SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ १२ પિંડનિર્યુક્તિ અને ઓથનિર્યુક્તિને પણ મૂલસૂત્ર તરીકે સ્વીકારે છે. ઉત્તરજઝયણાણિ–ઉત્તરાધ્યયનસૂત્ર જૈન આગમોમાં પ્રથમ મૂલસૂત્ર છે. ઉત્તરાધ્યયનસૂત્રના ટીકાગ્રંથો પરથી જાણી શકાય છે કે, પરમાત્મા મહાવીરદેવે પોતાના અંતિમ ચાતુર્માસમાં અપાપાપુરીમાં સોળ પ્રહરની છેલ્લી ધર્મદેશના આપી, તેમાં જે વણપૂછ્યા છત્રીસ પ્રશ્નોનાં ઉત્તર આપ્યા, તેનો આ ગ્રંથમાં સંગ્રહ હોવાથી આ ગ્રંથનું નામ ઉત્તરાધ્યયન પડ્યું.અે નિર્યુક્તિકાર શ્રીભદ્રબાહુસ્વામીમહારાજ આ ઉત્તરાધ્યયનસૂત્રનું માહાત્મ્ય બતાવતા કહે છે કે, જે સમ્યગ્દર્શનાદિ ગુણયોગ્ય ભિન્નગ્રંથિવાળા આસન્નસિદ્ધિક ભવ્યજીવો છે તે જ આ છત્રીશ ઉત્તરાધ્યયનો ભણે છે. તેથી શ્રૃજન વગેરે વડે કહેવાયેલા અનંતગમપર્યાયયુક્ત છત્રીશ ઉત્તરાધ્યયનો ઉપધાનાદિ ઉચિત વ્યાપારપૂર્વક યથાયોગ ગુરુના પ્રસાદથી ભણવા જોઈએ.૩ શ્રીભદ્રબાહુસ્વામીમહારાજની ઉત્તરાધ્યયનનિર્યુક્તિ અનુસાર છત્રીશ અધ્યયનોમાંથી કેટલાક અંગગ્રંથોમાંથી લેવામાં આવ્યા છે, કેટલાક જિનભાષિત છે, કેટલાક પ્રત્યેકબુદ્ધો દ્વારા નિરૂપિત છે અને કેટલાંક સંવાદરૂપે કહેવાયેલાં છે.૪ ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર બૃટ્ટીકાકાર વાદિવેતાલ શ્રીશાન્તિસૂરિમહારાજ અનુસાર ઉત્તરાધ્યયનસૂત્રનું પરીષહ નામક બીજું અધ્યયન દૃષ્ટિવાદમાંથી લેવામાં આવ્યું છે, દ્રુમપુષ્પિકા નામક દસમું અધ્યયન મહાવીર પરમાત્માએ પ્રરૂપિત કર્યું છે, કાપિલીયનામક આઠમું અધ્યયન પ્રત્યેકબુદ્ધ કપિલે પ્રતિપાદન કર્યું છે તથા કેશીગૌતમીયનામક ત્રેવીસમું અધ્યયન સંવાદરૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર નિર્યુક્તિ, ચૂર્ણિ અને વૃત્તિઓની રચના : પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીભદ્રબાહુસ્વામીમહારાજાએ આ ગ્રંથ ઉપર ‘નિર્યુક્તિ’ લખી ૨. ર. ૪. "इइ पाउकरे बुद्धे नायए परिनिव्वुए । छत्तीसं उत्तरज्झाए भवसिद्धीयसंमए" ॥ - उत्तरा० ३६ । गा० २६८ " जे किर भवसिद्धीया परित्तसंसारिया य जे भव्वा । किर पढ़ति एए छत्तीसं उत्तरज्झाए ॥१॥ तम्हा जिणपन्नत्ते अणंतगम-पज्जवेहि संजुत्ते । અન્નાર્ નહનોનું નુખસાયા અહિન્ગેઝ્ના'' રા " अंगप्पभवा जिणभासिया पत्तेयबुद्धसंवाया । बंधे मुक्खे य कया छत्तीसं उत्तरज्झयणा" ॥ Jain Education International 2010_02 — उत्त० नि० गा० ५५८1५५९ उत्त० नि० गा० ४ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002565
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKamalsanyamvijay, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages500
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy