SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ १२ જૈન આગમોમાં મૂલસૂત્રોનું સ્થાન ઘણું મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને ઉત્તરાધ્યયનસૂત્ર અને દશવૈકાલિકસૂત્ર ભાષા તથા વિષયની દૃષ્ટિએ અત્યંત પ્રાચીન છે.૨ ઉત્તરાધ્યયન—આ સંપૂર્ણ સૂત્ર અતિ આનંદદાયક બોધના નિધિરૂપ છે. આ ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરની પરમપૂજ્યઆચાર્યભગત જયકીર્તિસૂરિમહારાજ રચિત ‘દીપિકા’ ટીકાનું આ નવીન સંપાદન કાર્ય પુસ્તકાકારે ‘ભદ્રંકરપ્રકાશન' તરફથી બે ભાગમાં પ્રકાશિત થઈ રહેલ છે. તેમાંથી ભાગ-૧માં ૧ થી ૧૯ અધ્યયનો આવેલ હોવાથી તે અધ્યયનોનો ટૂંક સાર ભાગ૧માં આપવામાં આવેલ છે ત્યારપછી આ ભાગ-૨માં ૨૦ થી ૩૬ અધ્યયનોનો સમાવેશ થતો હોવાથી તેનો ટૂંકસાર ભાગ-૨માં આપવામાં આવેલ છે. ૨૦. મહાનિર્પ્રન્થીય અધ્યયન : ગાથા-૬૦ આ અધ્યયનમાં શ્રેણિકમહારાજાને સમ્યક્ત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે અનાથી મુનિના દૃષ્ટાંત દ્વારા જણાવવામાં આવેલ છે અને કુશીલીયાના સર્વમાર્ગને ત્યજીને મહાનિર્પ્રથના માર્ગે ચાલવાનો ઉપદેશ આપેલો છે. શ્રેણિકમહારાજા શિકાર માટે જંગલમાં ગયા હતા. ત્યાં ઉદ્યાનમાં અત્યંત રૂપવાન, અતિ કોમળ, મનોહર, સમાધિવાળા યુવાન મહાત્માને જોયા અને વિસ્મય પામી મુનિને વંદન કરી અને બે હાથ જોડીને પ્રશ્ન કર્યો હે મહાત્મન્ ! આ યુવાવસ્થામાં પ્રવ્રજયા લેવાનું કારણ શું ? આપને વૈરાગ્ય થવાનું કારણ શું ? ત્યારે મુનિ જવાબ આપે છે કે - ‘‘અગાહો મિ મહારાય ! નાદો મા ન વિન્નરૂં'' । [3ત્ત.૨૦/૫.† પૂર્વા.] હે રાજા ! હું અનાથ છું મારો કોઈ નાથ નથી તેથી મેં દીક્ષા લીધી છે. ત્યારે શ્રેણિક મહારાજા કહે છે કે—‘હું તમારો નાથ થાઉં, તમે ઇચ્છા પ્રમાણે ભોગ ભોગવો.' એટલે મુનિએ કહ્યું કે - - '' "" 'अप्पणा अणाहो संता कहं मे नाहो भविस्ससि ? [उत्त. २० /गा. १२ उत्त. ] હે રાજા ! તમે પોતે જ અનાથ છો તો મારા નાથ કેવી રીતે બની શકશો ? આવું અપૂર્વ વચન સાંભળી રાજા વિસ્મય પામીને પોતાનો પરિવાર વગેરે વૈભવ બતાવી નાથપણું બતાવે છે ત્યારે મુનિ પોતાની ગૃહસ્થાવસ્થાની શ્રેષ્ઠ સમૃદ્ધિ, માતા, પિતા, પત્ની આદિ પરિવા૨નું વર્ણન કરે છે પણ શરીરમાં ઉત્પન્ન થયેલી અસહ્ય વેદનાને આ કોઈ સમૃદ્ધિ દૂર કરી શકી નથી એમ જણાવી અનાથપણું સિદ્ધ કરે છે. ૨. પૂ.આ.ભાવપ્રભસૂરિમહારાજે જૈનધર્મવરસ્તોત્ર (શ્લોક-૩૦)ની ટીકા (પૃ. ૪૪)માં નિમ્નલિખિત મૂલસૂત્રોનો ઉલ્લેખ કર્યો છે ઃ અથ ૩ત્તરાધ્યયન ૧, આવશ્ય૨, પિઽનિવૃત્તિ तथा ओघनिर्युक्ति ३ दशवैकालिक ४, इति चत्वारि मूलसूत्राणि ॥ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002569
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJaykirtisuri
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages370
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy