SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનો સ્વીકાર કરી વેદના દૂર થાય તો ચારિત્ર લેવાની ભાવના ભાવમાં વેદના દૂર થઈ અને ચારિત્રનો સ્વીકાર કરવાથી હવે પોતાના આત્માનો તથા સર્વ પ્રાણી માત્રનો હું નાથ થયો છું એમ કહી મુનિએ રાજાને સનાથ અને અનાથતાનું સ્વરૂપ સમજાવ્યું અને રાજાને સમ્યક્તની પ્રાપ્તિ થાય છે. ૨૧. સમુદ્રપાલીય અધ્યયન : ગાથા-૨૪ આ અધ્યયનમાં સમુદ્રપાળના દૃષ્ટાંત વડે એકાંતચર્યાનું વર્ણન કરવામાં આવેલ છે. સમુદ્રપાળ પાલિત નામના શ્રાવકનો પુત્ર હતો. તેનો જન્મ સમુદ્રમાં નાવની અંદર થયેલ હોવાથી તેનું નામ સમુદ્રપાળ પાડવામાં આવ્યું હતું. રૂપિણી નામની કન્યા સાથે તેના લગ્ન થયા. એક વખત પોતાના મહેલની બારીમાં બેઠેલો હતો ત્યારે ફાંસી (વધ્ય) સ્થાનમાં લઈ જવાતા એક ચોરને જોતાં કર્મની ભયંકરતા વિચારતાં વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરવા માટે પોતાના આત્માને અનુલક્ષીને ચિંતન કર્યું કે- “હે આત્મા–જીવ ! મહાક્લેશકારક, ભયકારક અને મહામોહકારક સ્વજનાદિકના સંગનો ત્યાગ કરી ચારિત્રધર્મ પર રુચિ કરી વ્રત તથા શીલનું પાલન કરી તું પરીષહોને સહન કર.” આ રીતે વિરક્તભાવમાં રહી સંયમનો સ્વીકાર કરી નિરતિચાર ચારિત્રનું પાલન કરે છે, એ વાત ઉપદેશાત્મક રીતે જણાવી છે. ૨૨. રથનેમીય અધ્યયન : ગાથા-૪૯ આ અધ્યયનમાં રથનેમિના દૃષ્ટાંત વડે ચારિત્રમાં ધૃતિ રાખવાનો ઉપદેશ આપ્યો છે. પહેલાં શ્રીનેમિનાથ ભગવાનનું ચરિત્ર છે. પશુ પ્રત્યેની દયાના પરિણામથી પરણવાનો નિષેધ કરી દીક્ષા લીધી અને નેમિનાથ ભગવાનને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારે રાજીમતિ તથા તેમનાથના ભાઈ રથનેમિ આદિ ઘણાએ સંયમનો સ્વીકાર કર્યો. એક વખત દેશના સાંભળી પાછા વળતાં વરસાદના પાણીથી રાજીમતિના કપડાં પલળી ગયા, તેથી ભીનાં થયેલા વસ્ત્રને સુકાવવા માટે ગુફામાં ગયા, તે વખતે ગુફામાં રહેલા ધ્યાનસ્થ રથનેમિમુનિએ તેણીને જોઈ અને જોતાં જ મનમાં વિષય-વાસનાના વિકારો ઉત્પન્ન થયા અને રાજીમતિ પાસે અઘટિત માંગણી કરી. ત્યારે રાજીમતિએ ધીરજ રાખી એમને સ્થિર રાખવા માટે કડક શબ્દોમાં જે હિતશિક્ષા આપી છે તે રાજીમતિના પવિત્ર સતીત્વની અને મહાસંયમની ઝાંખી કરાવે છે. રથનેમિ તે સાંભળીને પ્રતિબોધ પામી, પાપની આલોચના, કરી ચારિત્રમાં દઢ બની, સુંદર પાલન કરે છે. બંને કેવળજ્ઞાન પામી મોક્ષમાં જાય છે. ૨૩. શ્રી કેશિગૌતમીય અધ્યયન : ગાથા-૮૯ જેમ પાર્શ્વનાથ ભગવાનના સાધુ શ્રીકેશીકુમારે શ્રીગૌતમસ્વામીને વિનયથી પ્રશ્ન Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002569
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJaykirtisuri
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages370
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy