SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. ચિત્ર-સંભૂતીય :- શ્રુતની જેમ તપમાં પણ યત્ન કરવો જોઈએ અને તે તપ મહાઅપાયના કારણભૂત નિદાનના ત્યાગપૂર્વક કરવાથી શુદ્ધ થાય છે. તેથી નિદાનના ત્યાગ માટે ચિત્ર અને સંભૂતિમુનિના ઉદાહરણ પૂર્વક આ અધ્યયન બતાવેલ છે. વૃત્તિકારે શરૂઆતમાં ૧૭૯ શ્લોકોમાં ચિત્ર-સંભૂતનું ચરિત્ર કહેલ છે. સંભૂતમુનિ નિદાન કરીને વ્રત પાલનથી સૌધર્મદેવલોકમાં દેવ થાય છે, ત્યાંથી ચ્યવીને બ્રહ્મદત્ત ચક્રવર્તી થાય છે, અને ચિત્રમુનિ પુરિમતાલ નગરીમાં શ્રેષ્ઠિકુલમાં ઉત્પન્ન થાય છે અને આચાર્યની પાસે યતિસ્વરૂપ ધર્મને સાંભળીને પ્રવ્રજિત થાય છે. કાંપીત્યપુર નગરમાં બ્રહ્મદત્ત અને ચિત્રજીવયતિ બંનેનું મિલન થાય છે તે વખતે ચિત્રમુનિ બંનેના છ ભવો બતાવે છે તે સૂત્રકારે ગાથા-૬-૭માં કહેલ છે. ૩૪ આ સંપૂર્ણ અધ્યયનમાં ચિત્ર મુનિ અનેક પ્રકારે બ્રહ્મદત્તચક્રીને પ્રતિબોધ કરવા ઉપદેશ આપે છે, પણ નિદાનના ફળરૂપે બ્રહ્મદત્તચકી ભોગાદિમાં આસક્ત બનવાથી પ્રતિબોધ પામતા નથી. ચિત્ર મુનિએ પ્રતિબોધ માટે કહેલી કેટલીક મૂળસૂત્રોની ગાથાઓ અત્યંત બોધપ્રદ છે.૩૫ આ સંપૂર્ણ અધ્યયન ભોગાસક્તજીવોએ વારંવાર વાંચવા યોગ્ય છે. બ્રહ્મદત્તચક્રવર્તી ચિત્રજીવસાધુના હિતોપદેશરૂપ વચનને અવગણીને ભોગોને ભોગવીને સાતમી નરકમાં જાય છે અને કામોથી વિરક્ત થયેલ ચિત્રમુનિ અનુત્તર એવું સત્તરપ્રકારનું સંયમ પાળીને અનુત્તર એવી સિદ્ધિગતિમાં જાય છે.૩૬ ૩૪. “ટ્રાસ સને માસિ મિયા તિરે નો ! हंसा मयंगतीराए चंडाला कासिभूमिए ॥६॥ देवा य देवलोगंमि आसि अम्हे महिड्डिया । इमा णो छट्ठिया जाई अण्णमण्णेण जा विणा" ॥७॥ - अध्य० १३ गा० ६७ ३५. "जहेह सीहो व मियं गहाय मच्चू नरं नेइ हु अंतकाले । न तस्स माया व पिया व भाया कालंमि तम्मिसहरा भवंति ॥२२॥ "न तस्स दुक्खं विभयंति नाइओ न मित्तवग्गा न सुया न बंधवा । इक्को सयं पच्चणुहोइ दुक्खं कत्तारमेवं अणुजाइ कम्म" ॥२३॥ - अध्य० १३ गा० २२।२३ ३६. "पंचालराया वि य बंभदत्तो साहुस्स तस्सा वयणं अकाउं । अणुत्तरे भुंजिय काम-भोए अणुत्तरे सो नरए पविट्ठो ॥३४॥ चित्तो वि कामेहि विरत्तकामो उदग्गचारित्ततवो महेसी । अणुत्तरं संजम पालइत्ता अणुत्तरं सिद्धिगई गओ" ॥३५॥ त्ति बेमि ॥ - अध्य० १३ गा० ३४-३५ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002565
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKamalsanyamvijay, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages500
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy