SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેમાં રાગ-દ્વેષરૂપ પાપનો તિરસ્કાર, ત્રણ દંડ, ત્રણ ગારવ અને ત્રણ શલ્યનો ત્યાગ, ચાર કષાય, ચાર સંજ્ઞા અને ચાર વિકથાનો ત્યાગ, પાંચ મહાવ્રતનું પાલન, પાંચ ઇન્દ્રિયોના વિષયનો ત્યાગ, છ લશ્યાનું સ્વરૂપ, પૃથ્વીકાયાદિ છ કાયની રક્ષા, સાત ભય અને આઠ મદનો ત્યાગ, નવ બ્રહ્મચર્યગુપ્તિનું પાલન, દશ પ્રકારના સાધુધર્મનું પાલન, એ રીતે યાવત તેત્રીસ પ્રકારની આશાતના ત્યાગનું વર્ણન કરવામાં આવેલ છે, તેમાં ઉપાદેયનું ગ્રહણ અને હેયનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે તે પ્રમાણે વર્તનાર જીવ મોક્ષને પામે છે. ૩૨. પ્રમાદસ્થાન અધ્યયન : ગાથા-૧૧૧ આ અધ્યયનમાં અવિરતિ, કષાય વગેરે પ્રમાદના સ્થાનો ત્યજવા લાયક છે અને જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદરવા લાયક છે તેનો ઉપાય સદ્ગુર્નાદિકની સેવા, સ્વાધ્યાય, એષણીય આહાર આદિનો વિસ્તારથી ઉપદેશ આપ્યો છે. એમાં કામભોગોનું દારુણ પરિણામ બતાવીને પાંચ ઇંદ્રિયોના વિષયોનું વિશદ વર્ણન છે તેમાંથી બચવા માટેનો સુંદર ઉપદેશ આપેલ છે. છેલ્લે સર્વ પ્રમાદના સ્થાનોથી સંયમીને દૂર રહેવાનું જણાવ્યું છે. ૩૩. કર્મપ્રકૃતિ અધ્યયન : ગાથા-૨૫ આ અધ્યયનમાં કર્મનું સ્વરૂપ બતાવ્યું છે, તેમાં પ્રથમ જ્ઞાનાવરણીયાદિક આઠ કર્મ અને તે દરેકની ઉત્તરપ્રકૃતિ ભેદસહિત વર્ણવી છે અને પછી કર્મના પ્રદેશાગ્ર ક્ષેત્ર, કાળ અને ભાવ વિસ્તારથી વર્ણન કરવામાં આવેલ છે. ૩૪. વેશ્યા અધ્યયન : ગાથા-૬૧ કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ આદિ છ લેશ્યાઓના વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ અને આયુષ્ય બતાવ્યા છે. તેમાં ચારે ગતિના જીવોને આશ્રયીને વેશ્યાની સ્થિતિ વિસ્તારથી જણાવી છે. ૩૫. અનગારમાર્ગગતિ અધ્યયન : ગાથા-૨૧ આ અધ્યયનમાં સાધુના ગુણો બતાવ્યા છે. તેમાં પ્રથમ પાંચ મહાવ્રતો પાળવાના છે પછી સાધુએ કેવા સ્થાનમાં રહેવું અને કેવા સ્થાનમાં ન રહેવું તે જણાવેલ છે. કામને જાગૃત કરનાર અત્યંત અનુકૂળ ઉપાશ્રયમાં ન રહેવું, પોતે સ્થાનો ન કરાવવા, શુદ્ધ ભિક્ષાચર્યાથી જ જીવનનિર્વાહ કરવું, સંયમપાલન માટે જ ભોજન કરવું, વંદનાદિ સત્કાર સન્માનની મનથી પણ ઇચ્છા ન કરવી અને મૃત્યુ સમયે સંલેખના કરી મમત્વવિનાના થવું આદિ ઉપદેશ કહ્યો છે. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002569
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJaykirtisuri
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages370
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy