SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ २७ ૧૪. ઈયુકારીય પૂર્વે નિદાનના દોષો બતાવ્યા હવે પ્રસંગથી નિર્નિદાનપણાના ગુણો કહેવા જોઈએ, તેથી ચૌદમાં ઈયુકારીય અધ્યયનમાં ઈષુકાર વક્તવ્યતા બતાવેલ છે. પૂર્વભવમાં બે શ્રેષ્ઠી પુત્રો છે અને ચાર તેમના અન્ય શ્રેષ્ઠિપુત્રો મિત્રો છે, તે છયે શ્રેષ્ઠિપુત્રો ગુરુની પાસે ધર્મ સાભળીને, દીક્ષા લઈને, અનશન કરીને સમાધિપૂર્વક કાળ પામીને સૌધર્મદેવલોકમાં ઉત્પન્ન થાય છે ત્યાંથી કુરુક્ષેત્રમાં ઇષુકા૨પુ૨માં એક ઈયુકાર રાજા, બીજો તેની પ્રિયા પદ્માવતી, ત્રીજો ભૃગુ રાજપુરોહિત ચોથો તેની યશા નામની પત્ની અને તેના બે પુત્રો તરીકે અન્ય બે ઉત્પન્ન થાય છે. સાધુને જોઈને તે બંને પુત્રોને જાતિસ્મરણ જ્ઞાન થાય છે, તેથી ધર્મને સાંભળીને તે બંને પોતે પ્રતિબોધ પામીને પોતાના માતા-પિતાને પ્રતિબોધ કરે છે અને તે વાર્તા સાંભળીને રાણી કમલાવતી પણ પ્રતિબોધ પામે છે અને રાજાને પ્રતિબોધ પમાડે છે અને તે છયે જણા ભવભ્રમણના ભયથી ઉદ્વિગ્ન થઈને સંવેગથી ભાવિત થયેલા સાધુની પાસે શુદ્ધ વ્રતને ગ્રહણ કરે છે અને તે છયે જણા શુભધ્યાનમાં લીન બની દુષ્કર્મની પરંપરાને નાશ કરીને કેવલજ્ઞાન પામીને પરમપદ પ્રાપ્ત કરે છે. આ રીતે ૩૧ શ્લોકમાં કથાનક કહીને ત્યારપછી સૂત્રકાર વ્યાખ્યા કરે છે. ગાથા-૧૩માં કામભોગો અનર્થોની ખાણ છે તે બતાવતાં કહે છે કે, ક્ષણ માત્ર સુખ દેનારા, બહુકાળ સુધી નરક વગેરે ગતિઓમાં દુઃખ આપનારા, તુચ્છ સુખ આપનારા, પરંતુ અત્યંત અનંત દુરંત દુઃખ આપનારા અને સંસારમાંથી મુક્ત બનવા માટે રોકનારા— શત્રુભૂત, અનર્થોની ખાણરૂપ કામભોગો છે.૩૭ - ગાથા-૨૪।૨૫માં કહ્યું છે કે, જે જે રાત્રિઓ અને દિવસો જાય છે, તે તે ફરીથી પાછા આવતા નથી. અધર્મનું આચરણ કરનાર પ્રાણીઓના તે રાત્રિ-દિવસો નિષ્ફળ જાય છે અને ધર્મનું આચરણ કરનાર પ્રાણીઓના તે રાત્રિ-દિવસો સફળ જાય છે.૩૮ : ૧૫. સભિક્ષુ નિર્નિર્દીનપણું મુખ્યત્વે ભિક્ષુને જ થાય છે તેથી આ અધ્યયનમાં ભિક્ષુના ગુણો બતાવેલ છે ગાથા-૧ની વૃત્તિમાં વૃત્તિકારે કહ્યું છે કે, ३७. "खणमित्तसोक्खा बहुकालदुक्खा पगामदुक्खा अनिकामसोक्खा । संसारमुक्खस्स विपक्खभूया खाणी अणत्थाण उ कामभोगा " ॥ १३ ॥ - अध्य० १४ गा० । १३ ૩૮. " जा जा वच्चइ रयणी न सा पडिनियत्तई । अहम्मं कुणमाणस्स अहला जंति राईओ ||२४|| जा जा वच्चइ रयणी न सा पडिनियत्तई । धम्मं च कुणमाणस्स सहला जंति राईओ ॥२५॥ Jain Education International 2010_02 अध्य० १४ गा० २४ २५ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002565
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKamalsanyamvijay, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages500
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy