________________
પ્રકાશકીય
દુષમકાળ જિનબિંબ જિનાગમ ભવિયણકું આધારા”...!!
અનંતકાળચક્ર છે, દરેક કાળચક્રમાં ઉત્સર્પિણી–અવસર્પિણી હોય છે. તેમાં ત્રીજા અને ચોથા આરામાં તીર્થંકર પરમાત્માઓ ઉત્પન્ન થઈને શાસનની સ્થાપના કરે છે અને પરમાત્મા અર્થથી જે દેશના આપે છે તેને ગણધરભગવંતો સૂત્રમાં ગૂંથે છે, એ આગમ તરીકે પ્રસિદ્ધ થાય છે.
આ આગમગ્રંથોમાં પ્રથમગ્રંથ “ઉત્તરાધ્યયન' છે. જે સાધુ-સાધ્વીજી ભગવંતોને આરાધનામય સંયમજીવન જીવવા માટે અત્યંત ઉપયોગી ગ્રંથ છે.
ઉત્તરાધ્યયન'સૂત્ર ઉપર પૂર્વના મહર્ષિઓએ ઘણી ટીકાઓ રચી છે. તેમાંથી અમારી સંસ્થા દ્વારા અગાઉ લક્ષ્મીવલ્લભીય ટીકાયુક્ત ઉત્તરાધ્યયનસૂત્ર પ્રકાશિત થયેલ છે ત્યારપછી ભાષાંતર માટે પ્રેરણા થતાં મૂળ, સંસ્કૃતછાયાનુવાદ, ગુર્જરભાષાનુવાદ અને કથાસમેત ઉત્તરાધ્યયનસૂત્ર ભાગ-૧-૨ પ્રકાશિત કરવામાં આવેલ છે. ત્યારપછી હવે શ્રી પરમપૂજયોપાધ્યાય શ્રીકમલવિજયમહારાજ દ્વારા વિરચિત અને પરમપૂજય મુનિશ્રીજયંતવિજયમહારાજ દ્વારા સંશોધિત “સર્વાર્થસિદ્ધિટીકાયુક્ત ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૧-૨ પ્રકાશિત કરતાં અને અત્યંત આનંદનો અનુભવ કરીએ છીએ.
ઘણા વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલ આ ટીકા સ્વ-પરને વાંચન માટે ઉપયોગી બને તે હેતુથી અમારા ઉપકારી અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના પ્રશિષ્યરત્ન પંન્યાસ શ્રીવજસેનવિજયજી ગણિવર્યશ્રીના સંપાદન હેઠળ પરમપૂજય વ્યાખ્યાનવાચસ્પતિ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી તથા પ્રશાંતમૂર્તિ પ્રવર્તિની પૂ.સા.શ્રીરોહિતાશ્રીજી મ.ના શિષ્યરત્ના વિદુષી સા. શ્રીચંદનબાલાશ્રીજી મ.ના સંપૂર્ણ
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org