SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પૂછીને પોતાના શિષ્યોનો સંદેહ દૂર કર્યો હતો તેમ અન્ય મુમુક્ષુએ પણ શંકાનું સમાધાન કરી સંયમ માર્ગમાં કેવી રીતે પ્રવર્તવું તે સંબંધી સમજવા જેવી બોધદાયક વાતો આ અધ્યયનમાં સુંદર સમજાવેલી છે. કેશીગણધર અને ગૌતમસ્વામી એ બંને મહાત્માઓની વચ્ચે થયેલ સંયમીઓને ઉપયોગી તાત્વિક વાર્તાલાપ વાંચવા જેવો છે, ચિંતનીય છે. વાર્તાલાપના અંતે કેશીકુમારે પરિવાર સહિત શ્રીગૌતમસ્વામી પાસે પાંચ મહાવ્રતવાળો ધર્મ સ્વીકાર કર્યો. ૨૪. પ્રવચનમાતૃ અધ્યયન : ગાથા-૩૦. આ અધ્યયનમાં પાંચ સમિતિ અને ત્રણગુપ્તિરૂપ અષ્ટપ્રવચનમાતા કે જે સાધુ-સાધ્વીજી ભગવંતોની માતા છે તેનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. આ આઠેનું સ્વરૂપ તેનો ઉપયોગ અને છેલ્લે તેનું પાલન કરવાથી મળતું ફળ એ સર્વ હકીકત વિસ્તારથી સમજાવેલ છે. ૨૫. યજ્ઞીય અધ્યયન : ગાથા-૪૪ આ અધ્યયનમાં જયઘોષ અને વિજયઘોષની કથા દ્વારા બ્રહ્મચર્યના ગુણ બતાવ્યા છે. જયઘોષ અને વિજયઘોષ બંને ભાઈઓ બ્રાહ્મણો હતા. તેમાં જયઘોષ વૈરાગ પામી દીક્ષા ગ્રહણ કરી મહામુનિ બન્યા. પોતાનો ભાઈ યજ્ઞ કરાવે છે એ સમાચાર સાંભળીને તેને પ્રતિબોધ કરવા વાણારસી નગરીમાં આવ્યા, એને બ્રાહ્મણનું સ્વરૂપ સમજાવે છે. સાધુ, બ્રાહ્મણ, મુનિ, તાપસ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર વગેરેનાં લક્ષણો સ્પષ્ટ સમજાવે છે. આ સર્વ સાંભળીને વિજયઘોષ વૈરાગ્યથી વાસિત બન્યા અને ત્યાં જ ભાઈમુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી અને બંને મહાત્મા આરાધના કરતાં કરતાં સિદ્ધિગતિને પામ્યા. ૨૬. સામાચારી અધ્યયન : ગાથા-૨૩ આ અધ્યયનમાં સાધુની દશવિધ સામાચારી–તેનો અર્થ અને ઉપયોગ કરવાના સ્થાનો બતાવીને ઓઘસામાચારીનું વર્ણન કરવામાં આવેલ છે. તેમાં પ્રથમ પોરસી અને પાદોનપારસીનો કાળમાન જાણવાનો ઉપાય, રાત્રિ અને દિવસની આઠ પોરસીમાં કઈ પોરસીએ ક્યું કામ કરવું તે જણાવીને પડિલેહણના દોષો જણાવ્યા છે તે તો સાધુસાધ્વીજીએ ખાસ જાણવા જેવા છે અને તે રીતે પાલન કરીને શુદ્ધ પડિલેહણા કરવા જેવી છે. તે ઉપરાંત સ્વાધ્યાય-કાયોત્સર્ગ અને પ્રતિક્રમણની વિધિ સવિસ્તર જણાવેલ છે. સાધુ ક્યા છે કારણે ભિક્ષા લેવા ન જાય અને જાય તે કારણો પણ બતાવ્યા છે. ૨૭. ખાંકીય અધ્યયન : ગાથા-૧૭ આ અધ્યયનમાં ગર્ગ નામના આચાર્યની કથામાં ગળીયા બળદના દૃષ્ટાંત દ્વારા અવિનીત શિષ્યના લક્ષણ બતાવ્યા છે. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002569
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJaykirtisuri
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages370
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy