SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ કોઈ પુરુષ ગાડીમાં ગળીયા બળદ જોડીને પરગામ જવા નીકળે અને બળદને મારકૂટ કરી છેવટે ખેદને જ પામે છે તેમ અવિનીત શિષ્યોને વારંવાર શિક્ષા આપવા છતાં તે વિનીત થતા નથી અને ઊલટા અસમાધિનું કારણ થાય છે, તેથી અવિનીત શિષ્યોને છોડી અન્યત્ર જઈ આત્મકાર્ય સાધવું એ જ ઉત્તમ ઉપાય છે' એમ વિચારી ગર્ગ મુનિ અવિનીત શિષ્યોનો ત્યાગ કરી અન્યત્ર જઈ સંયમમાર્ગમાં વિચરવા લાગ્યા. ૨૮. મોક્ષમાર્ગગતિ અધ્યયન : ગાથા-૩૬ આ અધ્યયનમાં મોક્ષમાર્ગનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર કારણો બતાવ્યા છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય તથા તેના લક્ષણો, નવ તત્ત્વોનું સ્વરૂપ, સમકિતના ભેદો તેનું માહાભ્ય, દર્શનાચાણના આઠ પ્રકાર, પાંચ પ્રકારના ચારિત્ર, છ પ્રકારનો બાહ્ય તપ તથા છ પ્રકારનો અભ્યતર તપ એમ બાર પ્રકારના તપનું વર્ણન આ અધ્યયનમાં કરવામાં આવેલ છે. ૨૯. સમ્યક્તપરાક્રમ અધ્યયન : આલાવા-૭૬ આ અધ્યયનમાં સંવેગ, નિર્વેદ, ધર્મશ્રદ્ધા આદિ ૭૬ દ્વારા બતાવ્યા છે. શિષ્ય : “સોળ અંતે નીવો વિ નJય' ? પ્રભુ: “સંવેગે મyત્તરંથHસદ્ધનાયડુ, મધુત્તરા થા , સંવેદવ્યHIYચ્છ'T શિષ્ય : હે ભગવંત ! સંવેગથી જીવ કેવો ગુણ પેદા કરે છે ? પ્રભુ : સંવેગથી જીવ અનુત્તરધર્મની શ્રદ્ધા પેદા કરે છે. અનુત્તર ધર્મશ્રદ્ધાથી સંવેગ આવે છે. આ રીતે ઘણા વિષયોને ખૂબ તાત્ત્વિક રીતે વર્ણવ્યા છે. ૩૦. તપોમાર્ગગતિ અધ્યયન : ગાથા-૩૭ તપ વિના કર્મરહિત બની શકાતું નથી. કર્મરહિત બનવા માટે આશ્રવરહિત થવું જોઈએ. આ વાત તળાવના દૃષ્ટાંત દ્વારા સમજાવેલ છે. જેમ કોઈ તળાવમાંથી પાણી કાઢી નાંખવું હોય તો પ્રથમ તેમાં (જળ) પાણી આવવાના દ્વારો બંધ કરવા જોઈએ અને પછી અંદર રહેલા પાણીને બહાર કાઢવા માટેના ઉપાયો કરવા જોઈએ તેમ જીવરૂપી તળાવમાં પાણીની જેમ ભરેલા કર્મો ખપાવવા માટે પ્રથમ મહાવ્રતાદિક વડે હિંસાદિ દ્વારોને રોકવા અને પછી તપ વડે અંદર રહેલા કર્મોને ખપાવી શકાય છે. આ પ્રમાણે અધ્યયનનો પ્રારંભ કરી અનશનાદિ છ પ્રકારનો બાહ્ય તપ અને પ્રાયશ્ચિતાદિ છ પ્રકારનો અત્યંતર તપ જણાવી તપનું ફળ આ અધ્યયનમાં દર્શાવેલું છે. ૩૧. ચરણવિધિ અધ્યયન : ગાથા-૨૧ આ અધ્યયનમાં સંયમમાં પ્રવૃત્તિ અને અસંયમથી નિવૃત્તિ કરવા માટેનો ઉપદેશ આપ્યો Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002569
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJaykirtisuri
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages370
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy