SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ છોગમલ્લના સુપુત્ર લક્ષ્મીચંદવૈદે કરેલ જ્ઞાનપંચમી ઉદ્યાપન નિમિત્તે આવેલ દ્રવ્યની સહાયથી “લક્ષ્મીચંદ્ર જૈન લાયબ્રેરી” નામની સંસ્થા દ્વારા પ્રતાકારે ચાર ભાગમાં વીરસંવત ૨૪૯૯, વિક્રમસંવત્ ૧૯૮૦ સન્ ૧૯૨૩માં પ્રકાશિત થયેલ છે. ઉત્તરાધ્યયનસૂત્ર અને તેની સર્વાર્થસિદ્ધિટીકામાં આવતી વિશેષ બાબતો: અધ્યયન ૧થી ૧૫ઃ ૧. વિનય :- ગાથા-૧માં દ્રવ્ય અણગાર અને ભાવઅણગારનું સ્વરૂપ તથા પાંચ પ્રકારના વિનયો બતાવવામાં આવેલ છે–(૧) લોકોપચારવિનય, (૨) અર્થવિનય, (૩) ભયવિનય, (૪) કામવિનય અને (૫) મોક્ષવિનય. ગાથા-૧૩માં ચંડરુદ્રાચાર્યશિષ્યની કથામાં શ્લોક-૨૯માં વિનયનું મહત્ત્વ બતાવ્યું છે. ગાથા-૧૫ની ટીકામાં દાંત આત્માનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે, “તાન્તીત્મનો રદૈવ सूरैरपि पूज्यन्ते, मोक्षं च साधयन्ति, अदान्तात्मनस्तु शब्दादिविषयगृद्धा इहैव विनश्यन्ति" । ચૌરદ્ધયની કથામાં શ્લોક ૨૦થી ૨૫માં રાત્રિભોજનવિરતિ નામના વ્રતનું માહાભ્ય બતાવ્યું છે. ગાથા-૪૦ની ટીકામાં કુશિષ્યની કથામાં કહ્યું છે કે, દુરાશયવાળા જીવો રત્નપ્રાયઃ ગુરુનો યોગ પામીને પણ અનર્થને કરતાં તેમની ભક્તિમાં ઉદ્વિગ્ન ચિત્તવાળા બને છે. ૧૦ ગાથા-૪૬ની ટીકામાં વાચકના શ્લોકોના ઉદ્ધરણપૂર્વક વિનયનું ફળ બતાવવામાં આવેલ છે. ૨. પરીષહ :- ગાથા-૧૧ની ટીકામાં સુમનોભદ્રમુનિની કથામાં શ્લોક-પથી ૮માં નરકના દુઃખનું વર્ણન કરેલ છે. ગાથા-૧૬ની ટીકામાં આત્માનો ભવથી નિસ્તાર કરવા માટે આત્મગવેષક બનવા કહ્યું અને સ્ત્રી પરીષહ શ્રીરામચંદ્રર્ષિની જેમ સહન કરવા કહ્યું છે. ત્યાં વિસ્તારથી ‘પદ્મચરિત્ર'માંથી ૧થી ૨૩૪ શ્લોકોના વર્ણન દ્વારા રામચંદ્રની કથા કહેલ છે. ગાથા-૨૩ની ટીકામાં પુરંદર કથાનકમાં વજબાહુરાજકુમાર મુનિની સ્તુતિ કરે છે તે ૮. આ સિવાય કમલસંયમકૃત ટીકા સાથે યશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગર, ઈ. સં. ૧૯૨૭માં પ્રકાશિત થયાનો ઉલ્લેખ જૈ.બુ.સા.ઈ. ગુ. મા. ૩ પૃ. ૧૧૬ ઉપર છે. ૯. “વિનયઃ શાસને મૂર્ત વિનીતઃ સંતો ભવેત્ आराध्या गुरुवश्चेति वेद तत्त्वं स तत्क्षणात्" || - अ० १ गा० १३ श्लो० २९ ૨૦. “ઢપ્રય પુરો પ્રાથપિ હિતદેતુનીમ્ | अनर्थयन्तस्तद्भकत्युद्विग्नचित्ता दुराशया:" || - अ० १ गा० ४० श्लो० ७ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002565
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKamalsanyamvijay, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages500
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy