરૂપણા કરવામાં આવી છે. ત્યારપછી જીવની પ્રરૂપણા કરી છે તેમાં જીવના બે પ્રકાર સંસારી અને સિદ્ધ જણાવી તે જીવોના ભેદ, આયુષ્ય, કાયસ્થિતિ, વર્ણ આદિ જણાવેલ છે. આમ જીવ-અજીવનું સ્વરૂપ બતાવી ઉપદેશ આપ્યો છે કે–“મુનિએ આ સ્વરૂપ જાણીને સંયમમાં રતિ કરવી અને ઘણા વર્ષો સુધી ચારિત્રનું પાલન કરી છેવટે સંલેખના કરવી”. આ પ્રમાણે બોધ આપી પછી દ્રવ્યસંલેખના અને ભાવસંખનાનું સંક્ષિપ્ત વર્ણન કરેલ છે. ત્યારપછી કંદર્પભાવના, આભિયોગ્યભાવના, કિલ્બિષીભાવના, મોહભાવના અને આસુરીભાવના આ પાંચ અશુભ ભાવનાનો ત્યાગ કરવાનું કહેલ છે, કેમકે આ અશુભ ભાવના ભાવવાથી દુર્ગતિ પ્રાપ્ત થાય છે ઇત્યાદિ આ અધ્યયનમાં જણાવેલ છે. આ રીતે ૩૬ અધ્યયનો સામાન્ય સાર અહીં જણાવ્યો છે. ઉત્તરાધ્યયનસૂત્ર ઉપરની “દીપિકા ટીકામાં અંતિમ પ્રશસ્તિ પૂર્વે કહ્યું છે કે, પૃ. ૬૦૨ जोगविही वहित्ता, एए जो लहइ सुत्तअत्थं वा । भासेइ य भवियजणो, सो पावइ निज्जरं विउलं ॥ जस्साढत्ता एए, कहवि समप्पंति विग्घरहियस्स । सो लक्खिज्जइ भव्वो पुव्वरिसी एव भासंति ॥ – યોગવિધિને વહન કરીને આ ઉત્તરાધ્યાયોનો જે સૂત્ર-અર્થ ગ્રહણ કરે છે તે ભવ્યજન કહેવાય છે (અને) તે વિપુલ નિર્જરા પ્રાપ્ત કરે છે. – જેને આધીન આ ઉત્તરાધ્યાયોનો સૂત્ર, અર્થ છે તે કોઈપણ રીતે વિધ્વરહિત સમ્યગુ અર્પણ કરે તે ભવ્ય પુરુષ જાણવો (એ પ્રમાણે) પૂર્વના મહર્ષિઓ કહે છે. ઉપકારસ્મરણ : આ ઉત્તરાધ્યયનસૂત્રના સંપાદનકાર્યમાં પરમપૂજ્ય, વ્યાખ્યાનવાચસ્પતિ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન અધ્યાત્મયોગી પરમપૂજય પંન્યાસપ્રવર શ્રીભદ્રકરવિજયજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજય પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયમહારાજસાહેબે મને જે સ્વાધ્યાય કરવાનો લાભ આપ્યો છે અને તે દરમ્યાન મારા જે અધ્યવસાયોની અતિનિર્મળતા થઈ છે, તે બદલ પૂજ્યશ્રીની ખૂબ ખૂબ ઋણી છું અને મારું પરમસદ્ભાગ્ય સમજુ છું કે, આ મૂલાગમગ્રંથના કાર્યમાં મારો જે સમય વ્યતીત થયો તે મારા જીવનનો શ્રેષ્ઠ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002569
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJaykirtisuri
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages370
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy